Tuesday, July 20, 2010

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

માણસની ઉત્પતિથી લઇને અત્યાર સુધી માણસ લડતો આવ્યો છે.જીવવા માટે લડે છે.સત્તા માટે લડૅ છે.જમીન માટે લડે છે.રાજ્ય અને દેશ માટૅ લડે છે.જોરુ માટે લડે છે.સંપતિ માટે લડે છે...સતત એક પ્રકારની લડાઇ કોઇને કોઇ સમયે લડતો રહે છે.

સતત લડવું એ કંઇ સુખનુ ઝરણૂ તો નથી જ ?માનવીને લડાઇના માર્ગેથી પાછો વાળવા માટે કોઇ એક સમર્થ કારણ હોવુ જરૂરી છે અને આ સમર્થ કારણ સમજાવી શકે એવા સમર્થ માણસની જરૂર પડે છે.આ લડાઇના ફાયદા અને ગેરફાયદા સમજાવી શકે એવા વિધવાન માણસની જરૂર પડે છે.

પરિણામે દરેક યુગમાં દરેક જગ્યાએ એક મહાન માણસનો ઉદય થતો રહ્યો છે.આ મહાન માણસોના ઉપદેશ થકી સમાજમાં અજંવાળુ ફેલાય છે.તેના આપેલા ઉપદેશોનો એક ગ્રંથ બને છે.કાળક્રંમે આ ગ્રંથ અમુક સમુહ માટે ધર્મગ્રંથ બની જાય છે.પરિણામે એક નવા પંથનો ઉદય થાય છે.

ખ્રિસ્તીઓનું બાઇબલ,હિંદુઓના અનેક ધર્મગ્રંથો,મુસ્લિમોનું કુરાન,યહુદીઓનુ તૌરાત,પારસીઓનું ઝંદ-અવેસ્તા જેવા અનેક ધર્મોના ધર્મગ્રંથો દુનિયાભરમાં અસ્તિત્વમાં આવ્યા.

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

ઇસ્લામમાં મઝહબનો અર્થ થાય છે,'માર્ગ'.જે રસ્તો સૌવની ભલાઇનો છે તે જ સાચો ધર્મ (માર્ગ) છે.

કુરાનમાં કહેવામાં આવ્યુ છે,"તમે સૌવ મનુષ્ય એક જ પ્રજાના છો,અને એક જ પ્રભુ તમારો માર્ગદર્શક છે,તેથી તેની પુજા કરો.લોકો એ પોતપોતાના અલગ વાડા બાંધ્યા છે,પણ સૌવને એક જ પ્રભુ પાસે જવાનું છે." (આમ્બિયા,૯૨-૯૩)

એક વાર કોઇએ પેંગબર સાહેબને પુછયુ કે "ધર્મ એટલે શુ?".એટલે પેંગબર સાહેબે જવાબ આપ્યો કે,"ધીરજથી સહન કરવુ અને બીજાઓનું કલ્યાણ કરવું તે ધર્મ."(અહમદ)

ધર્મનું કામ શું છે?મનુષ્ય માત્રને આપસની ફુટથી,લડાઇ ઝઘડાથી તથા ટંટાફસાદથી બચાવે;તેમને કુંટુબીજનોની જેમ પ્રેમના દોરે બાંધી રાખે;તેમનો સારો મનમેળ રાખે,વ્યવાહર કરવાનો,રહેણીકરણીનો અને જીવન ગુજરાવાનો ઢંગ શીખવે એવો પંથ.

દુનિયામાં છ મોટા ધર્મ છે અને તેમના ધર્મ ગ્રંથ આ મુજબ છે.હિંદુઓના ઋગવેદ તથા ઉપનિષદ તથા અંસખ્ય ધર્મગ્રંથો.યહુદીઓનો તૌરાત.પારસીઓનો ઝંદ અવેસ્તા.બૌધ્ધ લોકોનો ત્રિપિટક.ઇસાઇઓનો બાઇબલ અને મુસ્લિમોનો કુરાન.

આ છ ધર્મગ્રંથોનું બારીકીથી વાંચન કરો તો તેમા લખેલી વાતો મૂળભૂત રીતે એક સમાન લાગશે અને ક્યાંક કયાંક તો કથા,વાર્તા,પ્રંસગો અને ભાગો મળતા આવે છે.

