Wednesday, June 30, 2010

સૌરાષ્ટ્રની મુલાકાતે (ગીર, સોમનાથ અને દીવ)...


મિત્રો, આ લખવા માટે હું ખુદ ઘણો આતુર હતો, પણ કામને લીધે થોડુંક મોડું થઈ ગયું.

હમણાં જ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી. સૌરાષ્ટ્ર એટલે... કાઠીયાવાડ, ઝાલાવાડ, ગોહીલવાડ અને સોરઠનો સમન્વય... અને મારી ભૂલ થતી હોય તો યાદ કરાવજો...

(જૂનાગઢના પાદરે...)
અમારો પ્રવાસ અમદાવાદથી શરૂ કરીને રાજકોટ થઈને જૂનાગઢ થઈને ગીરના જંગલ સુધી પહોંચ્યો.

સવારે ૭ વાગ્યે અમદાવાદથી ગાડી લઈને નીકળ્યા. વચ્ચે થેપલાં, મસાલાવાળી પૂરી અને અથાણાંની મિજબાની ચાલી.

જૂનાગઢમાં બપોરે ૧ વાગ્યે એક ઓળખીતાને લાભ આપ્યો જમવાનો! અને ત્યાંથી સાસણ તરફ ગાડી હંકારી...


આગળ જતાં ખબર પડી કે સિંહ જોવા હોય તો દેવળિયા જવું પડશે...એટલે અમે એ તરફ વળ્યા...

જૂનાગઢથી લઈને સાસણ જતાં વચ્ચે દેવળિયા આવે, જ્યાં ગીરનાં જંગલમાં જો સિંહના ખબર હોય તો તંત્ર દ્વારા બસમાં બેસાડીને જંગલમાં ૩૫ થી ૪૦ મીનીટ ફેરવવામાં આવે છે.

અને એક સીમા પછી આપણાં વાહનો પ્રતિબંધિત છે.

અને અમારા સદનસીબે ત્યાં સિંહ જોવા મળી ગયા! સિંહને જોઈને જ આંખો ચાર ને જીભડા બાર! આનંદની તો સીમા જ નહોતી...

(દેવળિયાના જંગલમાં...)

એ વનરાજીમાં એવા સોરઠના સાવજને...વનરાજને જોઈને એમ થયું કે આ જ જંગલનો રાજા! શું એની છટા... શું એની બેફિકરાઈ...અને શું એની ઊદારતા...


(સોરઠનો સાવજ... લાક્ષણિક પળોમાં...)

 (સાવજ્થી દૂર... ડર્યા વિના...)

વાહન એની એકદમ લગોલગ હોવાં છતાં એને તો જાણે કાંઈ પડી જ નથી!

જાણે કે આપણને જોઈને વિચારતો હોય કે," જુઓ જુઓ.. પિંજરામાં મનુષ્યોનું ટોળું આવ્યું...આપણી જેમ એને પણ કોઈક દિવસ તો પુરાવું પડ્યું!"...

પોતાની મસ્તીમાં મસ્ત એવા આ રાણાને જોઈ એની તસ્વીરો લેતાં મન નો'તું ધરાતું...પણ છતાંય બહાર તો જવું જ પડે ને...

ગીરથી લગભગ ૫.૩૦ જેવા નીકળીને અમારી ગાડી હાલી સોમનાથ તરફ...



સોમનાથ... આપણા ચાંદામામાએ જેની સ્થાપના કરી હતી તે... ભારતનાં ૧૨ જ્યોર્તિલીંગોમાંનું એક...

અરબી સમુદ્રના કિનારે... દરિયાદેવ જેની સતત પૂજા કરતા રહે છે...અને એનાં પગમાં અભિષેક કરતાં થાકતાં નથી...

(જય સોમનાથ...)
સોમનાથનો દરિયો... ભયંકર તોફાની...ઊંચા ઊંચા મોજા ઊછાળતો...જાણે કે શિવના તાંડવની યાદ ના અપાવતો હોય?

અને એમાંય વળી ચૌદસ-પૂનમના દિવસો... એટલે તો જાણે દરિયો, "મારું કે મરૂં... લઈ જાંઊ કે ખાઈ જાંઊ..."

અહીં દરિયા કિનારે ન્હાવાની મનાઈ હોવા છતાં લોકો પોતાની જાતને રોકી શકતાં નથી...

અને શિવ-શંભુ...ભોળાનાથનાં દર્શનનો લ્હાવો...રોજ સવારે અને સાંજે ૭ વાગ્યે થતી આરતીમાં માનવ મહેરામણ આજે પણ ઊભરાતો જ રહે છે...

શિવલીંગની સામે ઊભા રહિયે તો જાણે કોઈ અલૌકિક આનંદ મળે...એમ શાંતિ અનુભવાય...ત્યાંથી હટવાની ઈછ્છા જ ન થાય...

ત્યાંની હવામાં જાણે શિવતત્વ જ સમાયેલું છે..જે મનને ખૂબ જ શાંતિ અને નીર્મળતા આપનારું છે...

ખબર નથી કેમ... ભગવાનને તો કોઈનો ડર ન હોય.. પણ છતાંય અહીં ઘણી બધી પોલિસ ખડકી દેવાઈ છે...

અને બીજું એ... જે દરેક હિંદુ ધર્મસ્થાનની સમસ્યા છે... ગંદકી...આટલું મોટું ધામ હોવા છતાં ગંદકીનું પ્રમાણ વધી જ રહ્યું છે...

સવાર-સાંજ શિવને ભજી... આરતીમાં શિવનાં ગુણ-ગાન કરી અને બીજી સવારે અમે નીકળી પડ્યા... દીવ તરફ...



દીવ... નામ સાંભળતાં જ દરિયો...પાણી... સરસ મજાનાં કિનારા યાદ આવી જાય...

અને સાથે સાથે...પેલું ગીત પણ, "की पीने वालों को... पीने का... बहाना चाहिये..." મોટે ભાગે... દીવનું નામ આવે એટલે એ જ વાત હોય...

 (ગંગેશ્વર મહાદેવ...)

(દીવની જેલ...)

(ફોર્ટ...)

પણ એના સિવાય પણ દીવમાં ઘણી ફરવા લાયક જગ્યાઓ છે...

દીવ પોર્ટુગીઝોએ વસાવેલું શહેર છે એટલે એમાં એની ઝલક છતી થાય છે..વાસ્તવમાં અહીં ગુજરાતી લોકો જ વધુ છે, છતાં પણ એ વીતેલા જમાનાની યાદ અપાવે છે...

દીવનો કિલ્લો અને જેલ એ પોર્ટુગીઝોનાં જમાનાની મોટી અમાનત છે...અને એ એવું મજબૂત બાંધકામ છે કે આટઆટલાં વર્ષો પછી પણ અડીખમ ઊભી છે...

