Showing posts with label રોજબરોજ. Show all posts
Showing posts with label રોજબરોજ. Show all posts

Thursday, October 24, 2013

કઈક નવું જોઈએ છે, એટલે જ જે છે એ નથી દેખાતું...


તમે:    અરે યાર, પેલુ નવું બાઈક લેવું છે 
દોસ્ત: કેમ, શું થયું? આ પ્રોબ્લેમ આપે છે? બરોબર તો લાગે છે...
તમે:   અરે ના યાર, પ્રોબ્લેમ તો કઈ નથી. બસ, લઇ લેવું છે. કઈક નવું હોય તો મજા આવે ને, આમાં કંટાળો આવે છે.

આ વાતચીત બહુ કોમન છે. એટલે વાત એ છે કે, આપણે કોઈ પણ નવી વસ્તુને પામવા માટે આતુર હોઈએ છીએ. પછી એ ઘર હોય, વાહન હોય, કે કોઈ પણ એવી વસ્તુ જેની તરફ આપનું મન લલચાય છે. એ કઈ પણ હોઈ શકે છે, પણ આપણને ભ્રમમાં નાખી જ દે છે.

ઘર છે, પણ થોડુક માપનું છે. એટલે નવું લેવું છે, પણ નવું ઘર મોટું લેવાનું ને? હા, એટલે મોટા ઘર માટે મોટી જમીન-પ્લોટ જોઇશે? એટલે એ મોટા પ્લોટ માટે પોતા બધા પૈસા જોઇશે. મોટા પૈસા તો છે જ નહિ હાલ, જો હોત તો અત્યારે જ ઘર મોટું હોત. એટલે એ મોટા ઘર માટે, મોટા પૈસા કમાવા માટે, હાલ કાર્યરત બધી જ વ્યવસ્થા અને બધા કામને નજરઅંદાજ કરીને તમે કઈક એવું કરવા પ્રયત્ન કરશો જેથી તમારી આ ઈચ્છા પૂરી થાય. એ પ્રયત્નમાં  એટલા બધા રત થઇ જઈએ કે એમાં હાલની પરિસ્થિતિ અને વ્યવસ્થાનું કોઈ મૂલ્ય નથી રહેતું. એ વખતે તમને એના સિવાય કાઈ દેખાશે જ નહિ, અને કોઈ તમને કાઈ સારું પણ કહેશે તો તમને એ ભૂંડું અને ખોટું લાગશે, તમે એ વાત માનશો જ નહિ. એનાથી પણ મોટી વાત, કે એ પ્રયત્નોમાં વપરાતી ઉર્જા અને સમય તમારા મનમાં હાલના ઘર માટે ઉપેક્ષિત લાગણી ઉભી કરે તેવું પણ બને. એટલે ઇન શોર્ટ, તમે હાલના ઘરને બદલવાની એ મૂંઝવણ સતત અનુભવશો જે તમારી કાર્યદક્ષતા અને માનસિક સ્થિતિ પર અસર કરશે.

આ તો એક ઉદાહરણ માત્ર છે, પણ જરાક વિચારો કે આવું કોઈક વાર તો બનતું જ હશે ને? આપણે નવી સ્થિતિ માટે હાલની સ્થિતિની પરવા નથી કરી શકતા અને એટલે જ "વર્તમાન" ને ignore કરીએ છીએ. એ મોટા પૈસા માટે સારી નોકરી કે સારું મોટું કામ કરવું પડશે એમ વિચારીને એની માટે આપણે પોતાના હાલના કામને ઉપેક્ષિત કરે છીએ અને સંતોષ નથી અનુભવતા. પણ આગળ સારું કામ મળશે જ એની શું ખાતરી? અચ્છા, સારું છે એવું તમને અત્યારે લાગે છે પણ એ સારું એટલે લાગે છે કે હમણાં એ તમારી પાસે નથી. અત્યારે જે કામ છે તે તમે સારી રીતે કરશો એટલે એ તમને સારું જ લાગશે। ધારો કે તમને નવું મોટું કામ મળી પણ ગયું, પણ તમારા સ્વભાવ/પ્રકૃતિ પ્રમાણે તમને એ ક્યાં સુધી સારું લાગશે અથવા એની આવક ચાલશે? વળી પાછુ એ જ ભૂત ધૂણશે, કે હજુ મોટું કામ કરીએ।છે એનો કોઈ અંત? અને કાયમ જ આવક ધ્યાનમાં રાખીને કામ કરતા લોકો કદી પણ સારી રીતે જવાબદારી નિભાવી શકતા નથી, અને એ જરૂરી નિષ્ઠા જ જાળવી શકતા નથી. જેથી લોકો પણ તેમનાથી અંતર રાખતા થઇ જાય છે.

