Friday, July 30, 2010

હાસ્ય: રાબડીદેવી યમલોકમાં ...

રાબડીદેવી ગુજરી ગયા અને યમલોકમાં ગયા. યમલોક્માં એક દિવાલ પર અસંખ્ય ઘડિયાળો ટીંગાયેલી જોઈને રાબડીદેવીએ યમરાજને પુછ્યુ કે આ ઘડિયાળો શેના છે?
યમરાજે કહ્યું આ ઘડિયાળો ખોટુ બોલ માપનાર યંત્ર છે. આ ઘડિયાળ ગાંધીજીની છે. તેનો કાટોં જરાય આગળ વધ્યો નથી.... આ ઘડિયાળ જવાહરલાલની છે જેનો કાટો ચાર પાંચ વાર જ ચાલ્યો છે. આ સાંભળી રાબડીદેવીએ પુછયું કે મારા લાલુપ્રસાદનું ઘડિયાળ ક્યાં છે?


યમરાજે જવાબ આપ્યો કે તેને તો અમારા ખંડમાં પંખા તરીકે વાપરીએ છીએ.:)

No comments:

Post a Comment