એનાં સિવાય સરસ દરિયા કિનારાઓ...જ્યાં લોકો ન્હાવાની મજા માણે... અને અહીંનો દરિયો શાંત છે... જાણે ઉદારતાથી આપણને ન્હાવાની પરવાનગી આપતો ના હોય...

અહીં નાગોઆ બીચ અને ઘોઘલા બીચ બહુ જ વિખ્યાત છે... એ સિવાય ગંગેશ્વર મહાદેવ્નું મંદિર, સનસેટ પોઈંટ, સમર હાઊસ અને બીજી એવી જગ્યાઓ જે બહુ લોકો નહી જાણતા હોય...

એવા બીચ પણ છે જ્યાં માંડ દસથી પંદર લોકો પણ જોવા નથી મળતા...ત્યાં વિદેશી મુસાફરો તડકો ખાતા હોય છે...

દરિયામાં ન્હાવાની મજા જ ઓર છે...

દરિયો જાણે આપણી સાથે રમત કરતો હોય એમ દર વખતે કપડાંનાં ગજવામાં ભીની માટી ભરી દે...

એક વાર ધીરે તો બીજી વાર જોરથી..એમ કરીને વધુને વધુ પલાળતો રહે...

મારું માનો... તો ગોવા કરતાં પણ દીવ વધું સુંદર અને સ્વચ્છ છે...અને અહીંના લોકો પણ સરળ છે...

આપણને ગોવાની જેમ અહીં ખોટી ભીડ નહિ લાગે...અને ખરેખર "રજામાં મજા" સાર્થક છે...


બસ... ત્રણ દિવસનો આ પ્રવાસ દીવથી જ પતાવી અમે પાછા અમદાવાદ તરફ નીકળી પડ્યાં...

પાછાં આપણી રોજબરોજ શરૂ...કામ કાજ અને નોકરીઓ.. એ જ ખરૂં...

પાછાં આવવાનું મન તો કોઈને ન થાય પણ...આવવું તો પડે જ ને...

તન અને મનથી એકદમ તાજાં થઈને હવે કામ તરફ વળવાનો પ્રયત્ન કરીશું ને...

Thursday, June 24, 2010

વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે ...

સાસુ-વહુના સંબંધોને નવેસરથી સમજવાનો... સ્વીકારવાનો સમય આવી ચૂક્યો છે એવું નથી લાગતું ? સ્વસ્થ સંબંધો, સ્વસ્થ કુટુંબ અને તંદુરસ્ત સમાજનું લક્ષણ છે. આ એક સંબંધ સુધરી શકે... પરિવર્તન પામી શકે તો વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

જીવનમાં સફળતાના ચાર માર્ગ...

આંખમાં વિકાર નહી...મનમાં ધિક્કાર નહી...

અંતરમાં અંધકાર નહી...જીભ પર તીરસ્કાર નહી...

Wednesday, June 23, 2010

હાઈકોર્ટના જજની ગાડી...

એક હતી હાઈકોર્ટના જજની ગાડી... એને હતી બહુ જ આળ-પંપાળ...

માથે લાલ લોટો... અને આગળ-પાછળ હોદ્દાનું લખાણ...

રોડ ક્રોસ કરવામાં પડતી'તી બહુ જ તકલીફ...એ હતી ખાસ અને બીજા બધા 'આમ'...

માટે એના આવવા-જવાના સમયે...ઊભી રખાતી ગાડીઓ તમામ...

રોડ પર બનાવવામાં આવ્યા કંઈ કેટલાયે પાળિયા...'હાઈવે' તો રહ્યું માત્ર નામ...

સદીઓથી ચાલતાં હતાં કેટલાંયે શટલિયાં ગેરકાયદે અહીં...એને ક્યાં પડી'તી કાંઈ!

એક દી ઘટના એવી થઈ...શટલીયાએ એને હારે થઈને બકી ભરી...

ત્યારે એને ભાન થયું... કે, "મારે આવું થયું તો ના જ ચાલે"...

નામે કાયદા અને સેફટીના...મારી શટલીયાના પેટે થોડા દી માટે લાત...

એસ. ટી. વાળા મન ફાવે તેમ કરે... મુસાફરો તો બસ... રઝળ્યા કરે...

'ક' મને પણ.. શટલીયામાં... મજબૂરીના માર્યા ફરે...

કંઈ કેટલાયે ગેલન ને લીટર વેડફાય છે આ પાળિયાઓની જોહુકમીથી...

ઊલટાનાં એની આગળ પાછાં બેંકોની જાહેરાત વાળાં રસ્તો સાંકડો કરતાં લોઢાંનાં પાટિયાં...

પણ એ ગાડીને ક્યાં પડી છે...'આપણે તો ઘી કેળાં ને ભજીયાં'...

પારકા પૈસે દીવાળી ને પ્રજાની મહેનતની થાય હોળી...

દવા અને દારૂ ...

દવા ઔર દારૂમેં ક્યા ફરક હોતા હૈ?
દવા ‘ગર્લ-ફ્રેન્ડ’ જૈસી હોતી હૈ જિસ મેં એકસ્પાયરી ડેટ ભી હોતી હૈ. 
મગર દારૂ ‘બીબી’ જૈસી હોતી હૈ... જીતની પુરાની હો, ઉતના સર ચડ કે બોલતી હૈ!
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ...

આ જગતમાં સદીઓથી ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ચાલતા રહ્યા છે : ન્યાય,
અન્યાય, ગરીબી અને ગુનો. અન્યાયના ઉકરડા પર ન્યાયની ધજા ફરકે છે અને
ગરીબીની કૂખેથી ગુનો જન્મ પામતો હોય છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Tuesday, June 22, 2010

સિંહને રાજા કેમ કહેવાય છે?

આપણે સિંહને જંગલનો રાજા ગણીએ છીએ..એનું કારણ ખબર છે? કારણ એ જ, કે સિંહ એવા ગુણો ધરાવે છે...

હમણાં બે દિવસ પહેલાં જ છાપાંમાં હતું કે ગીરનાં જંગલમાં સિંહણ રસ્તા પર આવી જતાં મોટરસાઈકલ સવારો ગભરાઈ ગયા...પણ સિંહણ કંઈ જ કર્યા સિવાય જતી રહી...

અને આજે છાપામાં એનાથી પણ જોરદાર ઘટના આવી છે...

ગુજરાતના સાસણની એક સિંહણ લંડનના કોઈ પ્રાણીસંગ્રહાલયમાં છે.તેના પિંજરામાં જ ઝાડ પર ઘુવડ્નો માળો...અને અચાનક ઘુવડનું બચ્ચું નીચે પડી ગયું,સિંહણની પાસે હજ!