સારાની વ્યાખ્યા શું છે? એમ તો દુનિયામાં દરેક બે વસ્તુ વચ્ચે સરખામણી કરો તો ફર્ક ચોક્કસ દેખાશે। પણ એનો મતલબ એવો તો નથી જ કે તમારી પાસેની વસ્તુ બિનઉપયોગી કે ખરાબ છે। અરે યાર, કામ એટલે કામ. સારું કે ખરાબ એવું હોય જ નહિ. અને સારું કે ખરાબ એ સમય પ્રમાણે બદલાતું હોય. કંટાળાજનક કામથી ભાગીને એવું કામ શોધવા પ્રયત્ન કરો, કે જેમાં કદી કંટાળો આવે જ નહિ. એવી વસ્તુ મેળવી શકાય જે કાયમ માટે તમને સારી જ લાગશે? વિચારો, કે છે એ શક્ય? 

દુનિયાની આ ઝાકમઝાળમાં રોજે રોજ નવા ધ્યાનભંગ કરનારા સાધનો જોવા મળશે, અને નવા-નવા આવતા રહેશે. આપણે આપણી જરૂરીયાતની વાત કરવી સારી, પોતાની જાતને પૂછવું કે શું ખરેખર આ વસ્તુ જરૂરી છે? અત્યારે જે ઘર/વાહન/નોકરી/કામ  છે તેમાં કોઈ વિચિત્ર સમસ્યા છે? જો સમસ્યા હોય તો તેને દૂર કરવા પ્રયત્ન કરો અથવા બદલી નાખો।પરંતુ કોઈ જાતની સમસ્યા વગર એને બદલવાનું વિચારીને શું કામ અશાંત બનવું? હા, કામમાં એવું હોઈ શકે કે પોતાની ઉર્ધ્વગતી (Self Development  યુ નો!) કરવા તમે પરિવર્તન લાવો તે જરૂરી છે, પણ તેમાં ફક્ત આવક કે ધન કારણભૂત ન જ હોવું જોઈએ. કારણકે તે તમને ખોટી દિશામાં જ લઇ જશે. ભલે લોકો તમને મેનેજમેન્ટના નામે ગમે તે પાઠ ભણાવે, પણ એ શાંતિ ડહોળી નાખશે.  

અહી minimalist (જે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લે તે) ની વાત નથી, વાત છે ફક્ત બિનજરૂરી દોડાદોડ અને અશાંતિ દૂર કરવાની। એની માટે પોતાના મનને કાબૂમાં રાખવું પડશે।એટલે જ્યારે મન એવી વસ્તુઓ તરફ ફોકટમાં આકર્ષિત નહિ હોય, તો આપોઆપ જ શાંત અને કાબુમાં રહેશે જેનાથી કાર્યદક્ષતા અને શાંતિ જળવાશે।એટલી તમારી ઉર્જા અને સમય પણ ઓછો વેડફાશે, અને કામની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. કોઈ પણ કાર્ય મનથી ધ્યાનપૂર્વક કરશું, તો તેમાં સફળતા પણ અવશ્ય મળશે।તમે તમારી જાત માટે અને વર્તમાન સ્થિતિ સાથે નિયમન જાળવી શકશો, જેનાથી વ્યવસ્થા જળવાશે અને વ્યર્થ સમસ્યાઓ ઉભી નહિ થાય. ભવિષ્યનો વિચાર ભલે કરો અને તેની માટે વ્યવસ્થા પણ ભલે કરો, પણ એને જ ધ્યાનમાં રાખીને બેસી રહીએ એ નહિ પાલવે!

Tuesday, October 22, 2013

પેકેજીંગની જ વેલ્યુ છે, અંદરનો માલ ગમે તેવો હોય...

આજે જરાક જુદા ટોપિક પર વાત કરવી છે. છે તો આપણને બધાલે લાગતું-વળગતું જ, અને આપણે રોજ એ જ કરીએ છીએ.