હિંદુઓનો ઋગવેદ બધા ધર્મોમાં સૌથી જુનામાં જુનો ગ્રંથ છે અને છેવટનો ધર્મગ્રંથ કુરાન છે.

કુરાનના અન્નુર અધ્યાયમાં સ્તુતિઓ વાંચતાં ઋગવેદની કેટલી સ્તુતિઓનો આભાસ થયા રાખે છે.

કુરાન ઇશ્વરનું છેવટનું સ્વરૂપ કે નામ 'અલ્લાહ'છે.જ્યારે ઋગવેદમાં ઇશ્વરના અનેક નામોમાંથી એક નામ એક નામ 'ઇલ'છે.જે સંસ્કૃતમાં 'ઇલ'ધાતુ ઉપરથી નીકળે છે અને તેનો અથ થાય છે-ભજવુ કે પુજવુ.એવો અર્થ થાય છે.ઋગવેદમાં એક અધ્યાય 'સુક્ત ઇલા'ના નામે છે.

આજથી લગભગ છ હજાર વર્ષ પહેલા જે સુમેરિયન સંસ્કૃતિના લોકો તેમની ભાષામાં ઇશ્વરને 'ઇલ'ના નામે સંબોધન કરતી હતી.

મૌલાના આઝાદે રચેલ 'તરજુમાનુલ કુરાન'માં લખ્યુ છે કે કલદાની ભાષામાં અને સુરિયાની તથા અન્ય પ્રાચિન ભાષામાં ઇશ્વરના નામો મળતા આવે છે.જેમ કે કલદાનીમાં 'ઇલ્લાહીયા' અને ઇબરાનીમાં 'ઇલોહી' વગેરે.

જ્યારે ઇસાને શુળીએ ચડાવવામાં આવ્યા ત્યારે તેમના મુખમાંથી 'ઇલોહી' 'ઇલોહી'જેવાં શબ્દો નીકળ્યા હતાં(હે મારા ઇશ્વર , હે મારા ઇશ્વર).

કુરાનમાં જે રબ શબ્દ જેના ઉપરથી આવ્યો છે તે ઋગવેદમા "રૈ" છે."રૈ" એટલે કે જે આખી દુનિયાને પાળે છે.

કુરાનમાં 'અમને સન્માનના માર્ગે લઇજા' એ પ્રાથના આ રીતે છે,'એહ દેન્સ્સેરાતલ મુસ્તકિમ' છે.જ્યારે ઋગવેદમાં 'અગ્ને નય સુપથા'છે.


એ જ રીતે ઇશ્વર એક છે તે કુરાનમા લખેલુ છે-વહદુહુલાશરિકલહુ.અને વેદોમાં લખેલુ છે-એકમેવાદિતિયમ.

શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યુ છે કે,"જે માણસ ફાવતે રસ્તેથી ચાલીને ઇશ્વરને મેળવવાની કોશિશ કરે છે તેને ઇશ્વર એ જ માર્ગે મળે છે."

પારસી ધર્મગ્રંથમાં જરથુષ્ટ્રે કહ્યુ છે કે,"દુનિયામાં આજ પહેલાના ધર્મોને માનયી છીયે.એ સર્વે ભલાઇ તરફ લઇ જનારા છે."

ચીનનો મોટૉ જનસમુહ બૌધ્ધધર્મી છે.તેઓ પહેલેથી હિંદુસ્તાનના ભગવાન બુધ્ધ અને ચીનનાણ મહાન ધર્મગુરૂઓ લાઓત્સે અને ફુંગફુત્સેને માને છે.

ફુંગફુત્સેએ કહ્યુ છે કે,"હું પહેલાની વાતોને આગળ ચલાવી રહ્યો છું.હું કશું જ નવું કે નવી વસ્તું બતાવી શકતો નથી."

જ્યારે બુધ્ધે કહ્યુ છે કે,"મારા પહેલા કેટલાય બુધ્ધો આવ્યા અને મારા પછી પણ આવશે.હું પુરાણા પ્રકાશને જ પાથર્રી રહ્યો છું."


જ્યારે કિતાબ વાયેઝ તૌરાતમાં લખ્યુ છે કે,"આ સર્વ અમારા પહેલાથી ચાલતુ આવે છે અને દુનિયામાં કોઇ ચીજ નવી નથી."

કુરાનમાં પેંગબર સાહેબ કહે છે કે,"હું જુના ધર્મોના કે તેઓના પેંગબરોના ઉપદેશોને નાશ કરવા નથી આવ્યો,પરંતુ હું તેની પૂર્તિ કરવા આવ્યો છું."

