Showing posts with label ઈતીહાસ. Show all posts
Showing posts with label ઈતીહાસ. Show all posts

Tuesday, January 8, 2013

ગુજરાતનો ઇતિહાસ - ધૂમકેતુની "ચૌલુક્ય નવલકથાવલિ"...

ગરવી ગુજરાત વિશેની ઐતિહાસીક પુસ્તકો ફંફોળતા પહેલી જ વખતે ધૂમકેતુનુ પુસ્તક હાથ લાગ્યુ, અને થયુ કે એમા સોલંકી કુળનો ઈતિહાસ છેક ૭-૮મી સદીથી જોવા મળૅ છે.  પછી તો એક પછી એક એમના પુસ્તકો વાંચવા શરુ કર્યા બાદ, થયુ કે એનો સાર અને પુસ્તક વિશે Review લખવો જેથી વાચકમિત્રોને પણ એક નવુ સારુ વાચન ધ્યાનમા આવે.

તેમનુ લખાણ આપણને દશ્યની છેક અંદર ડોકિયુ અને ઘટનાની રુબરુ ઝાંખી કરાવનારુ બની રહે છે. વાચકો તેને અંતરથી અનુભવી રહે અને પોતે નજરો નજર નીહાળી રહે, તેની પૂરતી કાળજી રાખીને તેમણે એક એક દશ્યનુ લેખન કર્યુ છે. પછી એ પાટણ નગરી હોય, ધારા નગરી હોય કે ભોજરાજની 'સરસ્વતીકંઠાભરણ' ની સભા હોય, આપણને સ્વપ્નમાથી જીવંત થઈને નજર સમષ ઊભી રહેલી જ દેખાય.
ધૂમકેતુ ચૌલુક્ય નવલકથાવલિમા સમાવિષ્ટ થતા પુસ્તકો નીચે પ્રમાણે છે.

૧. પરાધીન ગુજરાત
૨,3. મૂલરાજદેવ - અને
૪. વાચિનીદેવી
૫. અજિત ભીમદેવ
૬. ચૌલાદેવી
૭. રાજસંન્યાસી
૮. કર્ણાવતી
૯. રાજકન્યા
૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
14. રાજર્ષિ કુમારપાળ 
15. નાયિકાદેવી 
16. રાય કરણ'ઘેલો 

૧. પરાધીન ગુજરાત
૭-૮મી સદીમા ગુજરાતના પંચાસરનો રાજા જયશિખરિ, યુદ્ધમા પડે છે અને ગુજરાત પર દક્ષિણના રાજાનો રાજ જમાવે છે. એ વખતે રાજાના રખેવાળો અને સેનાપતિઓ કોઇ રીતે રાજકુમાર વનરાજ ચાવડાને બચાવે છે અને કેવી રીતે વનરાજ ચાવડો જંગલમા રખડીને પણ પોતાનુ રાજ પાછુ મેળવે છે એની વાત છે. એનો ખાસ મિત્ર, અને રાજમાતાની અંગત નારીદળની સેનાપતીનો પુત્ર અણહિલ (જે 'અણહિલ ભરવાડ' ને નામે પ્રચલીત થાય છે, ખરેખર રાજ્પૂત જ હોય છે). વનરાજ યુદ્ધ જીત્યા પછી પોતાના નહિ પણ અણહિલના નામે સરસ્વતી નદીને કાંઠે એક નગર વસાવે છે, જેને "અણહિલપૂર પાટણ" એવુ નામ અપાય છે.

૨,3. મૂલરાજદેવ - અને
ચાવડા વંશજ વીર ચાપોત્કટ (ચાપ+ઊત્કટ=ધનુર્વિધ્યામા નીપુણ, ચાવડા બાણાવળી કહેવાતા..), તેનો ભાણેજ એ મૂલરાજ સોલંકી જે મામાને ત્યા રહીને ઉછરે છે. મામો પાટણનુ રાજ તો ચલાવે છે, પણ રાજા તરીકે પોતાની ફરજો પ્રત્યે સભાન નથી. મૂલરાજ્દેવ મામા સામે યુદ્ધ કરી અને પ્રજાને ખાતર તેનો વધ કરીને પાટણનુ રાજ પોતે લે છે અને પાટણને સમર્થ બનવવા પ્રયત્નો કરે છે. નડૂલની રાજકુમારી માધવી, ખેરાલુનો રાણો જેહુલ અને બીજા પાટણપ્રેમી ચાવડાઓ તેને સાથ આપે છે. તે માધવી સાથે લગ્ન કરે છે.

પાટણનુ નવુ-સવુ રાજ્ય, એનો નાનો એવો વિસ્તાર પણ મૂલરાજદેવ ખૂબ મહત્વાકાંક્ષી હોય છે. તેને હરાવવા તૈયાર બેઠેલા કચ્છનો લાખો ફુલાણી અને જુનાગઢ્નો ગ્રાહરિપુ (તે વખતનો જુનાગઢ્નો રા'). મૂલરાજદેવ સાહસ પર સાહસ કરે છે, સાંભરરાજને તત્કાલિક પોતાની મુત્સદીગીરી અને સાહસિકતાથી મનાવી, તે યુધ્ધ પાછુ ઠેલી એકીસાથે ફુલાણી અને ગ્રાહરિપુ (જે બન્ને એકબીજાના ખાસ મિત્રો હોય છે અને યુધ્ધના જ શોખીન હોય છે.) સાથે દ્વંદયુધ્ધ કરે છે. બન્નેને હરાવે છે, ફુલાણીને હણે છે અને રા' ને વશ કરે છે. 

તેનો પાટવી ચામુંડરાજ, જે ગજશાસ્ત્રનિપુણ છે, યુધ્ધમા અદભૂત શૌર્ય બતાવે છે. એ સાથે જ પાટણનુ મહત્વ, જવાબદારી અને દુશ્મનો વધે છે. વિસ્તારની સાથે સાથે પાટણને કુનેહ પણ રાખવી પડે છે કારણ કે હજુ તો માંડ પહેલુ પગલુ, જ્યા એ કોઇ મોટા રાજ્ય સાથે યુધ્ધ વિચારી જ ન શકે.

મૂલરાજ સિધ્ધ્પુરમા રુદ્ર્મહાલય બંધાવે છે અને અંતે મૂલરાજદેવને પોતાના મામાની હત્યા દેખાતા પ્રાયશ્ચિત સ્વરૂપે અગ્નિસ્નાન (દર્ભાસન પર બેસી ઘી થી સ્નાન કરી પધ્માસનમા બેસીને પગના અંગુઠેથી અગ્નિને પ્રવેશ કરાવે) કરે છે.

૪. વાચિનીદેવી
વાચિનીદેવી અને ચામુંડરાજ, મૂલરાજદેવના બે સંતાનો છે. અહી કેવી રીતે વાચિની પોતાના ભાઈને પાટણની પ્રજા અને મહત્તા ખાતર એક નર્તિકાની પાછળ ન પડીને રાજકાજમા ધ્યાન આપવા સમજાવે છે. છેવટે, તેના સઘળા પ્રયત્નો વ્યર્થ જતા તે ચામુંડને પદભ્રષ્ટ કરી, ભત્રિજા દુર્લભરાજને રાજ સોંપે છે તેની વાત છે. તે બતાવે છે કે રાજનીતીને ખાતર સંબંધો પણ ભૂલવા તે તૈયાર છે અને પાટણથી ઉપર કોઇ નથી.  

અહી નાગદેવ, યોગરાજ અને દુર્લભરાજ ચામુંડના ત્રણ પુત્રોનો પ્રવેશ થાય છે, નાગદેવનો પુત્ર જ ભીમદેવ જે ખૂબ સાહસીક છે. પાટણના ભવિષ્યના અમાત્ય દામોદર પણ અહી જ સોમનાથથી પાટણમા આવીને પોતાનુ મહત્વ વધારે છે, પાટણ અને એની પ્રજા માટે જ નહી કે પોતાના અંગત સ્વાર્થ માટે.

૫. અજિત ભીમદેવ
દુર્લભરાજ સન્યસ્ત લે છે, ભીમદેવ ગાદી પર આવે છે. પણ એ સાહસીક ભીમદેવના માથે કાળી ટીલી જેવો આઘાત થાય છે જ્યારે મહમ્મુદ ગઝની ગુજરાત પર યુધ્ધ લાવે છે. ભીમદેવ સોમનાથમા નીડર બનીને યુધ્ધ આપે છે,પણ વિધાતાની રીત કે તેને પોતાના લોકોને બચાવવા અને ફરી પાટણને સમર્થ કરવા પોતાની ઈચ્છા વિરુધ્ધ સંતાવુ પડે છે.આસપાસના રાજ્યો-માળવા, લાટ(ભરુચ પછીનુ ગુજરાત), અર્બુદમંડ્લ (આબુ), શાકંભરી વગેરેથી સંભાળીને ભીમદેવ ગઝનીને હંફાવવાનુ નક્કી કરે છે

૬. ચૌલાદેવી
પાટણનો રાજા ભીમદેવ, ગઝનીને હંફાવી પોતાનુ સ્થાન મજબૂત કરવાની તૈયારીઓ કરે છે. તેનો મંત્રી દામોદર કુનેહથી પાટણને આગળ વધારવાના રસ્તાઓ શોધે છે, માળવાના ભોજરાજને હંફાવવા માટે યુક્તિઓ બનાવે છે. આબુ, નડૂલ અને લાટને વશમા કરે છે.  ભીમદેવ ચૌલાદેવી નામની નર્તિકાના પ્રેમમા છે અને દામોદરે એને રા' ની દીકરી ઉદયમતી સાથે પરણાવે છે. ભીમદેવ ચૌલાને મહારાણી બનાવે છે પણ ચૌલા પાટણ માટે પોતાના વારસો ગાદી નહી સ્વીકારે એવુ વચન આપે છે. એ ચૌલા પાટણ માટે મોટુ બલિદાન આપે છે એ વાત બહુ ઉંડાણથી વણી લેવાઈ છે.

