Wednesday, June 25, 2008

ગુજરાતી સાહિત્યનો વિશાળ ખજાનો, આપની આંગળીના ટેરવે!


આમ્ તો આ ફોટો બધું કઈ જાય છે,છતાં પણ બન્ને અલગ છે.તમે વાપરીને નક્કી કરો કે કયું તમારી માટે સારું છે. ઃ)


વિનયભાઇ-અનિમેશ અંતાણી નુ ટુલબાર (IE + Firefox) | નીલેશભાઇ-કાકાસાબ નુ ટુલબાર(IE)

Wednesday, June 18, 2008

ગુજરાત બચાવો આંદોલન...


હુ હમણાં મહારાષ્ટ્ર ગયો હતો. ત્યાં રાજ ઠાકરેની ઝુંબેશ જોરદાર ચાલે છે એ તો બધાને ખબર જ છે.

અને ત્યાંજ નહિ, તમે ભારતના કોઇ પણ રાજ્ય માં જાઓ, ત્યાં તમારી દાદાગીરી નહિ ચાલે. અને ગુજરાત મા? છે અહી એવુ? ના. અહી તો કોઇ પણ બિન-ગુજરાતી તમારી જોડે બબાલ કરશે, કેમ? કેમ કે એને ખબર છે કે કોઇ વચ્ચે નહી પડે.


આપણે જ એક બીજાને મદદ નહી કરીએ, તો કોઇ પણ આપણને હેરાન કરશે. આપણે કાઈ દાદાગીરી નથી કરવાની, પણ કોઇ ખોટી રીતે હેરાન કરે, એ પણ તમારા ઘરમાં આવીને , તો એ થોડું જ સહન કરાય?

મહારાષ્ટ્માં જે થાય છે તે બરોબર જ છે.અને ગુજરાતમાં પણ થવું જ જોઈએ, જે થી લોકો બીજા પ્રદેશો માં જઈને તંગ સ્થિતી પેદા ના કરે.


તમે ગુજરાત સિવાય ના કોઇ પણ રાજ્ય માં જુઓ, તો બધે એવું જ છે. અને ગુજરાતી ને બધા એના ઘરમાં પણ હેરાન કરી જાય છે. આવું ક્યાં સુધી ચાલશે?


તમને નથી લાગતું, કે આપણે પણ કોઇ ઝુંબેશ શરુ કરવી જોઇએ?

'ગુજરાત બચાવો આંદોલન' કે એવું કઈક? જે ખરેખર રક્ષણ માટે હોય, નહી કે ગુંડાગર્દી માટે.

Thursday, June 12, 2008

અંગત...

ખબર નહોતી કે જીંદગીને રંગત મલી જશે,

તમારા સ્નેહ ની સુવાસીત સંગત મલી જશે,

દીલ ખોલી શકાય જેની પાસે પ્રેમ થી,

એવું કોઇ જગત મા 'અંગત' મલી જશે.

હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ

હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ
તને પુછી રહ્યો છુ હું તને મળવાના રસ્તાઓ

બધો આધાર છે એના જતી વેળાના જોવા

પરમિલનમાંથી નથી મળતા મહોબતના

પુરાવાઓ જીવન પુરતી નથી હોતી મુકદરની સમસ્યાઓ

મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ

કાંટાની અદાલત

કાંટાની અદાલત બેઠી છે.. લેવાને જુબાની ફૂલોની...

શબ્દો થોડા આઘા પાછા હોય તો સુધારીને વાંચજો...

શબ્દો થોડા આઘા પાછા હોય તો સુધારીને વાંચજો...
આમ તો મેં લીધો છે જન્મ હર કોઇને પ્રેમ કરવાને
વાત અલગ છે કે વચમાં તમે જરા વધુ ગમી ગયા

લ્યો અમે તો આ ચાલ્યા

શબ્દ કેરી પ્યાલીમા
સુરની સુરા પીને મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને
લ્યો અમે તો આ ચાલ્યા
જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે
મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે
ચાન્દની ને હળવેથી નામ એક આપીને
લ્યો અમે તો આ ચાલ્યા
જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુસાચવી ને રાખ્યુ
તુ અશ્રુ એક સાર્યુ હતુડાયરી ના પાનાની એ સફરને કાપીને
લ્યો અમે તો આ ચાલ્યા
ફૂલ ઉપર ઝાકળનુ બે ઘડી ઝળક્વાનુ
યાદ તોયે રહી જાતુ બેઉ ને આ મળવાનુ
અન્તરના અન્તરને એમ સહેજ માપી ને
લ્યો અમે તો આ ચાલ્યા

જો તમારે

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. –સ્વામી વિવેકાનં

જિંદગીએ મને શીખવ્યું

જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.-

મોરારજી દેસાઈ

Tuesday, June 3, 2008

દીલનું દર્દ...

આ શેર કહો કે કવીતા.. જાતે લખાઇ છે...દાદ માંગીશ...



ઉમંગો બધી હેથી પડી,પણ કોઈને ના ખબર પડી...
જે કરતા હતા અમે,એ બધી સારપો માથે પડી...

કે દીલ મા હતા અરમાનો,કોઇયે ના દીઠા...
મને ખબર નથી કેમ,કે છે ધીરજ ના ફળ મીઠા...

Monday, June 2, 2008

બીજી તો કોઇ રીતે ના ભુસાય ચાંદની...

આગમન એનુ સુણીને ઉર્મિઓ હરખાઇ ગઈ,
ચાંદ ઉગ્યો પણ નહીને ચાંદની ફેલાઇ ગઈ...

બીજી તો કોઇ રીતે ના ભુસાય ચાંદની...
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરાબ ઉભો તો સપના યે ના જુઓ...
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની....

તુ આંખ સામે હોય તો એવુએ પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ના દેખાય ચાંદની

તારા સ્મરણનુ તેજ મને ડંખતું રહે,
ઉપરથી એમા ઉમેરાય ચાંદની..

'ઓજસ' ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનુ તેજ રાતે બની જાય ચાંદની...

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે...

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.


આ જ ગઝલમા મનહર ભાઇએ ગાયેલો શેર રજુ કરું છું,જે રવિશના પ્રયત્નને વધુ સારો બનાવશે...

"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...

એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....

કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....

એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."


કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.

એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...