એક શેર છે..

ફકત તફાવત નામકા હૈ
દરઅસ્લ સબ એક હી હૈ
જો આબે સાફીકી મૌજમે હૈ
ઉસીકા જલવા હુબાબમે હૈ.

(હે દોસ્તો,માત્ર નામનો જ ફર્ક છે.મુળમાં સર્વે એક છે.જે સ્વચ્છ પાણીની લહેરોમાં છે.તેનો જ જગમગાટ પરપોટામાં દેખાય છે.)

ગીતા અને કુરાન વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.આર્યવ્રતમાં કૌરવો અને પાંડવો એક જ કુંટુંબના હતાં અને એક જ દાદાના પૌત્રોઆ હતાં.લડાઇ લડનારા એક જ કુટુંબના હતાં.એ જ પ્રમાણે કુરાનમાં અરબદેશના પ્રખ્યાત કુંટુંબ'કુરેશ'ના સંતાનોની લડાઇની વાતો છે.એક રીતે જોઇએ તો કુરુવંશ અને કુરેશ વંશ વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.

'કૌરવ'શબ્દ કુરુના નામ ઉપરથી આવ્યો છે અને ઇરાનના એક ગ્રંથમાં પણ કૌરુશ અને કુરુ બંને શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે.ઇરાન પ્રખ્યાત શહેનશાહ 'કૌરુશ'જેનું અંગેજોએ વિકૃત સ્વરૂપ 'સાઇરશ'કરી નાંખ્યુ છે.જેનું અસલ નામ કૌરુશ છે.

આ એક ઐતહાસિક સમાનતા છે.મહાભારતના 'કુરુ'.અરબસ્તાનના 'કુરેશ'અને ઇરાનના કૈરુશ.

જે રીતે કૌરવોએ પાંડવો ઉપર કાળૉ કેર વર્તાવ્યો હતો,તેમની મિલકત પડાવી લીધી હતી,પાંડવોને એમના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં,ઝેરે આપવાની કોશિશ કરી હતી....એ જ રીતે કુરેશોએ મહમદ પેંગબર સાહેબને તથા એમના સગાઓને તથા એમના અનૂયાયીઓને મક્કામાંથી હાંકી કાંઢવામાં આવ્યા હતાં.

પેંગબર સાહેબને મક્કામાંથી એટલા માટે હાંકી કાંઢવામાં આવ્યા હતા કે એમને અંસંખ્ય દેવદેવીઓની પૂજા બંધ કરાવીને ફકત એક જ ઇશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો.

કારણકે એ પહેલા મક્કામાં મૂર્તિઓની પૂજા થતી હતી.કાબામાં હજારો ર્વષ જુનું મંદિર હતું અને એ મંદિરના પૂજારીઓ કુરેશો હતાં.કુરેશો સતત તેર વર્ષ સુધી પેંગબર સાહેબ તથા એમના અનૂયાયિઓ ઉપર જુલ્મ વર્ષાવતા રહ્યાં.

છેવટે પેંગબર સાહેન મક્કા છોડીને મદિના ચાલ્યા ગયાં.

મક્કામાં બાકી રહી ગયેલા પેંગબર સાહેબના સગાઓ અને અનુયાયીઓ ઉપર કુરેશોએ જુલ્મ વર્તાવવાનું ચાલુ રાખ્યુ.છતાં પણ કુરેશોનું પેટ ન ભરાયુ એટલે કુરેશોએ એક મોટુ લશ્કર બનાવીને મદિના ઉપર જ્યાં પેંગબર સાહેબે આશરો લીધો હતો ત્યાં ચડાઇ કરી.

આ લડાઇ પહેલા પેંગબર સાહેબનો ઉપદેશ હતો કે ,"બીજાના જુલ્મોને ધીરજથી અને શાંતિથી સહન કરી લેવા તથા બુરાઇઓનો બદલો ભલાઇથી આપવો.(હામીમ,૩૪-૩૬)

જ્યારે કુરેશોએ પહેલી વખત મદિના ઉપર ચડાઇ કરી ત્યારે કુરાનમાં પહેલી વખત તલવાર ઉપાડવાનું ફરમાન કરવામાં આવ્યુ.