સૌ એમ જ સમજ્યા કે તે બચ્ચાને ખાઈ જશે, પણ વાહ રે કુદરતની કરામત અને બચ્ચાની કિસ્મત, ત્રણ ત્રણ દિ' થયા છતાંયે સિંહણ તેને જોવાં છતાં પણ હાથ પણ ન લગાવે! ત્રણ દિવસ પછી બચ્ચું એની મેળે ઊડીને બહાર ગયું...

આને શું કહેવાય? સિંહની ઊદારતા કે પછી એને ભૂખ નહી હોય? કે "બચ્ચું બહું નાનું છે તો મારું પેટ નહી ભરાય" એવું વિચારીને એ બેસી રહી?

ના...એ એનો સ્વભાવ.. એનો ગુણ... કે નાનક્ડા જીવને એણે જવા દીધો એ જ મોટી વાત...

છે આપણામાં પણ આવો ગુણ? ના... પ્રાણીઓ ભલે મૂંગા હોય.. ઘણી વાર આપણને પણ મોટી વાત શીખવી જાય છે ને?

આપણે તો નાની નાની વાતોમાં પણ નથી સમજતા...તો મિત્રો, આમાંથી કાંઈક પ્રેરણા લઈશું ને?

સિંહ અને ઘેટું ...

સિંહ અને ઘેટુંઅડખે-પડખે સૂએએવું કદી પણ નહીં,
બને... સિવાય કે ઘેટુંસિંહના પેટમાં હોય!
 આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

કોઈ શોર્ટકટ નથી ...

સફળતા મેળવવા માટે કોઈ શોર્ટકટ નથી. તેના માટે મહેનત અને યોગ્ય સમયે આવેલી તકને ઝડપવી એ જરૃરી છે. સફળતા મેળવવા માટે નાની નાની છતાં પણ મહત્ત્વનો ભાગ ભજવતી કેટલીક આદતો પર ધ્યાન આપવું જરૃરી બની જાય છે. જોકે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સેલ્ફ એટિટયૂડ ક્યાંક એરોગન્સ ના બની જાય.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Monday, June 21, 2010

અજ્ઞાનને ઢાંકવા...

અજ્ઞાનને ઢાંકવા માટે વિધાતાએ સંપૂર્ણ સ્વાધીન એવા મૌનના ગુણનું નિર્માણ કર્યું છે.
ખાસ કરીને મહા-પંડિતોની સભામાં અજ્ઞાનીઓને તો મૌન જ શોભે છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Sunday, June 20, 2010

માતૃભાષા ...

ઘણા તો માતૃભાષા નહીં જાણતા હોવાનો ડોળ કરે છે
મહાનુભાવો સાથે વાતચીત માટે ફાંકડા અંગ્રેજી વિના ન ચાલે ?
‘કમ્યુનિકેશન’ ભાષા થકી નહીં બે વ્યક્તિ વચ્ચેની સંવાદિતા અને જરૂરિયાતથી થતું હોય છે
મોબાઈલ પર અડધો કલાક વાતો કરનાર બે વ્યક્તિ સામસામે બેઠા હોય ત્યારે નિઃશબ્દ બની જતા હોય છે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

પડકારોને કેમ ઝીલવા ...

અવરોધોનું તો એવું છે ને કે તે આપોઆપ જ ટેકલ થઈ જાય છે. માણસ અમુક દિશામાં
આગળ વધી રહ્યો હોય ત્યારે એને આવનારી બાધાઓનો અંદાજ રહેતો જ હોય છે. એટલે
આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પૂર્વતૈયારી કરી શકાય. પડકારોને કેમ
ઝીલવા એની તૈયારી હું રાખું છું.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, June 18, 2010

કેવા હતાં એ મિત્રો : પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટ...


પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટ...

આ વાર્તાથી કોણ અજાણ હશે?તમે ઘરડાંઓનાં મોઢે ઘણી વાર સાંભળી હશે...

મહોમ્મદ ઘોરી એ તેની સામે ૧૭ વખત ચડાઈ કરી હતી...

રાજાએ તેને ૧૬ વખત યુધ્ધમાં હરાવ્યો અને દરેક વખતે એ ક્ષત્રિયની યુધ્ધનીતીને ધ્યાનમાં રાખીને તેને મુક્ત કરી દેતો... (બાપુ ખરાને.. એટલે જીવનદાન આપી દે'તા..)

રાજાનો ખાસ મિત્ર, ચંદ બારોટ હતો..જે તેનો ખાસ સલાહકાર પણ હતો...

એવું કહેવાય છે કે જ્યારે પણ રાજ યુધ્ધ કરવા જતો ત્યારે ચંદ બારોટ્ની સલાહ લેતો...

ચંદ બારોટને માં શક્તિનો સાથ હતો... જ્યારે તે માં ની સ્તુતી કરીને પોકાર કરતો ત્યારે તેની જોડે માં સાક્ષાત વાત કરતાં (માં ચામુંડા કે માં હરસિધ્ધિ એમાં મને દ્વિધા છે)

દરેક વખતે તે માં ની રજા લેતો યુધ્ધ માટે અને તો જ રાજા ને જવા દેતો...અને રાજા વિજયી થઈને જ આવતો...

૧૭ મી વખતે જ્યારે ઘોરીએ ચડાઈ કરી,અને ચંદ બારોટે માં ની આજ્ઞા માંગી તો માં એ તેને નકાર ભણ્યો...

ઘણી વાર થઈ પણ એને રજા ન જ મળી... એ દિવસ રાજાની હાર નક્કી હતી...

બારોટે રાજને ના પાડી..પણ ક્ષત્રિય પોતાનો ધર્મ જીવના જોખમે પણ ના છોડે... રાજા પોતાના નિર્ણયથી જરાય વિચલીત ન થયો.

એને મોતની પરવા કર્યા વિના યુધ્ધમાં ઝંપલાવ્યું અને ઘોરીએ આ વખતે રાજાને હરાવ્યો...

ઘોરી મોગલ હતો...તેણે રાજાની ઊદારતા ન યાદ રાખી...ઊલટું રાજાને કેદ કરીને બંદી બનાવ્યો...

તેણે રાજાને કહ્યું,

" હે પૃથ્વીરાજ..તું રજપૂત હોઈશ...તારા ભારતમાં દુશ્મનને પણ માન આપીને છોડી મૂકાય છે...

મને નથી સમજાતું એ...પણ મારા દેશમાં..મારી યુધ્ધનીતી મુજબ..દુશ્મનને મૃત્યુદંડ આપવામાં આવે છે...

કારણ કે દુશ્મનને એક વાર છોડો તો એ ફરી વાર તમને હેરાન કરી શકે છે...અને કદાચ તમને વધુ આઘાત પહોંચાડી શકે છે...