૭. રાજસંન્યાસી
ભીમદેવના કાકા, દુર્લભરાજનો સહારો લઈને ગઝનીને ભોળવી તેને પાછો વાળવા ભોમિયા આપે છે જે ખોટા રસ્તે લઈ જાય છે. ભોમિયાઓ ગુજરાતને માટે મરી ફીટે છે અને ભીમદેવ ગઝનીના સૈન્યને હંફાવે છે. ગઝનીના ગુજરાતમા કાયમી પોતાનુ થાણુ અને ખંડિયુ બનાવતા અટકાવે છે ત્યારે ભીમદેવનો જયજયકાર થઈ રહે છે. દામોદર ચેદિ સાથે સંધી કરે છે અને માળવાને એ બધાના સાથથી હરાવે છે. ચેદિથી ડર્યા વગર એ તેમા પોતાનુ અને પાટણનુ મહત્વ સ્થપિત કરે છે.

૮. કર્ણાવતી
ચૌલ્ક્ય પરંપરા મુજબ ભીમદેવ સન્યસ્ત લે છે. તેની પાછળ દામોદર પણ સન્યસ્ત લઈ અને બધો કારભાર સાંતુ મહેતાને આપવાનુ નક્કિ કરે છે. પણ જતા પહેલા તે રાજસિંહાસનનો વારસ નક્કી કરે છે. ભીમદેવના બે પુત્રો, ઉદયમતીનો કર્ણદેવ અને ચૌલાદેવીનો ક્ષેમરાજ. ભીમદેવ ક્ષેમરાજને પરંપરા મુજબ રાજ આપે છે પણ ઉદયમતી પોતાના પુત્રને રાજા ઝંખે છે. કર્ણદેવ મોટાભાઈને જ રાજ આપવા કહે છે, પણ ક્ષેમરાજ પોતાના મા-વિહોણા પુત્ર દેવપ્રસાદને મુકીને સન્યસ્ત લે છે. અંતે દામોદર વિદાય લે છે અને સાંતુ મહેતા અમાત્યપદ સ્વિકારે છે. કર્ણદેવ રાજા બને છે અને કર્ણાવતી નગરીના બીજ રોપાય છે. તે વખતે આશાભીલનો ત્રાસ વધતો જાય છે,છેક સ્તંભતીર્થના (ખંભાત) દરિયાથી લઈ, સાબરમતીના જંગલો સુધી તેનો ત્રાસ રહે છે.

૯. રાજકન્યા
કર્ણદેવ પાટણનો રાજા છે. લાટ, માળવા અને કર્ણાટકનુ ભડકેલુ જણાય છે. સાંતુના ધ્યાનમા ગોપકપટ્ટનની (ગોવા) કુમારી (મિનળદેવી) આવે છે, જે કર્ણાટકના મંડલેશ્વર છે. સાંતુ પોતાના માણસોને ત્યા મોકલે છે અને મીનળદેવીને કર્ણદેવ અને ગુજરાત વિશે વિચારવા પ્રેરિત કરે છે. સોમનાથ પ્રત્યેની ભક્તી અને કર્ણદેવને મનથી વરી ચુકેલી મીનળ પાટણ આવે છે. તેને જોતા કર્ણદેવનુ મન દુભાય છે અને લગ્ન કરવાની ના પાડે છે. છેવટે બન્નેના લગ્ન થાય છે પણ કર્ણદેવ મીનળને બદલે નર્તિકામા પ્રેમ રાખે છે. કર્ણદેવ આશાભીલને નાથવા જાય છે પણ આશો ભાગી જાય છે, દેવપ્રસાદ કર્ણદેવનો ખડેપગે પ્રતિહારિ રહે છે. અંતે, કર્ણદેવ અને મીનળનુ મિલન થાય છે અને તેમને ત્યા ચક્રવર્તિ પુત્ર જન્મની આગાહી  સાચી પડવાની રાહ જોવાય છે.

૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ અને મીનળનો પુત્ર સિધ્ધરાજ જયસિંહ ગાદી પર આવે છે. કર્ણદેવે કર્ણાવતી નગરની (હાલનુ અમદાવાદ)સ્થાપના કરી દીધી છે, જ્યા પહેલા આશાભીલનુ નગર હતુ ત્યા સાબરમતીને કિનારે. તે વખતે બર્બરક પોતાનો આતંક મચાવી રહ્યો છે. જુનાગઢનો રા' નવઘણ અને બર્બરક મળેલા હોય છે અને પાટણની વિરુધ્ધ ષડયંત્ર રચીને જયસિંહને હરાવવા ઈચ્છે છે. જયસિંહની દાદી, રાણી ઉદયમતીનો ભાઈ મદનપાલ બર્બરક સાથે મળેલો છે તે ખબર પડતા જયસિંહ મદનપાલને જનોઈવઢ કાપી નાખે છે અને એનો અંત આણે છે. આ વાત જાણતા નવઘણ આકળો થઈ જાય છે અને પાટણની વિરુધ્ધ પડે છે. જયસિંહ સાંતુ, મીનળ અને મંત્રીમંડળની સમજાવટ છતાં પોતાનો માર્ગ સ્પષ્ટ બતાવે છે કે તે જુનાગઢ, લાટ, માળવા કોઇથી ડરશે નહી અને સદા યુધ્ધ માટે તૈયાર છે.  જયસિંહ પાટણથી ભાગી રહેલા નવઘણને પકડે છે અને તેને બંધનમા મુકી દે છે, પણ તે જેમ-તેમ કરીને ભાગી જાય છે પણ પકડાઈ જાય છે.

તે દરમિયાન, બર્બરકની મેલી વિધ્યા વિશે સાંભળીને જગદેવ પરમાર મદદે આવે છે જે મહકાલીની ઉપાસનાથી 'અજિત્તાસિધ્ધી કંકણ' મેળવે છે જે જયસિંહ નજરોનજર નિહાળે છે. 'અજિત્તાકંકણ સિધ્ધી'ની ઉપાસના નજરે જોનાર પણ અજેય થઈ જાય છે એ જયસિંહ જાણે છે. બર્બરક સામે મલ્લ્યુદ્ધ કરીને જયસિંહ બર્બરકને વશ કરે છે અને તેનો વધ ન કરતા તેની પાસેથી આજીવન પોતાનો મદદગારને અનુચર બનવાનુ પાણિ લેવડાવે છે. ત્યારથી જયસિંહ 'બર્બરકજિષ્ણુ' ની ઉપમા પામે છે.

નવઘણનો દીકરો, રા' ખેંગાર પ્રતિજ્ઞા કરે છે  કે તે ચાર પ્રતિજ્ઞા પાળશે,
- પાટણનુ નાક કાપશે
- ભોયરાનો ગઢ ભાગશે.
- પાટણનો દરવાજો તોડશે
- મહીડાને મારશે.
ખેંગાર આ ચારેય પ્રતિજ્ઞા પૂરી કરે છે અને દેવડાની પુત્રી દેવડી, સોનલ દે, ને ભગાડી જાય છે. આ દેવડીને જયસિંહ પણ ઝંખતો હોય છે. દેવડી જુનાગઢ્ના રાણક સાથે રાણકની રાણી 'રાણક દેવી' બને છે. અને અહીંથી યુધ્ધની રણભેરી વાગે છે.

૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ ખેંગાર સામે જુનાગઢ યુદ્ધ લઈને જાય છે, એની વિશાળ સેના સામે કોઇ ટકી શકે તેમ નથી પણ જુનાગઢનો અજીત દુર્ગ વર્ષો સુધી ટકી શકે છે એ તેને ખબર પડતા સમય લાગે છે. સોમનાથની સાક્ષીએ એ પ્રજામા રહેલો રા' પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ નિહાળે છે, પોતે રા' ને સમજાવે છે પણ રા' માને એવો નથી. રા' ની બહેન લીલી બા અને ભાણેજ પર સિધ્ધરાજ જયસિંહ અને મુંજાલ મહેતાની નજર છે.

રા' ને તો કોઈ વસ્તુનો ભય નથી એ એને સમજાય છે એટ્લે એ ખેંગારના ભાણેજ દેશળ-વિશળ ને સામ-દામથી વશ કરી દુર્ગમા દાખલ થવાનો માર્ગ ગોતાવી લે છે. જુનાગઢના અજેય દુર્ગને આ ભારે પડી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ દુર્ગમા પ્રવેશી ખેંગારને દ્વંદયુધ્ધ આપે છે. ખેંગાર હારી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ એને બંધક બનાવે છે.

સિધ્ધરાજ જયસિંહ રાણકદેવીને પાટણ લઈ જવાનુ ગોઠવે છે, પણ રાણકદેવી વગર રા' દેહ છોડે છે. તે સિધ્ધરાજ જયસિંહને પણ ગમતુ નથી, અને રા' ની પાછળ રાણકદેવી સતી થાય છે.

૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ હવે 'બર્બરકજિષ્ણુ' અને 'ત્રિભુવનગંડ' કહેવાયો છે, અને હવે તે પોતે અવંતિનાથ થવાના સ્વપ્ન જોઈ રહ્યો છે. અહી હવે બે પ્રશ્નો ઉભા છે,
- સિધ્ધરાજ જયસિંહનો વારસ કોણ, કોણ આ મહાન પરંપરા અને પાટણના રાજ્યને સંભાળી શક્શે?
- અવંતિને (માળવા) કેવી રીતે હરાવવુ?

ઉત્તરાધીકારી તરીકે સિધ્ધરાજ જયસિંહનો ભત્રીજો કુમારપાળ (ભીમદેવની બીજી રાણી ચૌલાદેવીનો પુત્ર ક્ષેમરાજ, તેનો દેવપ્રસાદ, તેનો ત્રિભુવનપાલ અને તેનો કુમારપાળ) જ છે અને સિધ્ધરાજ જયસિંહને પોતે પુત્ર જ નથી. સિધ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી અજમેરના આનકરાજ સાથે પરણી છે, તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ (પ્રુથ્વીરાજ ચૌહાણ તે આ સોમેશ્વરનો પુત્ર છે.) અને કુમારપાળ બે વચ્ચે ગાદીનો પ્રશ્ન છે. 