ફરમાન આ રીતે લખેલુ છે,"લડાઇ માટે આપના ઉપર ચડાઇ કરવામાં આવી છે.જેનાં કારણે મારા અનુયાયીઓ ઉપર સંકટ આવી પડયુ છે.આ કારણસર મારાં અનુયાયીઓને લડાઇ લડવાની પરવાનગી આપુ છું.કારણકે આ નિર્દોષ લોકો ઉપર જુલ્મ છે.અને અલ્લાહ આપણી મદદ માટે પુરતા છે.અને આ ફરમાન એવા લોકો માટે જ છે,જેઓને પોતાના ઘરમાંથી હાંકી કાંઢવામાં આવ્યા છે.કારણકે આ લોકો એવું માને છે કે અલ્લ્લાહ એક જ છે....(હજ્જ,૩૯-૪૦)

જ્યારે ગીતાના (૧-૩૬) અને મનુસ્મૃતિમાં નરાધમ માટે "આતતાયી" જેવો શબ્દપ્રયોગ થયો છે,એટલે કે એવા લોકો જેઓ ઝેર ખવડાવે છે,લૂટ કરે છે,આગ લગાડે છે,અને એના જેવા અધમ કૃત્યો કરે છે.ટુકમા અત્યારે જે કૃત્યો આંતકવાદીઑ કરે છે.

મનુસ્મૃતિમાં આગળ લખે છે,"જો સામેથી આતતાયી આવતો હોય તો બીજો કશોય વિચાર કર્યા વિના આતતાયીને મારી નાંખવો જોઇએ."

ગુજરાત પોલીસે જે રીતે શાહબુદિન જેવા આતતાયીઓને મારી નાંખ્યા તે મનુસ્મૃતિ મૂજબ ધાર્મિક કાર્ય કહેવાય....???

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,"તારા હ્રદયની દુર્બળતા છોડીને ઉભો થા,અને યુધ્ધ કર.આ દુર્બળતા તને શોભતી નથી."(૨-૩૭)

જે રીતે પાંડવો અને કૌરવોના યુધ્ધમાં કાકા.મામા,સસરા તથા સગાસંબધી સામસામા લડાઇમાં ઉતર્યા હતાં.તે જ રીતે મદિનાનાં યુધ્ધમાં સગાસંબધીઓ સામસામા આવી ગયા હતાં.કારણકે મક્કામાં જે અનુયાયી પેંગબર સાહેબ સાથે જોડાયેલા હતા તેઓના સગાઓ સામા પક્ષે હતાં.

કુરાનમાં મુસ્લિમોને કહેવામાં આવ્યુ કે,"જે લોકો ઇશ્વરના રસ્તે ચાલતા લડાઇમાં મરી જશે તો જન્ન્તને પામશે અને જીતશે તો અલ્લાહ મોટૉ બદલો આપશે."

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,"જો તું લડાઇમાં માર્યો જઇશ તો સ્વર્ગને પામશે અને લડાઇ જીતશે તો આ પૃથ્વીનું રાજય તને ભોગવવા મળશે."

ગીતામાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"જનસમાજને અંધારામાંથી અંજવાળઆ તરફ લઇ જાય છે."(૧૦-૧૧)

કુરાનમાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"તે લોકોને અંધારામાંથી પ્રકાશ તરફ વાળે છે.(બકરહ,૨૫૭)

તો ઉપનિષદોમાં લખ્યુ છે કે,"તમસોમાંજ્યોતિર્ગમય"..એટલે કે ઉંડા અંધારેથી પ્રકાશ તરફ લઇજા.

પેંગબર સાહેબની પ્રાથના છે કે,"હે અલ્લાહ,અમને પ્રકાશ આપ."

ગીતામાં ઇશ્વરને વિશ્વ્તોમુખમ-એટલે કે સર્વ તરફ મુખ વાળૉ કેહેવામાં આવ્યો છે.

કુરાનમાં લખ્યુ છે કે," તમે જે તરફ વળૉ તે તરફ અલ્લાહ છે."