જેમ તેં મને ૧૬ વખત છોડ્યો છતાં પણ હું દરેક વખતે બમણાં જુસ્સાથી હુમલા કરતો હતો.. અને છેવટે તને હરાવીને કેદ કર્યો ને?

હવે હું તને મૃત્યુદંડ કરીશ અને એ પણ મારા દેશની પ્રજાની વચ્ચે જાહેરમાં..."

ચંદ બારોટ આ વાતથી અજાણ નહોતો...તે રાજાની મદદે પહોંચ્યો... ખાસ મિત્ર હતો, અને એમાંય બારોટ બંકો...મર્દ મૂછાળો...પછી ક્યાંથી પાછો પડે!

તે કેદખાનામાં રાજાને મળવા પહોંચ્યો... રાજાનો મૃત્યુનો દિવસ હવે નજીક જ હતો...રાજા સાથે મસલત કરીને તેણે પોતાનાં ચોગઠાં ગોઠવી દીધાં...

તેણે ઘોરીને સંદેશો આપ્યો કે,

" પૃથ્વીરાજ ચૌહાણ પાસે એક અદભૂત વિદ્યા છે...તે અંધારાંમાં કે આંખો બંધ રાખીને બાણથી નિશાન લગાવી શકે છે...

અને મૃત્યુ પહેલાં તેની આખરી ઈછ્છા પોતાની વિદ્યા બતાડવાની છે..."

આખરે એ દિવસ આવી પહોંચ્યો...તે ગોઝારો દિવસ...

લોકો રાજપૂતનૂ શૂરાતન અને એના શૂરાતનનું પરિણામ..એનું મોત...જોવા એકઠાં થયાં..

ઠસોઠસ ભીડ... આખો વિસ્તાર લોકોની ભીડ અને કોલાહલથી ભરાઈ ગયો...

તેમની આંખોમાં વિસ્મય હતું.. કે આવો રાજા ૧૭મી વખતે હાર્યો કેવી રીતે... તેને જોવાની તેમને તાલાવેલી હતી...

જાણે કાંઈ અજાયબી જ હતો એ તેમની માટે...

છેવટે ઘોરીના આદેશથી પૃથ્વીરાજ ચૌહાણને સભામાં લવાયો...એની યુધ્ધનીતીને મૂર્ખતામાં ખપાવી...

એની મર્દાનગી અને ઊદારતાને નજર અંદાજ કરીને એની હારને જ ગાઈ...

રાજાને ધનુષ-બાણ આપવામાં આવ્યાં...એની આંખો પર પટ્ટી બાંધી...અને ઘોરીએ રાજાને આદેશ કર્યો..

"પૃથ્વીરાજ ચૌહાણ, રાજપૂત... ભારતના ક્ષત્રિય...બતાવ તારી તાકાત...

તારી એ વિદ્યા જેનાં મે કેટ-કેટલાં વખાણ સાંભળ્યાં છે...ચલાવ બાણ આ નિશાન પર...

બતાવ ભારતની એ વિદ્યા..."

ચંદ બારોટ વિદ્વાન કવિ અને હાજર જવાબી હતો.


તેણે તરત જ પૃથ્વીરાજને એક દોહો ગાઈ સંભળાવ્યો. એ દોહામાં તેણે રાજાને સંકેત આપ્યો અને ઘોરી ક્યાં ઊભો છે તે સ્થાનની દીશા બતાવી...

પૃથ્વીરાજ ચૌહાણએ નિશ્ચિત નિશાનને બદલે... ... ...

એ દીશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું...અને નિશાન સાધ્યું...

અને છેક એક હાથના પંજાથી તે બીજા હાથના ખભા સુધી ખેંચેલી ધનુષની પ્રત્યંચા છોડી...


અને...


નિશાન લાગ્યું... ... ... પણ ઘોરીના કપાળમાં... એક દમ વચ્ચે...

અને ઘોરી પોતાના છેલ્લાં શ્વાસ ગણવા લાગ્યો...તેણે વિચાર્યું પણ નહોતું એવી ઘટના અચાનક ઘટી ગઈ...

સૈનિકોએ રાજાને પકડવા પગ માંડ્યા... ચંદ બારોટ પણ ત્યાં જ હાજર હતો... પોતાના મિત્રની અંતિમ ક્ષણોમાં સાથ દેવા...

ચંદ બારોટે પૃથ્વીરાજ ચૌહાણની સામે કટાર ધરી.. અને બીજી પોતાના હાથમાં રાખી...


તરત જ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટે.. જેઓ એકબીજાના જીગરજાન મિત્રો હતા...

એક બીજાને કટાર ભોંકી દીધી...અને છાતી સોંસરવી આર પાર કરી દીધી...જેથી મુગલોના હાથે પકડાવું ના પડે...

અને એકબીજાને એટલા માટે ઘા કર્યો... કે ક્ષત્રિયના નિયમની અવહેલના ન થાય...

ક્ષત્રિય કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા ન કરે...માટે જ તેમણે બન્નેએ આવું પગલું ભર્યું...

બારોટે પણ પોતાનો મિત્ર-ધર્મ જાળવવા જીવ આપતાં પળનો યે વિચાર ન કર્યો...

આવા હતાં એ... એ મિત્રો...

જેમનાં નિયમો..નિષ્ઠા .. પ્રેમ.. શક્તિ... ભક્તિ... અને કુનેહને આપણે આજે પણ વિસરી શક્યાં નથી...

~પાર્થ બારોટ~

સંબધોની માળાના મણકા સાચવીએ...

આજે બધાની જિંદગી ઝડપી બની ગઈ છે.કોઇની જોડે સમય જ નથી.

કોઇને મળવા જવાનું હોય તો સમય નથી. કોઇના પ્રસંગમાં જવાનું હોય, તો સમય નથી.

પોતાના માટે કાંઈ લાવવું હોય તો પણ ઘણાને તો સમય નથી!

અને પછી આપણે જ એવી રા'વ ખાઈએ કે ફલાણા સંબંધો સાચવતા નથી. પણ હું એવું માનું છું કે તાળી એક હાથે નથી વાગતી...

અરે દરેક જણ એવું જ વિચારે કે સામેવાળો મિત્ર કે સંબંધી દરેક વસ્તુ માટે પહેલ કરે તો થઈ રહ્યું. સંબંધો તો ધીરે ધીરે પૂરા જ થઈ જશે!

આપણો સમાજ હવે બદલાઈ રહ્યો છે, ૧૦ થી ૧૫ વર્ષ પહેલાંનો ગાળો યાદ કરો...

તે વખતે લોકો એક બીજાને પત્રો લખતા એ પણ યાદ કરી કરીને...

અરે દીવાળીમાં તો બજારમાં શુભકામના માટેનાં "દીવાળી કાર્ડ" પણ ખૂટી જતાં યાદ છે?