આનકરાજ પાટણ પોતાના પુત્રને મળે તેવી ઈચ્છા ધરાવે છે અને ઉદયન મહેતા, કાક ભટ્ટ, ક્રુષ્ણરાજ વગેરે કુમારપાળના પક્ષના. ત્યા વળી ત્રિજો જણ નિક્ળ્યો, સિધ્ધરાજ જયસિંહના ભુવનેશ્વરી નામની એક નર્તિકા સાથેના સંબંધ તરીકે તેનો પુત્ર ચારુભટ્ટ (ત્યાગભટ્ટ પણ કહેવાય છે) જે ગજશાસ્ત્રમા નિપુણ છે.

સિધ્ધરાજ જયસિંહ ત્યાગભટ્ટ સાથે કાંતિનગરી જઈ માળવાનો દક્ષિણી દરવાજો તોડવા માટે વિશાળકાય હાથી લઈ આવે છે, ત્રણ હજાર હાથીઓમાથી ત્યાગભટ્ટ શ્રેષ્ઠ હાથીને પસંદ કરી લે છે અને તેના સહારે અવંતીનો દ્વાર તોડે છે. ઘોર યુધ્ધ થાય છે, સોલંકી અને પરમાર યોધ્ધાઓ શોણિતભીના શરીરમા થતા દુખ ભૂલીને અંતિમપળ સુધી લડે છે પણ અવંતિવિજય કરીને સિધ્ધરાજ જયસિંહ પાટણ પાછો ફરે છે, અવંતીના રાજા યશોવર્મા અને તેના પુત્ર જયવર્માને કેદ કરી સાથે લાવે છે.

કુમારપાળ ભાગતો ફરે છે કારણકે કાકા સિધ્ધરાજ જયસિંહને તે ભાવતો જ નથી. હજુ પણ ઉત્તરાધીકારીનો પ્રશ્ન તો એમ નો એમ જ છે, કારણ કે રાણી લક્ષ્મીદેવી ત્યાગભટ્ટ્ની વાત ઉદયન મહેતા દ્વારા જાણે છે અને તેનો વિરોધ કરે છે. હજુ તેને અને સિધ્ધરાજ જયસિંહને આશા છે કે સોમનાથ ભગવાનની ક્રુપાથી તેમને ત્યાં પણ પુત્ર થશે જ...

૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામે છે...રાજાના મૃત્યુથી શોકગ્રસ્ત અને નિસહાય-નિરાધાર, કદાચ અનાથ કહો તો પણ અતિશયોક્તિ નથી, થયેલી પાટણ નગરી અને એના પ્રજાજનો નજર સમક્ષ ઉભા રહે છે. સાથે જ એ ચિંતા પણ છે કે સિદ્ધરાજ જયસિંહ જેવા, સાક્ષાત વીર વિક્રમના બીજા અવતાર સમા મહાન, રજાનો વારસો કોણ આગળ વધારશે અને કોણ આ મહાન ગુર્જરદેશને આસપાસના રાજ્યોથી રક્ષણ આપીને ટકાવી શકશે?

સિદ્ધરાજ જયસિંહના વારસદારોમાં ત્રિભુવનપાલના ત્રણ પુત્રો, યશપાલ-મહિપાલ અને કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહનો પ્રપન્ન પુત્ર ત્યાગ્ભટ્ટ, સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર ચૌહાણ છે.

સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી એમની પાદુકાઓ સિંહાસન પર મુકેલી છે અને નવો વારસ નક્કી કરવા રાજ્સભાનું આહવાન થાય છે. કુમારપાળને રોકવાના અથાક પ્રયત્નો છતા કુમારપાળ ત્યાં આવે છે અને ઉદયનની મદદથી રાજા બને છે.

આનક રાજ સામે યુદ્ધ થાય છે એમાં કુમારપાળ વિજેતા થાય છે. અજમેર હારે છે અને પાટણ જીતે છે. આનક રાજની પુત્રી જલ્હણા સાથે કુમારપાળના બીજા લગ્ન થાય છે અને પાટણની સત્તા મજબૂત બને છે, સ્થિર રહીને કુમારપાળ એને આગળ ધપાવશે એવી પટ્ટણીઓને ખાતરી થાય છે.

14. રાજર્ષિ કુમારપાળ
કુમારપાળ પાટણમાં રાજય કરે છે. પણ તેના ભત્રીજા અજયપાલ સાથે આંતરિક ઘર્ષણને લીધે પાટણમાં એક જાતની ભયંકર પરિસ્થિતિ ઉભી થાય છે જેનો લાભ દુશ્મનો કોઈ પણ ક્ષણે ઉઠાવી શકે છે. અહી ઉદા મેહતા કુમારપાળને મદદ કરે છે અને ઘર્ષણ અટકવાના બધા ઉપાયો કરે છે.

અહી જ ગુરુ હેમચંદ્રાચાર્યનો પ્રવેશ થાય છે. મંત્રી અને શ્રેષ્ઠીઓનો આગ્રહ રાજા અમારિ (પશુ પક્ષીઓનો વધ, મધ્ય-માંસ વગેરે અટકાવવું) ઘોષણા કરે એવો છે અને એ રીતે જૈન ધર્મ પ્રબળ બને એમ તેઓ ધારે છે, પણ ગુરુ એમ થતું અટકાવે છે અને ધીરે ધીરે લોકોના મન-મસ્તિષ્કને સમજાવે છે. અહી કુમારપાલના બે ધર્મો વચ્ચે પોતાના રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે, પાટણ ટકે એ માટેનાં પ્રયત્નો ખુબ સરળતાથી સમજાય છે.

છેવટે રાજા દોહિત્ર પ્રતાપમલ્લ, જે રાજા થવા નથી ઈચ્છતો, એની બદલે ભત્રીજા અજયપાલને જ રાજ સોંપવાની વાત વિચારે છે.

15.નાયિકાદેવી 
કુમારપાળનો ભત્રીજો અજયપાલ રાજા બને છે. અહી એ સ્પષ્ટ નથી કે કુમારપાળ કેવી રીતે મૃત્યુ પામે છે, પણ એવું જણાય છે કે  અજયપાલે તેને હણ્યો હશે કારણકે કુમારપાળ જૈન ધર્મ માટે થઇને પાટણમાં ફેરફારો કરે છે જે આપણે આગળ જોયું.

કુમારપાળના મૃત્યુનો બદલો લેવા તેના સેવકો અજયપાલને હણી નાખે છે. અજયપાલના બે પુત્રો, મૂળરાજ અને ભીમદેવ, વ્યાકુળ થઇ ઉઠે છે. ભીમદેવ પિતાનો બદલો લેવા કઈ પણ કરવા તૈયાર છે પણ નાયીકાદેવી તેને સમજાવે છે, રોકે છે અને પાટણની દોર પોતાના હાથમાં લે છે.

તે સમયે પાટણના સામંતો અને માંડલીકો ફાયદો ઉઠાવવા તૈયાર છે, પણ નાયીકાદેવી રાજનીતિ જાણે છે માટે કોઈ ચસકી શકતા નથી.

અચાનક, મુલતાનથી ગર્જનક (શાહબુદ્દીન ઘોરી) આવી રહ્યો છે એવા સમાચાર મળે છે અને ગુજરાતના ગુપ્તચરો એની ખબર કાઢવા ચાલી નીકળે છે. અજમેર જઈને તેઓ ગર્જનકની ખબર આપે છે અને એનો રસ્તો કયો છે તેની ભાળ મેળવી લે છે. પાટણનો ભીમદેવ અને અજમેરનો પૃથ્વીરાજ ગર્જ્નક સામે લડવા તૈયાર છે.

નાયીકાદેવી પોતે પાટણના સૈન્યને યુદ્ધમાં દોરે છે, ગર્જ્નક સામે ભયાનક યુદ્ધ થાય છે. પૂરતી તૈયારી અને સાહસી સેનાના ભયંકર આક્રમણથી ગર્જ્નાકની સેના હારી જાય છે અને ભાગે છે.

છેવટે નાયીકાદેવી વિચાર કરે છે, કે તેના પછી તેના પુત્રોની જોડે કોણ ઉભું રે'શે? કોણ પાટણની દેખભાળ કરી શકે એવું છે અને કોણ આવડું મોટું રાજ્ય સાચવીને રક્ષણ કરશે? કોણ ભારતવર્ષની આ સરહદનો પેહરેગીર બનશે અને ગુજરાત દેશનો સીમાડો સાચવશે? મૂળરાજ બીમાર છે અને ભીમદેવ જ રાજા બનશે, પણ ભીમદેવની રણઘેલી યોધ્ધાની મહત્વાકાંક્ષા પાટણને ક્યાં સુધી સાચવી શકશે એ ચિંતા એના મનમાં ઘર કરી ગઈ છે, એ રાજનીતિમાં કેવી રીતે ટકશે એ પ્રશ્ન એને સતાવે રાખે છે.

16. રાય કરણ'ઘેલો

Tuesday, July 20, 2010

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

માણસની ઉત્પતિથી લઇને અત્યાર સુધી માણસ લડતો આવ્યો છે.જીવવા માટે લડે છે.સત્તા માટે લડૅ છે.જમીન માટે લડે છે.રાજ્ય અને દેશ માટૅ લડે છે.જોરુ માટે લડે છે.સંપતિ માટે લડે છે...સતત એક પ્રકારની લડાઇ કોઇને કોઇ સમયે લડતો રહે છે.

સતત લડવું એ કંઇ સુખનુ ઝરણૂ તો નથી જ ?માનવીને લડાઇના માર્ગેથી પાછો વાળવા માટે કોઇ એક સમર્થ કારણ હોવુ જરૂરી છે અને આ સમર્થ કારણ સમજાવી શકે એવા સમર્થ માણસની જરૂર પડે છે.આ લડાઇના ફાયદા અને ગેરફાયદા સમજાવી શકે એવા વિધવાન માણસની જરૂર પડે છે.

