Friday, July 2, 2010

જિંદગીનું અંતિમ ફળ શું હોય?

એવું નથી કે દરેક વખતે લોકો જ જિંદગીમાં બદલાવ લાવવા માંગતા હોય છે, 
ઘણી વાર ખુદ જિંદગી તેમને એવું કરવા માટે પ્રેરિત અથવા તો અધીરા કરી નાખે છે.

કેટલીક વાર આપણે જે ઈચ્છીએ છીએ તે આપણી ઈચ્છા નથી હોતી, 
પણ એ હોય છે આપનો ઘમંડ અને અદેખાઈ જે માત્ર અને માત્ર બીજાને બતાવવા માટે જ કરતા હોઈએ છીએ. 

જિંદગી હમેશા એની રીતે જ ચાલે છે, આપણા મુજબ નહિ. ભલે આપણે એવું રાખીએ મનમાં કે, "આ મેં કર્યું છે." પણ એ જિંદગીએ આપણને આપેલો એનો નિર્ણય છે, જેને આપણે પોતાનો સમજીને પાર પાડીએ છીએ.

ઘણી વાર લોકો કંઈક કરવાનું વિચારે છે. અને છેલ્લે જો એમાં નિષ્ફળતા મળે તો એમાં કોઈ બીજાનો કાં તો પછી નસીબનો વાંક કાઢે...ખરખર તો જિંદગીએ આપણી માટે રસ્તો નક્કી જ કરેલો હોય છે. જોવાનું એ છે કે આપણે તે સ્વીકારીએ છે કે નહિ. જો આપણે એ સ્વીકારીએ કે આપણે શું છીએ અને શું ધરાવીએ છીએ, તો જીવન ઘણું જ સરળ થઇ જશે. જેમ પ્રભુ શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ,

"કર્મ કરતો જા... ફળની ઈચ્છા રાખીશ નહિ...કારણકે તે મનુષ્યના મસ્તિષ્કમાં સતત ચિંતા અને વિચારોના વમળ સર્જે છે...જે અંતમાં મનુષ્યની બધી જ સમસ્યાઓનું મૂળ બને છે."

આ વસ્તુ જ આપણને છેલ્લે અંતિમ ફળ સુધી પહોંચાડે છે... જે છે ઈશ્વરનો સાક્ષાત્કાર... મનની શાંતિ... મનમાં નથી કોઈ સમસ્યાઓ અને નથી કોઈ ખોટા-બિનજરૂરી પ્રશ્નો...નથી કોઈ શંકા કે જેને કારણે મન વ્યગ્ર બને... આ ભાવના જ આપણને એ અધ્યાત્મિક સ્થિતિ માં લાવીને સફળ કરે જે માત્ર નિર્મળ હૃદય અને ખુલા ચિત્ત ને જ લભ્ય છે...જેને પોતાની જાત પ્રત્યે અભિમાન નથી...કોઈ સાચા-ખોટા વિકારો નથી...

No comments:

Post a Comment