છોકરાંઓ રજાઓમાં મામા-માસીને ત્યાં મહીનો મહીનો રે'તાં...

અને હવે, પત્રને બદલે ઈ-મેઈલ..ફોન...બધું ઝડપી...કોઈને કોઇની માટે સમય જ નથી મળતો...

આપણા ઘરડાંઓ કહી ગયા છે કે "પાણી પહેલાં પાળ બાંધવી".

આ બધું આમ જ રે'શે તો ધરમૂળથી પરિવર્તન આવી જશે. અત્યારે છે તેના કરતાં પણ પરિસ્થિતી બગડશે...

તો મિત્રો, આપણે પોતાના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓને યાદ કરતાં રહીએ..તેમને મળતાં રહીએ...

સાથે તહેવારો ઊજવતાં રહીએ...એમ જ એકબીજાના સાથ અને સહકારથી જિંદગી સરળ અને સુંવાળી બની રહેશે...

સાચી વાત ને? તો સંબધોની માળાના મણકા સાચવીએ...

મા-બાપ સામે વિરોધ ...

મા-બાપ સામે વિરોધ છે, વાંધો છે એનું કારણ તેઓ અત્યારે નજર સામે છે. આવતી કાલે તેઓ નહીં હોય ત્યારે આ વાત મનમાં ખટકશે...
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Thursday, June 17, 2010

મૃત્યુનો. ડર ...

જીવનમા જેટલો રસ છે એટલો જ મૃત્યુ શબ્દ ભયાનક છે. સંસારમાં ભાગ્યે જ
કોઇ એવું હશે જેને મૃત્યુનો ડર ન સતાવતો હોય. હકિકતમાં ડરનું કારણ મૃત્યુ
કે તેનો આવવાનો સમય નથી,પરંતુ આપણા જીવવાની રીત છે.આપણે સંસારમાં સંસાર
બનીને રહી જાઈએ છીએ. આપણે તેનાથી આગળનું ક્યારેય વિચારતા નથી જેના કારણે
સંસાર છુટવાનો ભય રહે છે.સંસારમાથી ભયને દુર કરી દો પછી મ્રુત્યુનો... ડર
નહીં લાગે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Wednesday, June 16, 2010

વનિતા વનમાળીને કહે ...

વનિતા વનમાળીને કહે છે, સાંભળો છો ! તમને મારી સુંદરતા વધારે ગમે છે કે... મારું સુડોળ શરીર ?
વનમાળી કહે , મને... તારી... આ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે... !
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

સફળતાની સડક ...

સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે ,
જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

માનવ જ શ્રેષ્ઠ ...

ભાગવત કે રામાયણમાં જોઈએ તો દેવતાઓ કહે છે કે અમારાં દુ:ખ દૂર કરવા માટે
ભગવાન આપ અવતાર ધારણ કરો. દેવતાઓ માટે ભગવાન એટલે સંકટ સમયે ખેંચવાની
સાંકળ. જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે દેવતાઓ ભગવાન પાસે દોડી જતા દેખાય
છે, પણ નિષ્કામ ભક્તિ નથી દેખાતી નથી એટલે માનવ જ શ્રેષ્ઠ છે. દાનવોને જે
દુર્લભ છે, દેવોને જે દુર્લભ છે એ માનવને સુલભ છે. આ સુલભતામાં માનવ પાસે
નિષ્કામ ભક્તિ છે અને સત્સંગ છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Tuesday, June 15, 2010

વરસાદી દિવસની સમી સાંજે...

આજે થોડો અલગ દિવસ હતો નહિ? મેઘરાજા સવારનાં પહોરમાં જ વરસી પડ્યા... અને દિવસે પણ આહલાદક વાતાવરણ બની રહ્યું...

સાંજ થઈ રહી છે...સૂર્ય ધીમે ધીમે પશ્ચિમમાં આથમી રહ્યો છે...

ગોધૂલી ટા'ણૅ... અહીં ભલે ગાયો કે ભેંસો જોવા નથી મળી... 
પણ આકાશની શોભા સુંદર બની રહી છે...

પક્ષીઓ પોતાનાં ઝૂંડ્માં ઊડીને ઘર તરફ જઈ રહ્યાં છે... ને આપણા જેવા નોકરીથી ઘરે!

થોડો બાફ છે...પણ કૂદરતની કરામતો જોઈને તે વિસરી જવાય છે...

વ્રુક્ષો એકદમ ચોખ્ખાં બની ગયાં છે... 

ઘરની નજીકનાં આંબા પર રે'તી કોયલ પોતાનાં સૂરો સંભળાવી રહી છે...

વિવિધ આકારનાં વાદળો જાણે ચિત્રમાં પેન્સિલથી શૅડ માર્યો હોય તેવી આક્રૂતી ઉત્ત્પન કરી રહ્યાં છે...

વાદળાંની વચ્ચેથી સૂર્યાસ્તનો આછો કેસરી અને પીળાશ પડતો પ્રકાશ પણ કૂદરતનીઅદભૂત રચના છે ને...

માણસ ગમે તે કરે.. તો પણ કૂદરતનાં અમૂક ગૂઢ રહસ્યોને નહી જાણી શકે કે નહી તેની બરોબરી કરી શકે...

સત્તાવાર અહેવાલ - રક્ષિત મસ્જિદોમાં ગુજરાત પ્રથમ, મંદિરોમાં દસમા ક્રમે...

આજે (મંગળવાર, તા.૧૫ જૂન,૨૦૧૦ ના રોજ) ગુજરાત સમાચારમાં એક સરસ અહેવાલ વાંચ્યો.
કેન્દ્રિય પુરાતત્વ ખાતાએ રક્ષિત મસ્જિદોના આંકડા બહાર પાડ્યા છે...જેમાં સૌથી વધુ ૪૪ ગુજરાતમાં છે...

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
યુ.પી - ૪૧
કર્ણાટક - ૩૨
દિલ્હી - ૧૯
બંગાળ - ૧૬
એમ.પી - ૧૪
આંધ્રપ્રદેશ - ૧૨
બાકીના રાજ્યોમાં ૧૦ થી ઓછી મસ્જિદો રક્ષિત છે.

જ્યારે મંદિરોની બાબતમાં ગુજરાત ૩૯ રક્ષિત મંદિરો સાથે ૧૦મા ક્રમે છે.