પરિણામે દરેક યુગમાં દરેક જગ્યાએ એક મહાન માણસનો ઉદય થતો રહ્યો છે.આ મહાન માણસોના ઉપદેશ થકી સમાજમાં અજંવાળુ ફેલાય છે.તેના આપેલા ઉપદેશોનો એક ગ્રંથ બને છે.કાળક્રંમે આ ગ્રંથ અમુક સમુહ માટે ધર્મગ્રંથ બની જાય છે.પરિણામે એક નવા પંથનો ઉદય થાય છે.

ખ્રિસ્તીઓનું બાઇબલ,હિંદુઓના અનેક ધર્મગ્રંથો,મુસ્લિમોનું કુરાન,યહુદીઓનુ તૌરાત,પારસીઓનું ઝંદ-અવેસ્તા જેવા અનેક ધર્મોના ધર્મગ્રંથો દુનિયાભરમાં અસ્તિત્વમાં આવ્યા.

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

ઇસ્લામમાં મઝહબનો અર્થ થાય છે,'માર્ગ'.જે રસ્તો સૌવની ભલાઇનો છે તે જ સાચો ધર્મ (માર્ગ) છે.

કુરાનમાં કહેવામાં આવ્યુ છે,"તમે સૌવ મનુષ્ય એક જ પ્રજાના છો,અને એક જ પ્રભુ તમારો માર્ગદર્શક છે,તેથી તેની પુજા કરો.લોકો એ પોતપોતાના અલગ વાડા બાંધ્યા છે,પણ સૌવને એક જ પ્રભુ પાસે જવાનું છે." (આમ્બિયા,૯૨-૯૩)

એક વાર કોઇએ પેંગબર સાહેબને પુછયુ કે "ધર્મ એટલે શુ?".એટલે પેંગબર સાહેબે જવાબ આપ્યો કે,"ધીરજથી સહન કરવુ અને બીજાઓનું કલ્યાણ કરવું તે ધર્મ."(અહમદ)

ધર્મનું કામ શું છે?મનુષ્ય માત્રને આપસની ફુટથી,લડાઇ ઝઘડાથી તથા ટંટાફસાદથી બચાવે;તેમને કુંટુબીજનોની જેમ પ્રેમના દોરે બાંધી રાખે;તેમનો સારો મનમેળ રાખે,વ્યવાહર કરવાનો,રહેણીકરણીનો અને જીવન ગુજરાવાનો ઢંગ શીખવે એવો પંથ.

દુનિયામાં છ મોટા ધર્મ છે અને તેમના ધર્મ ગ્રંથ આ મુજબ છે.હિંદુઓના ઋગવેદ તથા ઉપનિષદ તથા અંસખ્ય ધર્મગ્રંથો.યહુદીઓનો તૌરાત.પારસીઓનો ઝંદ અવેસ્તા.બૌધ્ધ લોકોનો ત્રિપિટક.ઇસાઇઓનો બાઇબલ અને મુસ્લિમોનો કુરાન.

આ છ ધર્મગ્રંથોનું બારીકીથી વાંચન કરો તો તેમા લખેલી વાતો મૂળભૂત રીતે એક સમાન લાગશે અને ક્યાંક કયાંક તો કથા,વાર્તા,પ્રંસગો અને ભાગો મળતા આવે છે.

હિંદુઓનો ઋગવેદ બધા ધર્મોમાં સૌથી જુનામાં જુનો ગ્રંથ છે અને છેવટનો ધર્મગ્રંથ કુરાન છે.

કુરાનના અન્નુર અધ્યાયમાં સ્તુતિઓ વાંચતાં ઋગવેદની કેટલી સ્તુતિઓનો આભાસ થયા રાખે છે.

કુરાન ઇશ્વરનું છેવટનું સ્વરૂપ કે નામ 'અલ્લાહ'છે.જ્યારે ઋગવેદમાં ઇશ્વરના અનેક નામોમાંથી એક નામ એક નામ 'ઇલ'છે.જે સંસ્કૃતમાં 'ઇલ'ધાતુ ઉપરથી નીકળે છે અને તેનો અથ થાય છે-ભજવુ કે પુજવુ.એવો અર્થ થાય છે.ઋગવેદમાં એક અધ્યાય 'સુક્ત ઇલા'ના નામે છે.

આજથી લગભગ છ હજાર વર્ષ પહેલા જે સુમેરિયન સંસ્કૃતિના લોકો તેમની ભાષામાં ઇશ્વરને 'ઇલ'ના નામે સંબોધન કરતી હતી.

મૌલાના આઝાદે રચેલ 'તરજુમાનુલ કુરાન'માં લખ્યુ છે કે કલદાની ભાષામાં અને સુરિયાની તથા અન્ય પ્રાચિન ભાષામાં ઇશ્વરના નામો મળતા આવે છે.જેમ કે કલદાનીમાં 'ઇલ્લાહીયા' અને ઇબરાનીમાં 'ઇલોહી' વગેરે.

જ્યારે ઇસાને શુળીએ ચડાવવામાં આવ્યા ત્યારે તેમના મુખમાંથી 'ઇલોહી' 'ઇલોહી'જેવાં શબ્દો નીકળ્યા હતાં(હે મારા ઇશ્વર , હે મારા ઇશ્વર).

કુરાનમાં જે રબ શબ્દ જેના ઉપરથી આવ્યો છે તે ઋગવેદમા "રૈ" છે."રૈ" એટલે કે જે આખી દુનિયાને પાળે છે.

કુરાનમાં 'અમને સન્માનના માર્ગે લઇજા' એ પ્રાથના આ રીતે છે,'એહ દેન્સ્સેરાતલ મુસ્તકિમ' છે.જ્યારે ઋગવેદમાં 'અગ્ને નય સુપથા'છે.


એ જ રીતે ઇશ્વર એક છે તે કુરાનમા લખેલુ છે-વહદુહુલાશરિકલહુ.અને વેદોમાં લખેલુ છે-એકમેવાદિતિયમ.

શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યુ છે કે,"જે માણસ ફાવતે રસ્તેથી ચાલીને ઇશ્વરને મેળવવાની કોશિશ કરે છે તેને ઇશ્વર એ જ માર્ગે મળે છે."

પારસી ધર્મગ્રંથમાં જરથુષ્ટ્રે કહ્યુ છે કે,"દુનિયામાં આજ પહેલાના ધર્મોને માનયી છીયે.એ સર્વે ભલાઇ તરફ લઇ જનારા છે."

ચીનનો મોટૉ જનસમુહ બૌધ્ધધર્મી છે.તેઓ પહેલેથી હિંદુસ્તાનના ભગવાન બુધ્ધ અને ચીનનાણ મહાન ધર્મગુરૂઓ લાઓત્સે અને ફુંગફુત્સેને માને છે.

ફુંગફુત્સેએ કહ્યુ છે કે,"હું પહેલાની વાતોને આગળ ચલાવી રહ્યો છું.હું કશું જ નવું કે નવી વસ્તું બતાવી શકતો નથી."

જ્યારે બુધ્ધે કહ્યુ છે કે,"મારા પહેલા કેટલાય બુધ્ધો આવ્યા અને મારા પછી પણ આવશે.હું પુરાણા પ્રકાશને જ પાથર્રી રહ્યો છું."


જ્યારે કિતાબ વાયેઝ તૌરાતમાં લખ્યુ છે કે,"આ સર્વ અમારા પહેલાથી ચાલતુ આવે છે અને દુનિયામાં કોઇ ચીજ નવી નથી."

કુરાનમાં પેંગબર સાહેબ કહે છે કે,"હું જુના ધર્મોના કે તેઓના પેંગબરોના ઉપદેશોને નાશ કરવા નથી આવ્યો,પરંતુ હું તેની પૂર્તિ કરવા આવ્યો છું."

એક શેર છે..

ફકત તફાવત નામકા હૈ
દરઅસ્લ સબ એક હી હૈ
જો આબે સાફીકી મૌજમે હૈ
ઉસીકા જલવા હુબાબમે હૈ.

(હે દોસ્તો,માત્ર નામનો જ ફર્ક છે.મુળમાં સર્વે એક છે.જે સ્વચ્છ પાણીની લહેરોમાં છે.તેનો જ જગમગાટ પરપોટામાં દેખાય છે.)

ગીતા અને કુરાન વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.આર્યવ્રતમાં કૌરવો અને પાંડવો એક જ કુંટુંબના હતાં અને એક જ દાદાના પૌત્રોઆ હતાં.લડાઇ લડનારા એક જ કુટુંબના હતાં.એ જ પ્રમાણે કુરાનમાં અરબદેશના પ્રખ્યાત કુંટુંબ'કુરેશ'ના સંતાનોની લડાઇની વાતો છે.એક રીતે જોઇએ તો કુરુવંશ અને કુરેશ વંશ વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.

'કૌરવ'શબ્દ કુરુના નામ ઉપરથી આવ્યો છે અને ઇરાનના એક ગ્રંથમાં પણ કૌરુશ અને કુરુ બંને શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે.ઇરાન પ્રખ્યાત શહેનશાહ 'કૌરુશ'જેનું અંગેજોએ વિકૃત સ્વરૂપ 'સાઇરશ'કરી નાંખ્યુ છે.જેનું અસલ નામ કૌરુશ છે.

આ એક ઐતહાસિક સમાનતા છે.મહાભારતના 'કુરુ'.અરબસ્તાનના 'કુરેશ'અને ઇરાનના કૈરુશ.

જે રીતે કૌરવોએ પાંડવો ઉપર કાળૉ કેર વર્તાવ્યો હતો,તેમની મિલકત પડાવી લીધી હતી,પાંડવોને એમના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં,ઝેરે આપવાની કોશિશ કરી હતી....એ જ રીતે કુરેશોએ મહમદ પેંગબર સાહેબને તથા એમના સગાઓને તથા એમના અનૂયાયીઓને મક્કામાંથી હાંકી કાંઢવામાં આવ્યા હતાં.

પેંગબર સાહેબને મક્કામાંથી એટલા માટે હાંકી કાંઢવામાં આવ્યા હતા કે એમને અંસંખ્ય દેવદેવીઓની પૂજા બંધ કરાવીને ફકત એક જ ઇશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો.

