Tuesday, June 15, 2010

સત્તાવાર અહેવાલ - રક્ષિત મસ્જિદોમાં ગુજરાત પ્રથમ, મંદિરોમાં દસમા ક્રમે...

આજે (મંગળવાર, તા.૧૫ જૂન,૨૦૧૦ ના રોજ) ગુજરાત સમાચારમાં એક સરસ અહેવાલ વાંચ્યો.
કેન્દ્રિય પુરાતત્વ ખાતાએ રક્ષિત મસ્જિદોના આંકડા બહાર પાડ્યા છે...જેમાં સૌથી વધુ ૪૪ ગુજરાતમાં છે...

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
યુ.પી - ૪૧
કર્ણાટક - ૩૨
દિલ્હી - ૧૯
બંગાળ - ૧૬
એમ.પી - ૧૪
આંધ્રપ્રદેશ - ૧૨
બાકીના રાજ્યોમાં ૧૦ થી ઓછી મસ્જિદો રક્ષિત છે.

જ્યારે મંદિરોની બાબતમાં ગુજરાત ૩૯ રક્ષિત મંદિરો સાથે ૧૦મા ક્રમે છે.

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
કર્ણાટક - ૨૦૩
તમિલનાડુ - ૧૧૩
યુ.પી - ૧૦૫
મહારાષ્ટ્ર - ૯૭
એમ.પી - ૮૦
આંધ્રપ્રદેશ - ૫૬
બંગાળ અને ઓરિસ્સા - ૪૫ પ્રત્યેકમાં
રાજસ્થાન - ૪૦

મિત્રો, આ જ બાતાવે છે કે ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અને ઘણા સમયથી એકબીજાને સમજીને અને સંપથી રહીએ છીએ.
તો પછી એવા દીલ દુઃખાવે એવા અણબનાવો કેમ બને છે? એ કેટલાક તોફાનીઓ કે પછી પૈસાથી ખરીદેલા તત્વોનું જ કામ હોય ને...
સામાન્ય માણસને તો પોતાના કામ અને જિંદગીથી જ મતલબ છે...
તો મિત્રો, આ સમજીને.. આપણે સાથે આગળ વધશું તો સૌને લાભ થશે અને એમાં જ ગુજરાતની અને દેશની પ્રગતી થશે...
આમ પણ રોજ જોડે રહેવાનું અને એકબીજાને નુકસાન પહોંચાડવાથી કોને લાભ થાય? આપણા જેવા લોકોને તો નથી જ, એ તમે જાણો જ છો...

આ વિષય પર તમારા પ્રતિભાવોની અપેક્ષા રાખીશ..

No comments:

Post a Comment