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
કર્ણાટક - ૨૦૩
તમિલનાડુ - ૧૧૩
યુ.પી - ૧૦૫
મહારાષ્ટ્ર - ૯૭
એમ.પી - ૮૦
આંધ્રપ્રદેશ - ૫૬
બંગાળ અને ઓરિસ્સા - ૪૫ પ્રત્યેકમાં
રાજસ્થાન - ૪૦

મિત્રો, આ જ બાતાવે છે કે ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અને ઘણા સમયથી એકબીજાને સમજીને અને સંપથી રહીએ છીએ.
તો પછી એવા દીલ દુઃખાવે એવા અણબનાવો કેમ બને છે? એ કેટલાક તોફાનીઓ કે પછી પૈસાથી ખરીદેલા તત્વોનું જ કામ હોય ને...
સામાન્ય માણસને તો પોતાના કામ અને જિંદગીથી જ મતલબ છે...
તો મિત્રો, આ સમજીને.. આપણે સાથે આગળ વધશું તો સૌને લાભ થશે અને એમાં જ ગુજરાતની અને દેશની પ્રગતી થશે...
આમ પણ રોજ જોડે રહેવાનું અને એકબીજાને નુકસાન પહોંચાડવાથી કોને લાભ થાય? આપણા જેવા લોકોને તો નથી જ, એ તમે જાણો જ છો...

આ વિષય પર તમારા પ્રતિભાવોની અપેક્ષા રાખીશ..

વરસાદનું આગમન...

મિત્રો, આજે વરસાદનું આગમન થઈ ચુક્યું છે. 


મેઘરાજાએ ઘણા દિવસો સુધી આપણને ટલ્લાવ્યા... ગરમીની જ્વાળાઓથી આપણે ત્રસ્ત હતા પણ હવે આહલાદક્તાનો અનુભવ કરીશું.
આકાશમાં વાદળો ઘેરાયાં છે અને સરસ ઝાપટું પડી રહ્યું છે... એટલે હું મારી જાતને એને કેમેરામાં કેદ કરતાં ન રોકી શક્યો...

પાનની પિચકારી ...

તમે પિચકારી તો જોઇ જ હશે...હોળીની, સાઈકલની દુકાને ઓઈલની... અને તમે પોતે પણ મારતા હશો ને.. બારી કે અગાસી પરથી... પાન-તમાકુની... નથી ખાતા? તો પાણીની તો અચૂક મારી જ હશે...

એ પિચકારી એવી... કે ગમે ત્યાં છૂટી પડે... ઘરની બારીમાં, વોશ-બેસિનમાં, બાથરૂમમાં, રોડ પર ચાલતાં ચાલતાં, બસ-ટ્રૈનમાં બેઠા બેઠા, સીડીઓમાં...

જવા દો.. અરે આ'નો તો કોઈ અંત જ નથી દોસ્તો...

પછી ભલેને કોઇ જતું હોય એના માથા કે કપડાં પર પડે... આપણને ક્યાં પડી છે બાપુ? આપડે તો ખાવાના ને જ્યાં ને ત્યાં થૂંકવાના...

સરકાર ગમે તેટલી જાહેરાતો કરે... આપણે તો બૉસ એ ખાઈ ખાઈને મરવા પણ તૈયાર, કે'વું છે કાંઈ! (જો કે આમા સરકારી કર્મચારીઓ કે અમલદારો જેઓ સારા હોદ્દા પર છે, તે પણ લાભ તો લે જ છે.પણ, કોઇ ખવડાવે તો!)

બધું ઠીક, પણ આપણે થૂંકતી વખતે એ પણ ના જોઇએ કે પાછળ આવતા કોઇ વાહન પર કે પછી માણસ પર પડશે...

આ આપણે નહી સમજીએ ત્યાં સુધી નહી પતે... બધા લોકોને કોઈ એક જાહેરાત કેવી રીતે રોકી શકે?

કે'વાનો મતલબ એવો છે.. કે જેને ચોરી કરવી જ છે.. તેને ગમે તેમ મથીને પણ પોલિસ રોકી ન શકે... એ ગમે ત્યાંથી ચોરીના નવા નવા રસ્તાઓ શોધી જ કાઢે ને...

આપણે પોતે જ એ બંધ કરી શકીએ તો જ એનો નિકાલ આવશે મિત્રો...

લોકશાહી અને સરકારી જમાઇ ...

લોકશાહી લોકોનું રાજ કહેવાય છે પણ લોકો તો હંમેશાં ઠેબાં-ઠોકર
ખાતા રહે છે અને સરકારી જમાઇ બની ગયેલા અમલદારોની જોહુકમી વેઠતા રહે છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Monday, June 14, 2010

વિકાસનું ચોથું સોપાન ...

માનવીના જીવનમાં કોઇ પણ કાર્યમાં કુશળતા પ્રાપ્ત કર્યા પછી જે સંપત્તિ,
સ્નેહ અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે તેનામાં સદ્ગુણોનો ઉદય
થાય તે વિકાસનું ચોથું સોપાન છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

સોમનાથ પર ...

સોમનાથ પર સુલતાન જાફર મોહંમદે ચડાઈ કરી ત્યારે લડાઈમાં૮૦૦
શૂરવીરો ખપી ગયા ત્યાં સુધી પાલખીમાં શિવલિંગને બાથમાં લઈ ઘેલા વાણિયાએ
છેક જસદણ સુધી તેને પહોંચાડ્યું. અમિતાભ બચ્ચનને સોમનાથની જેમ જો ઘેલા
સોમનાથ બતાવાયું હોત તો પ્રજાકીય સમરસતા, સમાનતા અને આસ્થાનો એવો જ ઊંડો
અહેસાસ થયો હોત!
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Sunday, June 13, 2010

નવી ડિઝાઈન...

મિત્રો, આજે આ બ્લોગની ડિઝાઈન બદલીને મૂકી છે...જે પહેલા કરતા નયનરમ્ય અને આકર્ષક છે...
તમારા સજેશન્સ આવકાર્ય છે...

Saturday, June 12, 2010

જો પરંપરા જડ બની જાય તો ...

જો પરંપરા જડ બની જાય તો સમાજને ઉપયોગી થવાને બદલે અવરોધક બની જાય છે.
નદીનું પાણી સતત વહેતું રહે તો એ વ્યક્તિ તથા વસ્ત્રનો મેલ ધોવાનું કામ
કરે છે પરંતુ નદીની પ્રવાહી પરંપરા જડ બની જાય, એ પાણી બરફ બનીને થીજી જાય
તો બરફને વસ્ત્ર ઉપર ઘસવાથી વસ્ત્ર ફાટી જશે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, June 11, 2010

સાચો સંતોષ ...

સાચો સંતોષ શેમાંથી મળે છે? સાચો સંતોષ તો તમારી પાસે જે હોય તે બીજાને આપવાથી મળે છે. પૈસા નહીં, તમે બીજાને તમારો સમય આપો.બાળકોને વાર્તા કહો. વૃદ્ધાશ્રમમાં જઈ તેમને કોમ્પ્યૂટર શીખવો.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

હરિફાઇનું સ્તર ...