કારણકે એ પહેલા મક્કામાં મૂર્તિઓની પૂજા થતી હતી.કાબામાં હજારો ર્વષ જુનું મંદિર હતું અને એ મંદિરના પૂજારીઓ કુરેશો હતાં.કુરેશો સતત તેર વર્ષ સુધી પેંગબર સાહેબ તથા એમના અનૂયાયિઓ ઉપર જુલ્મ વર્ષાવતા રહ્યાં.

છેવટે પેંગબર સાહેન મક્કા છોડીને મદિના ચાલ્યા ગયાં.

મક્કામાં બાકી રહી ગયેલા પેંગબર સાહેબના સગાઓ અને અનુયાયીઓ ઉપર કુરેશોએ જુલ્મ વર્તાવવાનું ચાલુ રાખ્યુ.છતાં પણ કુરેશોનું પેટ ન ભરાયુ એટલે કુરેશોએ એક મોટુ લશ્કર બનાવીને મદિના ઉપર જ્યાં પેંગબર સાહેબે આશરો લીધો હતો ત્યાં ચડાઇ કરી.

આ લડાઇ પહેલા પેંગબર સાહેબનો ઉપદેશ હતો કે ,"બીજાના જુલ્મોને ધીરજથી અને શાંતિથી સહન કરી લેવા તથા બુરાઇઓનો બદલો ભલાઇથી આપવો.(હામીમ,૩૪-૩૬)

જ્યારે કુરેશોએ પહેલી વખત મદિના ઉપર ચડાઇ કરી ત્યારે કુરાનમાં પહેલી વખત તલવાર ઉપાડવાનું ફરમાન કરવામાં આવ્યુ.

ફરમાન આ રીતે લખેલુ છે,"લડાઇ માટે આપના ઉપર ચડાઇ કરવામાં આવી છે.જેનાં કારણે મારા અનુયાયીઓ ઉપર સંકટ આવી પડયુ છે.આ કારણસર મારાં અનુયાયીઓને લડાઇ લડવાની પરવાનગી આપુ છું.કારણકે આ નિર્દોષ લોકો ઉપર જુલ્મ છે.અને અલ્લાહ આપણી મદદ માટે પુરતા છે.અને આ ફરમાન એવા લોકો માટે જ છે,જેઓને પોતાના ઘરમાંથી હાંકી કાંઢવામાં આવ્યા છે.કારણકે આ લોકો એવું માને છે કે અલ્લ્લાહ એક જ છે....(હજ્જ,૩૯-૪૦)

જ્યારે ગીતાના (૧-૩૬) અને મનુસ્મૃતિમાં નરાધમ માટે "આતતાયી" જેવો શબ્દપ્રયોગ થયો છે,એટલે કે એવા લોકો જેઓ ઝેર ખવડાવે છે,લૂટ કરે છે,આગ લગાડે છે,અને એના જેવા અધમ કૃત્યો કરે છે.ટુકમા અત્યારે જે કૃત્યો આંતકવાદીઑ કરે છે.

મનુસ્મૃતિમાં આગળ લખે છે,"જો સામેથી આતતાયી આવતો હોય તો બીજો કશોય વિચાર કર્યા વિના આતતાયીને મારી નાંખવો જોઇએ."

ગુજરાત પોલીસે જે રીતે શાહબુદિન જેવા આતતાયીઓને મારી નાંખ્યા તે મનુસ્મૃતિ મૂજબ ધાર્મિક કાર્ય કહેવાય....???

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,"તારા હ્રદયની દુર્બળતા છોડીને ઉભો થા,અને યુધ્ધ કર.આ દુર્બળતા તને શોભતી નથી."(૨-૩૭)

જે રીતે પાંડવો અને કૌરવોના યુધ્ધમાં કાકા.મામા,સસરા તથા સગાસંબધી સામસામા લડાઇમાં ઉતર્યા હતાં.તે જ રીતે મદિનાનાં યુધ્ધમાં સગાસંબધીઓ સામસામા આવી ગયા હતાં.કારણકે મક્કામાં જે અનુયાયી પેંગબર સાહેબ સાથે જોડાયેલા હતા તેઓના સગાઓ સામા પક્ષે હતાં.

કુરાનમાં મુસ્લિમોને કહેવામાં આવ્યુ કે,"જે લોકો ઇશ્વરના રસ્તે ચાલતા લડાઇમાં મરી જશે તો જન્ન્તને પામશે અને જીતશે તો અલ્લાહ મોટૉ બદલો આપશે."

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,"જો તું લડાઇમાં માર્યો જઇશ તો સ્વર્ગને પામશે અને લડાઇ જીતશે તો આ પૃથ્વીનું રાજય તને ભોગવવા મળશે."

ગીતામાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"જનસમાજને અંધારામાંથી અંજવાળઆ તરફ લઇ જાય છે."(૧૦-૧૧)

કુરાનમાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"તે લોકોને અંધારામાંથી પ્રકાશ તરફ વાળે છે.(બકરહ,૨૫૭)

તો ઉપનિષદોમાં લખ્યુ છે કે,"તમસોમાંજ્યોતિર્ગમય"..એટલે કે ઉંડા અંધારેથી પ્રકાશ તરફ લઇજા.

પેંગબર સાહેબની પ્રાથના છે કે,"હે અલ્લાહ,અમને પ્રકાશ આપ."

ગીતામાં ઇશ્વરને વિશ્વ્તોમુખમ-એટલે કે સર્વ તરફ મુખ વાળૉ કેહેવામાં આવ્યો છે.

કુરાનમાં લખ્યુ છે કે," તમે જે તરફ વળૉ તે તરફ અલ્લાહ છે."

ગીતામાં ઇશ્વરને 'સર્વલોક મહેશ્વરમ'કહેવામાં આવ્યુ છે તો કુરાનમાં 'રબ્બુલઆલમિન્'(ફાતેહા-૧)એટલે કે સર્વલોકના માલિક કહેવામાં આવ્યુ છે

ગીતામાં ઇશ્વર માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો અન્ય કોઇ નથી."(૧૧-૪૩)

કુરાનમા અલ્લાહ માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો બીજો કોઇ નથી(એખલાસ-૪)

કુરાન શબ્દ 'કેરા'શબ્દ ઉપરથી આવ્યો છે.તેનો અર્થ થાય છે-જાહેર કરવું કે વાંચવું.સંસ્કૃત શબ્દ છે 'ક્રંદ'.અંગેજી 'ક્રાઇ'.અરબી શબ્દ 'કેરા'.કુરાનનો શાબ્દીક અર્થ છે-જાહેર થઇ શકે અથવા જાહેરમાં વાંચી શકાય તે,ધર્મગ્રંથ.

ઇસ્લામ પહેલા યહુદીઓ પોતાના ધર્મગ્રંથને'કરાહ'તરીકે ઓળખતા હતાં.યહુદીઓની ભાષા 'ઇબરાની' અને આરબોની ભાષા એકમેકને મળતી આવે છે.કરાહ અને કુરાનનો અર્થ સમાન છે .ખુદ કુરાનમાં પોતાના પહેલાના ધર્મોગ્રંથોને કુરાન નામ આપવામાં આવ્યુ છે.(૧૫-૮૦,૯૧)

મહમદ સાહેબ તથા બીજા સર્વે ઉપદેશો,વાતો તથા દતંકથાઓને 'હદીસ'કહેવામાં આવે છે.તે ઇશ્વરીય સંદેશ ગણવામાં આવતા નથી.

મહમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્રો,ચામડાના ટુકડાઓ કે લાકડાની પેટી કે પથ્થર પાટૉ પર ઉતારી લેવામાં આવતા હતાં.આ બધા ચર્મપત્રો કે તાડપત્રોને એક પેટીમા ખડકી દેવામાં આવતાં હતાં.એમાનાણ કેટલાક ભાગોને મહમદસાહેબની સુચના મૂજબ જુદી જુદી સુરાઓ(અધ્યાય)માં સાંકળી લેવામાં આવ્યા હતાં.

કુરાનમા કહેવામાં આવ્યુ છે કે,"અલ્લાહ ચાહે તો તે આયાતોને રદ કરી શકે છે અને લોકોના સ્મરણપટમાંથી ભૂંસી શકે છે.અથવા એનાથી વધુ સારી આયાતો મુકી શકે છે;કારણકે અલ્લાલાહ સર્વશકિતમાન છે."(૨-૧૧૦)

પેંગબર સાહેબની હયાતીમાં જ ૬૦ જેટલી આયાતો રદ થઇ હતી.કુરાનની આયાતો અને આપણા વેદોની ઋચા આમ જુઓ તો સમાન અર્થી છે.
પેંગબર સાહેબ પછી પહેલા ખલિફા અબુબક્ર સાહેબે પેટીમાં ભરેલા બધા ટૂકડાઓને અને અમુક કંઠસ્થ ભાગોને એકઠા કરીને ૧૧૪ સુરાઓનો સંગ્રહ તૈયાર કર્યો અને પેંગબર સાહેબની વિધવા હિફસા પાસે રાખ્યો.

આમાનાં કેટલાક ભાગોની નકલો બીજા પાસે પણ હતી.પરિણામ એ આવ્યુ કે મક્કા,મદિના અને ઇરાકમાં અન્ય કુરાન અસ્તિત્વમાં આવ્યા.છેવટે ત્રીજા ખલિફા ઉસામાએ જે આવૃતિ અબુબક્રએ તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત કરવામાં આવી.અન્ય પ્રાંતોમાં જે અન્ય કુરાન ઉપલબ્ધ હતાં તે પરત મંગાવીને રદ કરવામાં આવ્યા.(વિઝડમ ઓફ કુરાન.લે.મહમદ મુહતર પાસા.પાનાનં-૪૫)

આટલુ કર્યા પછી પણ આજે ૧૪૦૦ વર્ષ પછી સાત જાતના કુરાન ઉપલબ્ધ છે.ફર્ક માત્ર એટલો છે કે કોઇકમાં એક આયાતોની બે આયાતો કરવામાં આવી છે.એક કુરાનમાં ૬૦૦૦ આયાતો છે,એકમાં ૬૨૧૪,એકમાં ૬૨૧૯,એકમાં ૬૨૨૬,એકમાં ૬૨૨૫ આયાતો છે.પંરતુ લખાણ એનુ એ જ છે

નરેશ કે. ડૉડીયા

Monday, July 19, 2010

કાશ્મીર સ્વતંત્ર થાય તે હિંદ માટે સૌથી મોટી લપડાક હશે !

