Monday, July 5, 2010

બંધ આપવાથી શું થશે?

મિત્રો, આ બંધ અને આંદોલનો શું ખરેખર અસરદાર સાબિત થશે? શું ખરેખર એની અસર થશે અને પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટશે?તમને શું લાગે છે?એવું નથી લાગતું કે આ માત્ર લોકોને ઉલ્લુ બનાવવાનો કીમિયો હોય?કદી પણ આવા આંદોલનોથી સરકારે ભાવવધારો પુરેપુરો પાછો ખેચ્યો છે?નાં... આમાં કદાચ થશે એવું... કે ૧ રૂપિયો ઘટાડશે... એ બતાવવા કે આપણા દેશમાં લોકશાહી છે.. અને લોકોએ કીધું એટલે અમે ભાવ ઘટાડ્યો...

પણ બીજા દેશો કરતાં ભારતમાં ભાવો કેમ વધારે છે એ આપણે વિચાર્યું છે કદી?ના... આમ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઇલના ભાવો ઘટી રહ્યા છે.. છતા પણ આપણે ત્યાં ભાવો ઘટવાને બદલે વધી રહ્યા છે...એનું કારણ શું હોઈ શકે?

જે પેટ્રોલ પાકિસ્તાનમાં ૨૬ થી ૩૦ રૂપિયાની વચ્ચે વેચાય છે તે આપણે ત્યાં ૫૫ રૂપિયે કેમ છે?(પાકિસ્તાન અહી પાત્ર ઉદાહરણ છે.. બીજા પણ ઘણા દેશો છે જેમાં ભારત કરતાં ૫૦ % થી પણ ઓછા ભાવે બળતણ મળે છે.) એનું કારણ છે ઓઈલ ક્મ્પનીઓના જલસાઓ... ઓઈલ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના મસમોટા પગારો અને ભારે-ભરખમ ભથ્થાઓ...

સરકાર એમ કહે છે કે ઓઈલ કંપનીઓને ખોટ જઈ રહી છે... પણ હમણાં જ છાપાંમાં હતું એમ..છેલ્લા ૫ વર્ષોમાં વાહનો વધ્યા છે અને એને લીધે બળતણની ખપત પણ... પછી ખોટ ક્યાંથી હોય?

આ બનાવતી ખોટ ઉભી કરી અને આપણને જનતાને ઉલ્લુ જ બનાવી રહ્યા છે...ઓઇલના સટ્ટોડીયાઓને જલસા છે... કંપનીઓને પણ જલસા છે...સરકારના નેતાઓને તો જલસા જ છે..

સંસદસભ્યોના ભથ્થાં વધશે... સરકારના કર્મચારીઓના માટે પગારપંચો આવે... ગમે તેમ કરીને સરકાર પોતાની તિજોરી ભરવા માટે ટેક્સના નિયમો આમથી તમે બદલે રાખે... નોકરિયાતો અને મહેનતથી ધંધો કરનારને હેરાન કરે...

ઓઈલ કંપનીઓના કર્મચારીઓના પગારો..એમના ઠાઠમાઠ .. એમને અપાતી રાહતો અને ભથ્થાં... એ કોઈ મોટા લાટસાહેબોથી કમ નથી...એ ખર્ચાઓને પોષવા માટે...એમની ઐયાશીઓને છાવરવા સરકાર પ્રજા સાથે રમત રમી રહી છે એવું નથી લાગતું?

આમ ને આમ પેટ્રોલ ના ભાવો આસમાને પહોંચી જશે... દર વખતે કોઈ ને કોઈ વિપક્ષ બંધ આપીને જનતાને ચુપ કરાવી દેશે...અને આપણે આમ જ મૂંગા મોઢે સહન કરતાં રહીશું?

સરકારને જો ખરેખર નુકસાન જતું હોય તો એણે પેટ્રોલનો ઉપયોગ ઘટાડીને વૈકલ્પિક ઉર્જાના સંશોધનને પ્રોત્સાહન આપવું ના જોઈએ? એ પણ એક ચાલ જ છે... તમે અત્યારે બજારમાં સોલાર એનર્જીનાં ઉપકરણોના ભાવ જોયા છે? ચોરસ ફૂટ પર ભાવ ગણે છે એવું સાંભળ્યું છે...

એ કેમ એટલું બધું મોંઘુ છે?કેમ? કારણકે... કેટલાક લોકો નથી ઇચ્છતા કે આપણે મફત મળતી સુર્યની શક્તિનો ઉપયોગ કરીએ...અને જખ મારીને પણ પેટ્રોલ જેવાં બળતણ જ વપરાય...જેથી કરીને પૈસા પડાવી શકાય...

જો ખરેખર પ્રજાનું ભલું કરવું હોય .. તો એવા રસ્તાઓ શોધો.. કે લોકોને ઉર્જા મફત મળે છે એનો ઉપયોગ થાય... ભારત જેવાં દેશ માટે સુર્ય ઉર્જા ૩૬૫ માંથી ૨૬૫ દિવસ થો હોય જ છે ને? તો કેમ એના ઉપકરણો સસ્તા નથી કરાતા?

જો ખરેખર એવું થાય તો સરકારને જે વીજળીના રૂપિયા મળે છે તેમાં ખાસ્સો ઘટાડો થઇ જાય ને દોસ્તો... તો પછી એ લોકોના જલસા ક્યાંથી ચાલે?તો પછી આ પગારપંચો, ભથ્થાઓ અને કહેવાતા 'સેટિંગ' કઈ રીતે પુરા થાય? એટલે જ તો વીજ-કંપનીઓને પણ છૂટછાટ આપી દીધી છે લોકોને લૂટવાની...

"જેમ ફાવે તેમ કરો... પણ અમારું કંઈક કરો..." જેવો ઘાટ છે આ તો... એક દિવસ તો આવશે જ.. જયારે સુતેલા લોકો જાગશે... પણ ક્યારે?ક્યાં સુધી?આમ જ ચાલ્યા કરશે? આ તો કોઈ રીતે દેશ આગળ ન આવે એવી ગોઠવણ થઇ કહેવાય...

અને  પેલું હમણાં smsમાં કહે છે તેમ,
" કે ambulance કરતાં pizza વહેલાં પહોંચે...
police કરતાં લોકો ગુરખા અને secutity ને બોલાવે..."
આપણે  વિચારવા જેવું કે નહિ...

1 comment:

  1. nice one parth... appreciate ur effort to wake up call 4 all...

    ReplyDelete