આજે દરેક ક્ષેત્રમાં હરિફાઇનું સ્તર ઊંચું થઇ રહ્યું છે, માટે કોઇ ચોક્કસ મુકામ સુધી પહોંચવા માટે આપણે જોખમ ખેડવું જ પડશે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Thursday, June 10, 2010

સફળતાની ચાવી ...

અખુટ શ્રધ્ધા,જબરો આત્મવિસ્વાસ,સાહસિકવ્રુતિ,પરિસ્થિતિનો સરખો ખ્યાલ.
લક્ષ્ય ભણીની અવિરત ગતિ...
જે કાંઈ કરી રહ્યા હોઈએ તેનો મજબુત પાયો નાખવો...
આંતરિક અને બાહ્ય શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ...
ભયભીત દષ્ટિએ ભવિષ્ય ન જોવું...

આભાર - જીગર શેઠ

ધર્મ એટલે ...

ધર્મ એટલે ભયને જીતી લેવો. ધર્મ એટલે કોઈપણ નિષ્ફળતાના ઈલાજ માટેનું અમૃતફળ. ધર્મ એટલે મૃત્યુને જીતી લેવાનો માર્ગ.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Wednesday, June 9, 2010

મહાત્મા મંદિર...

આપણા મુખ્યમંત્રી સાહેબે ગાંધીનગરમાં ગાંધીજીનું મંદિર બનવવાનું શરૂ કરાવ્યું છે. સાંભળ્યું છે કે તેની પાછળ ૧૩૦ કરોડથી પણ વધુ ખર્ચ થશે. રામ જાણે કેટલાનું મંદિર બનશે અને કેટલા પૂજારીઓના ઘરે જશે?
એ બધું તો, ખેર, આપણા હાથમાં નથી, પણ આ મંદિર માટે કેટલા બધા વૃક્ષો કપાઈ રહ્યાં છે તે ખબર છે? 

કપાળમાંથી ઝરણાં...

અરે મિત્રો, તમે કાંઈ જાદૂ-બાદૂ ના સમજતા. આ તો વાત છે ખરા ઊનાળાના બપોરના તાપમાં થતા પરસેવાની..

આજે જરાક સમય મળ્યો તો થયું કે ગાડીને જરાક ફટકો મારી દઊં. સવારે નોકરીની ઊતાવળમાં સમય મળતો નથી તો હુ ૬ વાગ્યે નીકળ્યો.

થયું કે સાંજ પડી ગઈ છે તો ગરમી ઓછી હશે, પણ ઘરની બહાર નીકળતા જ... ઓહો...જાણે સૂરજદાદા મારી જ રાહ જોઈને ઉભા'તા! મંડી પડ્યા મારી પર આગના ગોળા વરસવા...

માં ૫-૭ મિનીટ થઈ હશે.. (એ પણ એક ગધેડાએ થૂંકેલા પાનની પીચકારી સાફ કરવી પડી એટલે...એ આખો અલગ જ ટોપીક છે... એ ફરી કોઈ વાર...)

મારું શરીર ભીનું થઈ ગયું યાર... અને માથા અને કપાળમાંથી પરસેવાની રમઝટ!

એ પતાવીને ઊપર આવીને અરીસામાં જોયું તો કપાળમાં અગણિત ટપકાંઓ! પરસેવાના લીધે તરબોળ થવાં છતાં આ વિચાર આવ્યો અને હું લખવા બેઠો...

આ પેલા 'ફેટ્' વાવાઝોડાની અસરને લીધે એક વરસાદ તો થ'યો... પણ બાફ વધી ગ'યો...

વરસાદ આવે તો સારું...

ગુરુ દક્ષિણા ...

જ્યારે પણ કોઈ શિષ્ય ગુરુ પાસેથી દીક્ષા મેળવતો તો તે કહેતા, તેં મને
તો મેળવી લીધો, હવે થોડા દિવસ મારા વિરોધી પાસે જઈને રહે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Tuesday, June 8, 2010

આપણે શું કરીએ...

આપણે શું કરીએ છીએ તેના કરતા આપણે શું હોઇએ છીએ તે વધારે મહત્વનું હોય છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

જીવન એટલે...

સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી તેમાં એટલાં જ વજન જેટલો આનંદ રેડીન ઠીક-ઠીક સમય સુધી વૈરાગ્યનાં ફ્રીજમાં રાખો. કલાક પછી ચોસલાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આ સ્વાદીષ્ટ વાનગી નું નામ છે - "જીવન"

દુષ્યંત બારોટ

Monday, June 7, 2010

સાથી ગુમાવ્યો છે સાથ નહી...


સાથી ગુમાવ્યો છે સાથ નહી.
રમતમા હારી નથી સમય ઓછો પડ્યો..
જીંદગીમા સફળતાને આંબી રહી છું.
કોઈ સમજે યા ન સમજે તારી ફરજ ન ચૂકાય.
કુટુંબ અને મિત્રમંડળમા પ્રેમ આપો, તે કદી ખૂટવાનો નથી.
...કર્મ કર્યા વગર જીવનમા રહી શકાવાનું નથી.
ભૂલ હોયતો માફી માગવામા શરમ શેની.
જો લાગણી દુભાય તો જરૂરથી સામી વ્યક્તિને જણાવશો.
જ્ઞાનની શક્તિ અપરંપાર છે.
ભક્તિ અને નમ્રતા સુવાસ ફેલાવે છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

જો સાચા મિત્રનો સાથ ...

જો સાચા મિત્રનો સાથ હોય તો સરળતાથી કોઇ પણ મુશ્કેલીની ઉપર આવી શકાય છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Sunday, June 6, 2010

વ્યક્તિની સફળતા પાછળ માની ભૂમિકા ...

તુલસીદાસજી બતાવવા માગે છે કે દરેક વ્યક્તિની સફળતા પાછળ માની ભૂમિકા
મહત્વની હોય છે. મા અંજનિએ હનુમાનજીને તૈયાર કર્યા હતા. સંસારના તમામ
સંતાનો તેમની માના ઋણી હોય છે. હનુમાનના રોમ-રોમમાં રામનામ વસેલું છે.
ભક્તિ કરનારા હનુમાનજી પાસેથી પાઠ લઈ શકાય છે કે ભૌતિક યુગમાં તન અને મનનો
સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જીવનમાં સફળતા માટે શરીર અને આત્...મા વચ્ચે
સુમેળ સાધવો અત્યંત જરૂરી છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

સંત પરંપરા ...

મહાત્મા બુદ્ધ, મહાવીર સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા
ગાંધી જેવા મહાપુરૂષોએ અહિંસાને પરમ ધર્મ ગણી જીવનભર તેનું આચરણ કર્યુ
હતું. જે બધા જ માનવોને પ્રેરણા આપતા રહે છે. મન, વચન અને કર્મથી કોઈને પણ
નુકશાન ન પહોચાડવું તે જ અહીંસા છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Saturday, June 5, 2010

(છેલ્લી એક તક આપી દે....)