કાશ્મીર હિંદુસ્તાનનું અ વિભાજય અંગ છે.હિંદુ રાષ્ટ્રનું શીર છે.આજે કાશ્મીરનો માંમલો જવાહરલાલ નહેરૂં ની નાદાનીના કારણે જગબત્રીસીએ ચડી ગયો છે.કાશ્મીરનો ઇતિહાસ ઘણું બધું કહી જાય છે.પુરાણોમાં કાશ્મીરનો ઉલ્લેખ જોવાં મળે છે.

કહેવાય છે કે બ્રહ્માંના પુત્ર મરીચિના પુત્ર કશ્યપે વરાહમૂલ(આજનું બારામુલા)પાસે પહાડ કાપીને તેમાંથી પાણી નીકળી જવાનો માર્ગ કર્યો હતો.અને કાશ્મીરની ખીણનુ પાણી નીકળી જતાં ત્યાં કશ્યપે બ્રાહ્મણોને વસાવ્યા હતાં.આજે પણ કાશ્મીરનુ ખીણનું પાણી વહીને જેલમનદી વાટે બારામુલા પાસેથી બહાર નીકળીને પાકિસ્તાન જાય છે.

ઇતિહાસના કહેવા મૂજબ ગાંધાર(આજનુ અફઘાનીસ્તાન)નો સમાવેશ પણ કાશ્મીરમાં થયો હતો.સમ્રાટ અશોકે કાશ્મીર અને ગાંધારમા બૌધ્ધધર્મના ફેલાવા માટે ધર્મગુરૂઓને ત્યાં મોકલ્યા હતાં.અશોકના અવસાન પછી વેદધર્મને પુનર્જીવન મળ્યું.કુશાન રાજ્યમાં બૌધ્ધધર્મનો અભ્યુદય થયો પણ છેવટે કાશ્મીરમાં વેદધર્મનું જ વર્ચસ્વ રહ્યું હતું.

ઇ.સ.સાતમી સદીમાં મહાનચીની યાત્રિક હ્યુ યાન ત્સાંગ કાશ્મીરમા આવ્યા ત્યારે નોંધ્યું હતું કે કાશ્મીરમાં પંજાબ અને ગાંધારનો સમાવેશ થતો હતો.આજે પણ કાશ્મીરમાં અંનતનાગ,બ્રિજવિહાર,માંર્તડ અને પટ્ટન વગેરે સ્થળોએ પાંચમીથી સાતમી સદી વચ્ચેનાં મોટા ખંડેરો મોજૂદ છે...

ત્યારે હિંદુ રજાઓની જાહોજલાલી હતી,વેદ અને બૌધ્ધ બંને ધર્મ સહુષ્ણુતાથી પાંગરતા હતાં.

ઇ.સ.૧૦૦૦થી મહમદ ગઝનીને હિંદનાં મુસ્તાકોના કાંગરા ખેરવવાની શરૂઆત કરી ત્યારે લગભગ ૨૨ આક્રમણો કર્યા હતા..પણ કાશ્મીરના હિંદુ રાજાઓએ ગઝનીનો ગજ વાગવા દીધો નહોતો.સમય જતાં પંજાબ અને અફઘાનીસ્તાન વગેરે મુસ્લિમ આક્રમણખોરોના હાથમાં જતાં અને ઉતરી હિંદુસ્તાન સુધી મુસ્લિમ આક્રમણ ખોરોનો પગપેસારો થતાં છેવટે ૧૩૯૬માં આમીરશાહ નામના અફઘાની મુસ્લિમ આક્રમણખોર સામે કાશ્મીરના રાજા ઉદયનદેવ ટકી ના શક્યો અને ઉદયનદેવનો વધ કરીને શમ્સુદીન નામ ધારણ કરીને કાશ્મીરની ગાદી ઉપર ચડી બેઠૉ.

એ પછી કાશ્મીરમાં હિંદુઓને બળજબરીથી નાપાક મુસલમાન બનાવવાનું શરું થયું.ત્યાં વિરાટ હિંદુમંદિરોને ધ્વસ્ત કરવાનું એક વ્યવસ્થિત અભિયાન શરૂ થયું.મોટાપાયે હિંદુ ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો.

પંડિત નહેરુંના કહેવા મૂજબ લગભગ ૯૫ ટકા વસતિ મુસ્લિમ બની ગઇ હતી.જો કે ઘણાખરા લોકોએ હિંદુઓના રીતિરીવાજો જાળવી રાખ્યા હતાં.પંડિત નહેરું આગળ લખે છે કે ૧૯મી સદીના અધવચ્ચે હિંદુ શાસન લાગુ પડતાં ત્યાંના એક મુસ્લિમ સમૂદાયે ફરીથી હિંદુ ધર્મ સ્વિકારવાનું નક્કી કર્યુ ત્યારે કાશ્મીરી પંડીતોએ એક વાર મુસ્લિમ બન્યા પછી ફરીથી હિંદુ બની શકે નહી એક કહીને આ માંગણીનો રાજા મારફત અસ્વિકાર કરાવ્યો.

વિજયગુપ્ત મોર્ય આ બનાવના સંદર્ભે લખ્યું છે કે,"આપણા દેશના હિંદુઓની અને ખાસ કરીને બ્રાહમણોની ટૂકી દર્શ્ટિના કારણે અને જડમાનશના કારણે દેશને કેટલુ મોટુ નુકશાન થયું તેનો આ ફકત એક જ દાખલો છે."

હવે આગળની વાત ઉપર આવીયે.એ પછી ૧૪મી સદીમાં કાશ્મીર ઉપર સિકંદર નામનો મુસ્લિમ આક્રમણખોર ચડી આવે છે.સિકંદર કટ્ટર ધર્મઝનૂની હતો.એના શાસનકાળ દરમિયાન એટલા મોટા પાયે હિંદુ મંદિરો અને ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો હતો..આ કાર્યને લીધે સિંકંદરને 'બૂતશિકત'(મૂર્તિભંજક)નું બિરુદ આપવામાં આવ્યુ હતું.

ઇ.સ.૧૫૨૬માં બાબરે દિલ્હીમાં મોગલ સલ્તનતનો પાયો નાંખ્યો ત્યારે ઉનાળામાં મોગલોને બહુ આકરો લાગતાં હવાફેર તેને કાશ્મીર જોઇતું હતું,પણ છેવટે ૧૫૮૬માં મોગલોના હાથમાં કાશ્મીરનો કબજો આવે છે

એ પછી છેક ૧૮મી સદીના ઉતરાર્ધમાં અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને શીખવિગ્રહનો લાભ લઇને શીખસત્તા તોડી પાડી.એના બદલામાં ઇસ્ટ લિન્ડિયા કંપની દુલિપસિંહ નામના શીખ રાજા પાસે એક કરોડ રૂપિયા અને પંજાબનો વિશાળ પ્રદેશ માંગ્યો.શીખો એક કરોડ રૂપિયા આપી શક્યા નહીં.આ સમયે રણજિતસિંહના ડોગરાનાં વંશજ ગુલાબસિંહે અંગેજોને ઓફર મુકી કે લાહોરના શીખ રાજા દુલિપસિંહનો એક કરોડ રૂપિયાનો દંડ હું ભરી આપુ એના બદલામાં મને જમ્મુ કાશ્મીરનો રાજા બનાવો.કારણકે એ સમયે શીખોના વિશાળ સામ્રાજય બીયાસથી સિંધુ નદી સુધી વિસ્તરેલો હતું.તેમાં જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાનનો વિશાળ ભાગ આવી જતો હતો.

છેવટે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમત્વ હેઠળ ૧૬ માર્ચ ૧૮૪૬ના રોજ કરાર મૂજબ ગુલાબસિંહ જમ્મુ અને કાશ્મીરના રાજા તરીકે નિમણૂક પામ્યા.રાજા ગુલાબસિંહે પાછળથી તિબેટ અને લડાખ પણ જીતી લીધા.છેલ્લી એક મુસ્લિમ સત્તા સ્કાર્દુમાં હતી એ પણ ગુલાબસિહે જીતી લીધી.એક વર્ષની અંદર જમ્મુ કાશ્મીર ઉપર પોતની સત્તા જમાવી દીધી.

છેવટે આઝાદી મળી ત્યાં સુધી કાશ્મીર ઉપર હિંદુઓનું શાસન રહ્યું.છેલ્લા રાજા હરિસિંહને આઝાદીના સમયે સ્વાયત કાશ્મીરનું દુસ્વપન આવ્યું,એ પછી નહેરું અને માઉન્ટ બેટની જોડીએ કાશ્મીરના અસ્તિત્વ ઉપર પ્રશ્નઅર્થ મુકી દીધો અને હજુ પણ યુનો આ પ્રશ્ન એમ ને એમ પડેલો છે.

હવે મુસ્લિમસતાની વાત ઉપર આવીયે.દુનિયાના દરેક દેશોમાં જ્યાં જ્યાં મુસ્લિમ શાસન છે.ત્યાની પ્રજાનું ધર્માતંર કરીને મુસ્લિમ બનાવવામાં આવી છે.તુર્કીમાં ઓટૉમાન તુર્કનું શાસન લાગુ પડતા બધા ઇસાઇઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યાં.બોલ્કન દેશો જેવા કે યુગોસ્લાવ્યા,સર્બિયા વગેરે.ત્યાંની મુળ પ્રજા ઇસાઇ હતી તેને મુસ્લિમ બનાવ્યા.હિંદુસ્તાનમાં જેટલા મુસ્લિમ છે તે બધાનું મુળ તો હિંદુ છે..ફકત અરબસ્તાની દેશોમાં જ અસલ મુસલમાન છે.