ગીતામાં ઇશ્વરને 'સર્વલોક મહેશ્વરમ'કહેવામાં આવ્યુ છે તો કુરાનમાં 'રબ્બુલઆલમિન્'(ફાતેહા-૧)એટલે કે સર્વલોકના માલિક કહેવામાં આવ્યુ છે

ગીતામાં ઇશ્વર માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો અન્ય કોઇ નથી."(૧૧-૪૩)

કુરાનમા અલ્લાહ માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો બીજો કોઇ નથી(એખલાસ-૪)

કુરાન શબ્દ 'કેરા'શબ્દ ઉપરથી આવ્યો છે.તેનો અર્થ થાય છે-જાહેર કરવું કે વાંચવું.સંસ્કૃત શબ્દ છે 'ક્રંદ'.અંગેજી 'ક્રાઇ'.અરબી શબ્દ 'કેરા'.કુરાનનો શાબ્દીક અર્થ છે-જાહેર થઇ શકે અથવા જાહેરમાં વાંચી શકાય તે,ધર્મગ્રંથ.

ઇસ્લામ પહેલા યહુદીઓ પોતાના ધર્મગ્રંથને'કરાહ'તરીકે ઓળખતા હતાં.યહુદીઓની ભાષા 'ઇબરાની' અને આરબોની ભાષા એકમેકને મળતી આવે છે.કરાહ અને કુરાનનો અર્થ સમાન છે .ખુદ કુરાનમાં પોતાના પહેલાના ધર્મોગ્રંથોને કુરાન નામ આપવામાં આવ્યુ છે.(૧૫-૮૦,૯૧)

મહમદ સાહેબ તથા બીજા સર્વે ઉપદેશો,વાતો તથા દતંકથાઓને 'હદીસ'કહેવામાં આવે છે.તે ઇશ્વરીય સંદેશ ગણવામાં આવતા નથી.

મહમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્રો,ચામડાના ટુકડાઓ કે લાકડાની પેટી કે પથ્થર પાટૉ પર ઉતારી લેવામાં આવતા હતાં.આ બધા ચર્મપત્રો કે તાડપત્રોને એક પેટીમા ખડકી દેવામાં આવતાં હતાં.એમાનાણ કેટલાક ભાગોને મહમદસાહેબની સુચના મૂજબ જુદી જુદી સુરાઓ(અધ્યાય)માં સાંકળી લેવામાં આવ્યા હતાં.

કુરાનમા કહેવામાં આવ્યુ છે કે,"અલ્લાહ ચાહે તો તે આયાતોને રદ કરી શકે છે અને લોકોના સ્મરણપટમાંથી ભૂંસી શકે છે.અથવા એનાથી વધુ સારી આયાતો મુકી શકે છે;કારણકે અલ્લાલાહ સર્વશકિતમાન છે."(૨-૧૧૦)

પેંગબર સાહેબની હયાતીમાં જ ૬૦ જેટલી આયાતો રદ થઇ હતી.કુરાનની આયાતો અને આપણા વેદોની ઋચા આમ જુઓ તો સમાન અર્થી છે.
પેંગબર સાહેબ પછી પહેલા ખલિફા અબુબક્ર સાહેબે પેટીમાં ભરેલા બધા ટૂકડાઓને અને અમુક કંઠસ્થ ભાગોને એકઠા કરીને ૧૧૪ સુરાઓનો સંગ્રહ તૈયાર કર્યો અને પેંગબર સાહેબની વિધવા હિફસા પાસે રાખ્યો.

આમાનાં કેટલાક ભાગોની નકલો બીજા પાસે પણ હતી.પરિણામ એ આવ્યુ કે મક્કા,મદિના અને ઇરાકમાં અન્ય કુરાન અસ્તિત્વમાં આવ્યા.છેવટે ત્રીજા ખલિફા ઉસામાએ જે આવૃતિ અબુબક્રએ તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત કરવામાં આવી.અન્ય પ્રાંતોમાં જે અન્ય કુરાન ઉપલબ્ધ હતાં તે પરત મંગાવીને રદ કરવામાં આવ્યા.(વિઝડમ ઓફ કુરાન.લે.મહમદ મુહતર પાસા.પાનાનં-૪૫)

આટલુ કર્યા પછી પણ આજે ૧૪૦૦ વર્ષ પછી સાત જાતના કુરાન ઉપલબ્ધ છે.ફર્ક માત્ર એટલો છે કે કોઇકમાં એક આયાતોની બે આયાતો કરવામાં આવી છે.એક કુરાનમાં ૬૦૦૦ આયાતો છે,એકમાં ૬૨૧૪,એકમાં ૬૨૧૯,એકમાં ૬૨૨૬,એકમાં ૬૨૨૫ આયાતો છે.પંરતુ લખાણ એનુ એ જ છે

નરેશ કે. ડૉડીયા

No comments:

Post a Comment