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.
આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.
એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.
‘હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘ અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
‘ અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’
ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’
મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું?
અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’
બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
‘ અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું.
માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,
હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.
અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.
મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.
‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે?
હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે?
ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.
પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘
હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.
‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘
એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!”
પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?
’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘
હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘
હું રડી પડું છું.
‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં.
મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું,
એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’
મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી.
‘અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’
---------------------------------------------------------------------------

મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું,
"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”
‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.
કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?


I don't want to feel guilty after I will die. I don't want to apologize that I have not told that I love you. I don't want to apologize that I have not told my friends thanks for your helps. I would like to live today. Who knows what happen tomorrow. will tell u lots of if meet...otherwise chalate chalte mere ye geet yaad rakhana kabhi alavida na kahena..

બુદ્ધિ અને લાગણી વચ્ચે યુદ્ધ ...

બુદ્ધિ અને લાગણી વચ્ચે જે યુદ્ધ છે તેનું સારતત્વ
સાહિત્યમાંથી મળે છે, જ્યારે સાહિત્ય વધુ પડતો બુદ્ધિનો ભાર વેંઢારવા માડે
છે ત્યારે સાહિત્યકારો માનવીના ઈમોશન તરફ બેદરકાર રહે છે. તેવું સાહિત્ય
સત્વહીન બની જાય છે! કવિઓ જ ભાવિ પ્રોફેટ-ઉદ્ધારક છે. તે માટે તેમણે
સત્વશીલ બનવું રહ્યું.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

તારા મૌનમા પણ તારા પ્રેમના ...

તારા મૌનમા પણ તારા પ્રેમના દર્શન થાય છે,
કેમકે પ્રેમમા હંમેશા મૌનનો અર્થ રજામંદી થાય છે.

Friday, June 4, 2010

હુ ઈંતજારમા અને તમે ...

હુ ઈંતજારમા અને તમે છો વિચાર મા.......
આ તો છે શરૂઆત હજી... કંઈ આખર પ્રલય નથી.......
તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યુ કે આપણી વચ્ચે પ્રણય નથી!

બને તો એમને કહેજો ...

બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે...

Thursday, June 3, 2010

સરળ સ્વાભાવની વાત ...


સરળ સ્વાભાવની વાત છે. માણસ અહમ્નું વિસર્જન કરે, કપટનો ત્યાગ કરે અને સરળ
સ્વાભાવ ધારણ કરે તે ભગવાન રામના મતે ભક્તિનું નવમું અને છેલ્લું લક્ષણ છે.
માણસે ભક્તિ કરવી હોય તો ધર્મસ્થાનમાં જઈને કલાકો સુધી પૂજા-અર્ચના કરવી જ
પડે એવો નિયમ નથી. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન
રામના મુખેથી શબરી સમક્ષ જે ભક્તિસૂત્રોની ચર્ચા કરી ...છે એનું પાલન કરવાથી
પણ ભક્તિયોગ
સિધ્ધ થયો ગણાશે એવી મારી સાત્વિક શ્રદ્ધા છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

ભૂલવાનું એ વચન ...

ભૂલવાનું એ વચન, કેમ કરી ભૂલું સજન ?!

દર્દ આપો તો ...

દર્દ આપો તો એની દવા પણ આપજો,
ભુલોની અમારી સજા પણ આપજો,
આંખોમાં આંશુ માટે જગા પણ આપજો,
અને આંશુ વહેતો એને વેહવાની રજા પણ આપજો!

Wednesday, June 2, 2010

દરેક યાદ નો અર્થ ..

દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો..
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો...
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને...
બાકી દરેક "ના" નો અર્થ “ના” નથી હોતો!

જીવન - એક એવો દાખલો ...

જીવન એક એવો દાખલો છે જેને ગણવાની કોઇ યોજનાબધ્ધ રીત નથી.
જે બીજાને શીખવાડી શકાતો નથી કે બીજા પાસેથી શીખી શકાતો નથી. 
દરેક માણસે પોતાનો દાખલો પોતાની રીતે જ ગણવાનો રહે છે.

Tuesday, June 1, 2010

ગુજરાતી-કછ્છી અમિતાભ...

આપણે બધા કદાચ જાણીએ જ છીએ કે અમિતાભ બચ્ચન ગુજરાત સરકાર માટે જાહેરાત માટે શુટિંગ કરી રહ્યા છે...હમણાં જ તેમણે કછ્છ્માં જઈને એકદમ દેશી પોષાકમાં ખૂબ સરસ ભાવ આપ્યા છે....

પ્રેમમાં ખેંચાણ છે ...

પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છુટવા માટે હજી દેખાય છે રસ્તા મને
હું તને જોતો તો દુનિયાને પછી જોતે નહીં
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને
હાથમાં આવી ગયું તું એમનું આખું જીવન
હું તો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને

મરીઝ - ગઝલની એક એવી મસ્જિદ...

મરીઝ ને કોણ નથી ઓળખતું? ઘણા દિવસે આ લેખ વાંચ્યો અને થયું કે તમને પણ જણાવું.

આ મોહબ્બત છે કે એની દયા કહેતા નથી
એક મુદત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી
જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી
લ્યો, નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી
એને તું સંયમ કહે, તારી કૃપા, કિંતુ અમે
મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી
એ જ લોકો થઈ શકે છે મહેફિલની આબરૂ
જેઓ વેરાનીને પણ સૂની જગ્યા કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી

મૂળ નામ અબ્બાસ વાસી. લોકો ઓળખે ‘મરીઝ’ને નામે. મરીઝ ગઝલની એક એવી મસ્જિદ છે કે જ્યાં તમામ ગઝલકારોને નમાજ પઢવાનું મન થાય. એ એક એવી પ્રતીતિ આપે છે કે એ ગઝલ લખતાં નહીં પણ જાણે કે ગઝલ કહે છે. ઉપરછલ્લી રીતે તદ્દન સરળ લાગે પણ કોઈ ગહન અર્થ લીલની જેમ લપાઈને બેઠો હોય.

મુશાયરામાં મરીઝને ચિક્કાર દાદ મળતી. એમના પઠનના કારણે નહીં પણ એમની ગઝલમાં શિખરની ઊંચાઈ અને ખીણના ઊંડાણને કારણે. શ્રોતાઓ અદબથી એમની ગઝલ સાંભળતા. સ્વભાવે બાળક જેવા સરળ. ગઝલ લખતાં જ એટલું નહીં કેટલાકને લખી આપતા એ જાણીતી વાત છે.

વધુ વાંચો @ દિવ્યભાસ્કર