આપણે હિંદુઓ આપણા પૂર્વજોની જયગાથા થાકતા નથી.હિંદુસ્તાનથી ચાર હજાર કિ.મી.દુર અરબસ્તાનથી વીસ-પચ્ચીસ હજારનું સૈન્ય લઇને આવેલા અરબસ્તાની બાદશાહો વિશાળ હિંદુસ્તાન ઉપર શાસન કરી ગયાં.

એ આરબોએ કોઇ ગેબી સુચનાથી લશ્કરો બનાવ્યાં.હજારોની સંખ્યામાં અરબી નશલનાં ઘોડા પર ખેલનારા યોધ્ધાઓ તૈયાર કર્યા.ખૈબર,વાયા પંજાબ..એ આવ્યા.ઘોડાઓના ડાબલાઓના અવાજથી હિંદુસ્તાનની ધરતી ગાજી ઉઠી.એ જ રસ્તો.જ્યાંથી દરિયાવુશ,સાયરસ,કેમ્બેસિસ,સિંકદર,સ્કીધ્યન આવ્યા હતાં.ભગવદગીતા અને મહાભારતના યુધ્ધોના ઇતિહાસ પર મુસ્તાક હિંદના ખેંરખાઓના પાણી ઉતારી નાંખ્યાં.શસ્ત્રોને પૂજનારાના મુંછોના આંકડા નીચા થઇ ગયાં...

હિંદુસ્તાનની ભૂમિ ઋષીમૂનિઓ,સાધુંસંતો,યોગીઓની ફસલ માટે ફળદ્રુપ બનતી ગઇ.આ ભૂમિ પર યોધ્ધાઓની ફસલ પાકવાની બંધ થઇ ગઇ.અહિંસાવાદી પુરુષોની મબલખ ફસલ પાકતી ગઇ પરિણામે આવનારી પ્રજા પર આ અસર જોરદાર લાગુ પડતી ગઇ.નેપોલિયન,દરિયાવુશ,સાયરસ,હિટલર,મુસોલિની,ગઝની જેવા યોધ્ધાઓની ફસલ માટે હિંદુસ્તાનની ભૂમિ બંજર સાબિત થઇ.દુશ્મનની તલવારની ધાર સામે અહિંશાના ઉપદેશ આપતું પુસ્તક ઢાલ તરીકે વાપરવાનું હિંદુઓને ભારે પડયું.પરિણામે હિંદુઓના કાંડા કપાય ગયાં..

આપણૅ હિંદુઓ મહાભારત અને રામાયણના યુધ્ધોની જયગાથા ગાતા થાકતાં નથી.એક વખતનૉ લડાયક યોધ્ધો છેલ્લા બારસો વર્ષોમાં નબળૉ પડતો ગયો.શસ્ત્રોને પુજનારાઓના શસ્ત્રો બુઠા થઇ ગયાં. અલગ અલગ પંથો બનતાં ગયાં.અહિંશાવાદી,ધાર્મિકતત્વોની સુખાકારી અસર,ઐયાસવૃતિ વધતી ગઇ.કામશાસ્ત્રમાં પ્રવિણતા આવી ગઇ અને યુધ્ધશાસ્ત્રમાં નપુંશક્તા આવતી ગઇ.દશેરા ફક્ત રામને ખુશ કરવાં માટે ઉજવવાના છે.

અધુરામાં પુરૂં જવાહરલાલ અને માઉન્ટબેટનના કારણે ૩૭૦ની હિંદુસ્તાનને ખતરારૂપ કલમ મળી તે નફામાં.આ કલમ હિંદુસ્તાનના દરેક નાગરીકને એક જોરદાર તમાચારૂપ છે.આજે કાશ્મીરીઓ સ્વતંત્ર કાશ્મીરની માંગણી કરે છે તે તદન ગેરવ્યાજબી છે.પારકી ભૂમિ ઉપર રચાયેલી દરેક મુસ્લિમ સલ્તનતમાં અંદરોઅંદરની લડાઇઓ અને ટુકી બુધ્ધિના કારણે વહીવટ ખોંરભે ચડ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણી નજર સામેના દાખલા છે...

૩૭૦ની કલમ માટે જો કોઇ દોષીત હોય તો જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં.

જ્યારે શેખ વીલા મોઢે નહેરુ પાસે પાછા ગયા ત્યારે નહેરુએ બિટીશકાળના બાહોશ સનદી અધિકારી ગોપાલસ્વામી આંયગર ઉપર દબાણ કરીને બંધારણ સભામાં આ મુસદો રજુ કરાવ્યો.

એ તો ઠીક..તે સમયે મૌલાના આઝદ જેવા મુસ્લિમ નેતાએ પણ આ મુદદ્દાનો સખત વિરોધ કર્યો હતો.મૌલાનાએ પોતાની દલીલ રજુ કરતા કહ્યુકે,’આ આખી કલમ કાશ્મીરને દેશથી જુદુ પાદી દેશે.જોકે આ જ દલીલ સરદાર પટેલે પણ નહેરુની સામે ઉચ્ચારી હતી.

એ સમયે બંધારણના સભ્યોનો વિરોધ શાંત કરવા નહેરુએ કહ્યુકે,’આ કલમની જોગવાય કામચલાઉ ધોરણે છે.’

પરંતુ આજ સુધી નહેરુના વારસદારો ઇન્દિરાથી લઇને સોનીયા સુધી કોઇએ પણ આ કામચલાઉ જોગવાય દુર કરવાની હિંમ્મ્ત કરી નથી.

આઝાદીના સમયથી આજ લગી કોંગેશની નીતિ..”ગાય મારીને કુતરાને ધરાવવાની રહી છે.”

સરદાર પટેલ પછી કોંગેશમાં મર્દ નેતાની ફસલ પાકવાની બંધ થઇ ગઇ છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં ૮૦ટ્કાની બહુમતીની સામે ૧૨ટકાની લધુમતી ભારે પડે છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં મહિલાના કાયદાઓ મહિલાની જાતિને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે.

નહેરુના પાપે દેશની જનતાને કાશ્મીરના કારણે આવતો બોજો ભોગવવો પડે છે.

દેશની મહેનતકશ જનતાની પસિનાની કમાણીમાંથી આપણે રૂપિયા ૮૭૫/-એક કાશ્મીરીના માથાદીઠ ચુકવીયે છીયે.

૩૭૦ની કલમ હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીક માટે તમાચા રૂપ છે.અને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે

આપને બધાને જાણીને નવાઇ લાગશે કે જમ્મુ-કાશ્મીરના નાગરીકોને અલગ નાગરીકતાનો દરજ્જો પણ હાંસિલ છે.કાશ્મીરને સ્ટેટ સિટિઝનશીપ પણ નહેરુના પાપે મળી છે.એ જ રીતે દેશના તમામ રાજયો માટે હિંદુસ્તાનનો તિરંગો રાષ્ટ્રધ્વજ છે,જ્યારે કાશ્મીરનો પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ છે જે આપણા તિંરગાની સાથે લહેરાવવામાં આવે છે,જે હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીકોના ગાલે કારમી લપડાક છે.છેલ્લા થોડા વર્ષોથી હિંદના લશ્કરની મદદ વિના કાશ્મીરમાં આપણૉ તિરંગો પણ લહેરાવી શકતા નથી..રહી મુદાની વાત કાશ્મીરનો એક પણ મુસ્લિમ બચ્ચો “જયહિંદ” બોલતો નથી કે આપણૂ રાષ્ટ્રગીત “વંદે માતરમ” ગાતો નથી.જે માણસ હિંદુસ્તાનની જનતાની પસીનાની કમાણીમાંથી રૂપિયા ૮૭૫/-ચુકવાય છે..

એક આશીકમિજાજી અને હાથમાં ગુલાબ લઇને ફરનારા શાયરદિલ ઇન્સાનની નાસમજ અને નાદાનિયતની કિંમત આજે આમ હિંદુસ્તાની નાગરીક ચુકવી રહ્યો છે.

આજે બાળાસાહેબ અને રાજ ઠાકરે દ્વારા ચાલતી મરાઠી મુહિમનો વિરોધ કરવાં કોંગેશ સહિત બધા રાજકિય પક્ષો લાગી પડ્યા છે.ગાઇ વગાડીને કહે છે કે મુંબઇ દેશના દરેક નાગરીકો માટે છે.

પણ..જમ્મુ-કાશ્મીર માટે વાત જુદી પડે છે.કાશ્મીરમાં દેશના કોઇ બીજા રાજયનો માણસ નોકરીની અરજી સુધ્ધા કરી શકતો નથી,કારણકે કાશ્મીરમાં બીનકાશ્મીરી સિવાય કોઇને અરજી કરવાનો હક્ક જ નથી.

૩૭૦ની કલમની બીજી એવી અનેક જોગવાઇઓ છે જે દેશના સાચા નાગરીકો માટે કુઠરાઘાત સમાન છે.

જો કોઇ કાશ્મીરી કન્યા અન્ય હિંદુસ્તાની સાથે લગ્ન કરે તો ક્ન્યા તેની બાપીકી મિલકત્તમાંથી આપોઆપ બે-દખલ થઇ જાય છે.પરંતુ જો આ જ કાશ્મીરી કન્યા કોઇ પાકિસ્તાની નાગરીક સાથે શાદી કરે તો પાકિસ્તાની પુરુષને આપોઆપ હિંદુસ્તાનનું નાગરીકત્વ મળી જાય છે.

એ જ રીતે જો કોઇ કાશ્મીરીને દેશમાં કોઇ પણ રાજ્યમાં મિલકત ખરીદવી હોય તો ખરીદી શકે છે,પણ દેશના કોઇ પણ રાજયનો માણસ કાશ્મીરમાં મિલકત ખરીદ કરી શકતો નથી.

એ જ રીતે દેશના તમામ રાજયોનું બંધારણ એક જ છે,પણ કાશ્મીરનું બંધારણ પોતાનું જુદુ છે.રહી મહત્વની વાત..કાશ્મીરમાં જે કોઇ વ્યકિત ગવર્નર તરીકે જાય છે,એ વ્યકિત કાશ્મીરની વિધાનસભાની ચુંટણીમાં મત આપી શકતો નથી.

