Thursday, June 3, 2010
દર્દ આપો તો ...
દર્દ આપો તો એની દવા પણ આપજો,
ભુલોની અમારી સજા પણ આપજો,
આંખોમાં આંશુ માટે જગા પણ આપજો,
અને આંશુ વહેતો એને વેહવાની રજા પણ આપજો!
ભુલોની અમારી સજા પણ આપજો,
આંખોમાં આંશુ માટે જગા પણ આપજો,
અને આંશુ વહેતો એને વેહવાની રજા પણ આપજો!
Wednesday, June 2, 2010
દરેક યાદ નો અર્થ ..
દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો..
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો...
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને...
બાકી દરેક "ના" નો અર્થ “ના” નથી હોતો!
જીવન - એક એવો દાખલો ...
જીવન એક એવો દાખલો છે જેને ગણવાની કોઇ યોજનાબધ્ધ રીત નથી.
જે બીજાને શીખવાડી શકાતો નથી કે બીજા પાસેથી શીખી શકાતો નથી.
દરેક માણસે પોતાનો દાખલો પોતાની રીતે જ ગણવાનો રહે છે.
Tuesday, June 1, 2010
ગુજરાતી-કછ્છી અમિતાભ...
આપણે બધા કદાચ જાણીએ જ છીએ કે અમિતાભ બચ્ચન ગુજરાત સરકાર માટે જાહેરાત માટે શુટિંગ કરી રહ્યા છે...હમણાં જ તેમણે કછ્છ્માં જઈને એકદમ દેશી પોષાકમાં ખૂબ સરસ ભાવ આપ્યા છે....
પ્રેમમાં ખેંચાણ છે ...
પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છુટવા માટે હજી દેખાય છે રસ્તા મને
હું તને જોતો તો દુનિયાને પછી જોતે નહીં
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને
હાથમાં આવી ગયું તું એમનું આખું જીવન
હું તો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને
મરીઝ - ગઝલની એક એવી મસ્જિદ...
મરીઝ ને કોણ નથી ઓળખતું? ઘણા દિવસે આ લેખ વાંચ્યો અને થયું કે તમને પણ જણાવું.
આ મોહબ્બત છે કે એની દયા કહેતા નથી
એક મુદત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી
જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી
લ્યો, નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી
એને તું સંયમ કહે, તારી કૃપા, કિંતુ અમે
મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી
એ જ લોકો થઈ શકે છે મહેફિલની આબરૂ
જેઓ વેરાનીને પણ સૂની જગ્યા કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી
મૂળ નામ અબ્બાસ વાસી. લોકો ઓળખે ‘મરીઝ’ને નામે. મરીઝ ગઝલની એક એવી મસ્જિદ છે કે જ્યાં તમામ ગઝલકારોને નમાજ પઢવાનું મન થાય. એ એક એવી પ્રતીતિ આપે છે કે એ ગઝલ લખતાં નહીં પણ જાણે કે ગઝલ કહે છે. ઉપરછલ્લી રીતે તદ્દન સરળ લાગે પણ કોઈ ગહન અર્થ લીલની જેમ લપાઈને બેઠો હોય.
મુશાયરામાં મરીઝને ચિક્કાર દાદ મળતી. એમના પઠનના કારણે નહીં પણ એમની ગઝલમાં શિખરની ઊંચાઈ અને ખીણના ઊંડાણને કારણે. શ્રોતાઓ અદબથી એમની ગઝલ સાંભળતા. સ્વભાવે બાળક જેવા સરળ. ગઝલ લખતાં જ એટલું નહીં કેટલાકને લખી આપતા એ જાણીતી વાત છે.
વધુ વાંચો @ દિવ્યભાસ્કર
Subscribe to:
Posts (Atom)
