Tuesday, June 22, 2010

સિંહને રાજા કેમ કહેવાય છે?

આપણે સિંહને જંગલનો રાજા ગણીએ છીએ..એનું કારણ ખબર છે? કારણ એ જ, કે સિંહ એવા ગુણો ધરાવે છે...

હમણાં બે દિવસ પહેલાં જ છાપાંમાં હતું કે ગીરનાં જંગલમાં સિંહણ રસ્તા પર આવી જતાં મોટરસાઈકલ સવારો ગભરાઈ ગયા...પણ સિંહણ કંઈ જ કર્યા સિવાય જતી રહી...

અને આજે છાપામાં એનાથી પણ જોરદાર ઘટના આવી છે...

ગુજરાતના સાસણની એક સિંહણ લંડનના કોઈ પ્રાણીસંગ્રહાલયમાં છે.તેના પિંજરામાં જ ઝાડ પર ઘુવડ્નો માળો...અને અચાનક ઘુવડનું બચ્ચું નીચે પડી ગયું,સિંહણની પાસે હજ!

સૌ એમ જ સમજ્યા કે તે બચ્ચાને ખાઈ જશે, પણ વાહ રે કુદરતની કરામત અને બચ્ચાની કિસ્મત, ત્રણ ત્રણ દિ' થયા છતાંયે સિંહણ તેને જોવાં છતાં પણ હાથ પણ ન લગાવે! ત્રણ દિવસ પછી બચ્ચું એની મેળે ઊડીને બહાર ગયું...

આને શું કહેવાય? સિંહની ઊદારતા કે પછી એને ભૂખ નહી હોય? કે "બચ્ચું બહું નાનું છે તો મારું પેટ નહી ભરાય" એવું વિચારીને એ બેસી રહી?

ના...એ એનો સ્વભાવ.. એનો ગુણ... કે નાનક્ડા જીવને એણે જવા દીધો એ જ મોટી વાત...

છે આપણામાં પણ આવો ગુણ? ના... પ્રાણીઓ ભલે મૂંગા હોય.. ઘણી વાર આપણને પણ મોટી વાત શીખવી જાય છે ને?

આપણે તો નાની નાની વાતોમાં પણ નથી સમજતા...તો મિત્રો, આમાંથી કાંઈક પ્રેરણા લઈશું ને?

No comments:

Post a Comment