આવી જ એક આઘાતજનક એક વાત છે..હિંદુસ્તાનની સંસદ જે કાયદાઓ બનાવે તે આખા દેશને લાગુ પડે છે પરંતુ કાશ્મીર આ કાયદાઓ ત્યારે જ લાગુ પડી શકે જ્યારે રાજયની વિધાનસભા આ કાયદાઓને મંજુરી આપે.

હવે હિંદુસ્તાનના દેશપ્રેમી નાગરીકો આ તો હજુ પાશેરામાં પહેલી પુણી છે.જો હવે આપણે નહી જાગીયે તો સરકાર છાનેખુણે કાશ્મીરને ક્યારે પાકીસ્તાનને હવાલે કરી દેશે એ ખબર પણ નહીં પડે.

નહેરુની ગુસ્તાખીની સજા આપણે નિર્દોષ હિંદુસ્તાની નાગરીકો ક્યાં સુધી સહન કરીશું..?

સમય છે સાથે મળીને દેશના સાચા અને દેશપ્રેમી નાગરીકોએ ભેગા મળીને એકસુરમાં આ
આપણા ગાલ ઉપર લપડાક સમી ૩૭૦ની કલમનો વિરોધ કરવાનો..

કાશ્મીર સ્વતંત્ર થાય તે હિંદ માટે સૌથી મોટી લપડાક હશે !

જયહિંદ


નરેશ કે. ડૉડીયા

Friday, June 18, 2010

કેવા હતાં એ મિત્રો : પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટ...


પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટ...

આ વાર્તાથી કોણ અજાણ હશે?તમે ઘરડાંઓનાં મોઢે ઘણી વાર સાંભળી હશે...

મહોમ્મદ ઘોરી એ તેની સામે ૧૭ વખત ચડાઈ કરી હતી...

રાજાએ તેને ૧૬ વખત યુધ્ધમાં હરાવ્યો અને દરેક વખતે એ ક્ષત્રિયની યુધ્ધનીતીને ધ્યાનમાં રાખીને તેને મુક્ત કરી દેતો... (બાપુ ખરાને.. એટલે જીવનદાન આપી દે'તા..)

રાજાનો ખાસ મિત્ર, ચંદ બારોટ હતો..જે તેનો ખાસ સલાહકાર પણ હતો...

એવું કહેવાય છે કે જ્યારે પણ રાજ યુધ્ધ કરવા જતો ત્યારે ચંદ બારોટ્ની સલાહ લેતો...

ચંદ બારોટને માં શક્તિનો સાથ હતો... જ્યારે તે માં ની સ્તુતી કરીને પોકાર કરતો ત્યારે તેની જોડે માં સાક્ષાત વાત કરતાં (માં ચામુંડા કે માં હરસિધ્ધિ એમાં મને દ્વિધા છે)

દરેક વખતે તે માં ની રજા લેતો યુધ્ધ માટે અને તો જ રાજા ને જવા દેતો...અને રાજા વિજયી થઈને જ આવતો...

૧૭ મી વખતે જ્યારે ઘોરીએ ચડાઈ કરી,અને ચંદ બારોટે માં ની આજ્ઞા માંગી તો માં એ તેને નકાર ભણ્યો...

ઘણી વાર થઈ પણ એને રજા ન જ મળી... એ દિવસ રાજાની હાર નક્કી હતી...

બારોટે રાજને ના પાડી..પણ ક્ષત્રિય પોતાનો ધર્મ જીવના જોખમે પણ ના છોડે... રાજા પોતાના નિર્ણયથી જરાય વિચલીત ન થયો.

એને મોતની પરવા કર્યા વિના યુધ્ધમાં ઝંપલાવ્યું અને ઘોરીએ આ વખતે રાજાને હરાવ્યો...

ઘોરી મોગલ હતો...તેણે રાજાની ઊદારતા ન યાદ રાખી...ઊલટું રાજાને કેદ કરીને બંદી બનાવ્યો...

તેણે રાજાને કહ્યું,

" હે પૃથ્વીરાજ..તું રજપૂત હોઈશ...તારા ભારતમાં દુશ્મનને પણ માન આપીને છોડી મૂકાય છે...

મને નથી સમજાતું એ...પણ મારા દેશમાં..મારી યુધ્ધનીતી મુજબ..દુશ્મનને મૃત્યુદંડ આપવામાં આવે છે...

કારણ કે દુશ્મનને એક વાર છોડો તો એ ફરી વાર તમને હેરાન કરી શકે છે...અને કદાચ તમને વધુ આઘાત પહોંચાડી શકે છે...

જેમ તેં મને ૧૬ વખત છોડ્યો છતાં પણ હું દરેક વખતે બમણાં જુસ્સાથી હુમલા કરતો હતો.. અને છેવટે તને હરાવીને કેદ કર્યો ને?

હવે હું તને મૃત્યુદંડ કરીશ અને એ પણ મારા દેશની પ્રજાની વચ્ચે જાહેરમાં..."

ચંદ બારોટ આ વાતથી અજાણ નહોતો...તે રાજાની મદદે પહોંચ્યો... ખાસ મિત્ર હતો, અને એમાંય બારોટ બંકો...મર્દ મૂછાળો...પછી ક્યાંથી પાછો પડે!

તે કેદખાનામાં રાજાને મળવા પહોંચ્યો... રાજાનો મૃત્યુનો દિવસ હવે નજીક જ હતો...રાજા સાથે મસલત કરીને તેણે પોતાનાં ચોગઠાં ગોઠવી દીધાં...

તેણે ઘોરીને સંદેશો આપ્યો કે,

" પૃથ્વીરાજ ચૌહાણ પાસે એક અદભૂત વિદ્યા છે...તે અંધારાંમાં કે આંખો બંધ રાખીને બાણથી નિશાન લગાવી શકે છે...

અને મૃત્યુ પહેલાં તેની આખરી ઈછ્છા પોતાની વિદ્યા બતાડવાની છે..."

આખરે એ દિવસ આવી પહોંચ્યો...તે ગોઝારો દિવસ...

લોકો રાજપૂતનૂ શૂરાતન અને એના શૂરાતનનું પરિણામ..એનું મોત...જોવા એકઠાં થયાં..

ઠસોઠસ ભીડ... આખો વિસ્તાર લોકોની ભીડ અને કોલાહલથી ભરાઈ ગયો...

તેમની આંખોમાં વિસ્મય હતું.. કે આવો રાજા ૧૭મી વખતે હાર્યો કેવી રીતે... તેને જોવાની તેમને તાલાવેલી હતી...

જાણે કાંઈ અજાયબી જ હતો એ તેમની માટે...

છેવટે ઘોરીના આદેશથી પૃથ્વીરાજ ચૌહાણને સભામાં લવાયો...એની યુધ્ધનીતીને મૂર્ખતામાં ખપાવી...

એની મર્દાનગી અને ઊદારતાને નજર અંદાજ કરીને એની હારને જ ગાઈ...

રાજાને ધનુષ-બાણ આપવામાં આવ્યાં...એની આંખો પર પટ્ટી બાંધી...અને ઘોરીએ રાજાને આદેશ કર્યો..

"પૃથ્વીરાજ ચૌહાણ, રાજપૂત... ભારતના ક્ષત્રિય...બતાવ તારી તાકાત...

તારી એ વિદ્યા જેનાં મે કેટ-કેટલાં વખાણ સાંભળ્યાં છે...ચલાવ બાણ આ નિશાન પર...

બતાવ ભારતની એ વિદ્યા..."

ચંદ બારોટ વિદ્વાન કવિ અને હાજર જવાબી હતો.


તેણે તરત જ પૃથ્વીરાજને એક દોહો ગાઈ સંભળાવ્યો. એ દોહામાં તેણે રાજાને સંકેત આપ્યો અને ઘોરી ક્યાં ઊભો છે તે સ્થાનની દીશા બતાવી...

પૃથ્વીરાજ ચૌહાણએ નિશ્ચિત નિશાનને બદલે... ... ...

એ દીશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું...અને નિશાન સાધ્યું...

અને છેક એક હાથના પંજાથી તે બીજા હાથના ખભા સુધી ખેંચેલી ધનુષની પ્રત્યંચા છોડી...


અને...


નિશાન લાગ્યું... ... ... પણ ઘોરીના કપાળમાં... એક દમ વચ્ચે...

અને ઘોરી પોતાના છેલ્લાં શ્વાસ ગણવા લાગ્યો...તેણે વિચાર્યું પણ નહોતું એવી ઘટના અચાનક ઘટી ગઈ...

સૈનિકોએ રાજાને પકડવા પગ માંડ્યા... ચંદ બારોટ પણ ત્યાં જ હાજર હતો... પોતાના મિત્રની અંતિમ ક્ષણોમાં સાથ દેવા...

ચંદ બારોટે પૃથ્વીરાજ ચૌહાણની સામે કટાર ધરી.. અને બીજી પોતાના હાથમાં રાખી...


તરત જ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટે.. જેઓ એકબીજાના જીગરજાન મિત્રો હતા...

એક બીજાને કટાર ભોંકી દીધી...અને છાતી સોંસરવી આર પાર કરી દીધી...જેથી મુગલોના હાથે પકડાવું ના પડે...

અને એકબીજાને એટલા માટે ઘા કર્યો... કે ક્ષત્રિયના નિયમની અવહેલના ન થાય...

ક્ષત્રિય કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા ન કરે...માટે જ તેમણે બન્નેએ આવું પગલું ભર્યું...

બારોટે પણ પોતાનો મિત્ર-ધર્મ જાળવવા જીવ આપતાં પળનો યે વિચાર ન કર્યો...

આવા હતાં એ... એ મિત્રો...

જેમનાં નિયમો..નિષ્ઠા .. પ્રેમ.. શક્તિ... ભક્તિ... અને કુનેહને આપણે આજે પણ વિસરી શક્યાં નથી...

~પાર્થ બારોટ~