પેકેજીંગ , કે પછી એને 'Overall Presence' કહીશું તો જરા વધુ સમાજ પડશે। હું થોડું વિસ્તારપૂર્વક વાત કરું।

આજે જ્યાં જોઈએ, જેને જોઈએ એ બસ પોલિશિંગ જ કરે છે, કોઈ પણ વસ્તુ-product હોય, પોતાનો biodata /profile હોય કે પછી પોતે પોતાની જાતની જ વાત કરીએ।ઇંગ્લીશમાં એને framing કહેવાય, એટલે કે વાતને એવી રીતે મૂકવાની કે સામેવાળો સમજી ન શકે થોડી વાર તો... પછી ખબર પડે કે," આ તો અસ્ત્રો મારી ગયો! ". મીન્સ, કામ નીકળે અને આપણી આંગળી ચપટમાં ન આવે! મેનેજમેન્ટ વાળા એનો ભરપૂર ઉપયોગ કરે, સારું કરે તો પોતે કર્યું અને ખોટું થાય તો "બહુ બધા પરિબળો કામ કરે છે,  જેના લીધે નિષ્ફળતા મળે છે." એવી ડાહી વાત કરવાની।...

સવાર પડે એટલે દાઢી બનાવો, બ્રશ કરો, કંગી કરીને શૂટ-બૂટમાં નોકરી પર જવાનું, કેમ? અરે ભાઈ, કોઈ જુએ તો શું કે? થોડુક presentable તો લાગવું જોઈએ ને!

નાના બાળકોની શાળા પણ આજના માં-બાપને hi-fi/ઈંગ્લીશ/હિન્દી  જોઈએ, કેમ? તો કે, કે ભાઈ overall પેકેજીંગ સારું મળે. અરે શું ધૂળ સારું મળે, સાલા ઘરમાં "હું શ.. ચો શ" બોલે, શાળામાં હિન્દી અને અંગ્રેજીમાં બોલે।.. પેલા ધોબીના કુતરા વાળી વાર્તા જેવું થાય તો નવાઈ નઈ. પણ કોણ સમજાવે, કે મહાન લોકો કહી ગયા છે... જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, હું એવા બે મહાનુભાવોને જાણું છું. એક તો ખુદ ચાણક્ય, જે પોતે મહાવિદ્વાન હતા અને બીજા રવીન્દ્રનાથ ટાગોર। તે બંને એ એ જ કહ્યું છે કે બાળશિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ। પણ આજે તો સરકાર પણ અંગ્રેજી ની હિમાયત કરતી થઇ ગઈ છે. મેં તો પોતે high-court માં જોયું છે, કે અંગ્રેજી જ ચાલે છે. કોઈક જ વિરલા હોય, પેલા રાજસ્થાનનાં એક વકીલ જેવા કે જેને court માં પણ ધોતી અને કોટ ને સાચા ઠરાવવા માટે લડત કરી હતી. વાત બદલવી નથી, એટલે બાળવિકાસ કરતા બાળ-પેકેજ કરીએ છે આપણે।

જાહેર ખબરો જુઓ... શું વેચે, અને શું બતાવે... સાલા, કોઈ પણ જાહેરખબર હોય, એમાં છોકરી તો હોય જ.. નોટ ઓફેન્સીવ, બટ શેવિંગ ક્રીમ કે રેઝરની એડ માં છોકરીનું શુ કામ ? પણ બસ, વસ્તુ ગમે તેવી હોય, એની એડ જોરદાર જોઈએ।.. લોકોને ફસાવા માટે ગમે તે કરે આ લોકો। ગાડી હોય, ટાયર હોય, કે પછી ભલેને દૂધ હોય.. એમાં ગમે એવા ચેનચાળા કરતી લલનાઓ તો જોવા મળે જ... પછી વસ્તુ ગમે તેવી હોય કોને પડી છે? અને આપણે બી કાઈ ઓછા નથી હોં, ટેસથી બાપુ જોઈ જવાનું, અને ઘાટ આવે તો લઇ બી લેવાનું, જરૂર હોય કે નાં હોય... ચલચિત્રો પણ એમાંથી બાકાત નથી, C -greDના પણ સારા હોય એવા મુવીસ આવે છે હવે તો... આ સલ્લુ-શાહરૂખ-અક્ષય બધા જ ટાઈમપાસ મુવી કરે છે... એમાં હોય છે કઈ? કોઠા!

કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ ઓફીસ જુઓ, લોકો પોતાનો કક્કો સાચો કરવામાં જ પડ્યા છે. કામની કોઈને પડી નથી, બસ પોતે બહુ કામ કરે છે એ જ બતાડવું છે. પોતે કેમ કરીને છટકી જાય, કેમ કરીને પોતાનું કરેલું કામ વધારે અને સારું દેખાય, કેમ કરીને નવું કામ નાં આવે, કેમ કરીને બોસ ખુશ થઈને વધુ પગાર કરી આપે. પછી ભલેને કંકોડા જેવું કામ કર્યું હોય, કોને પડી છે ****? "આપણું તો બોસ, સારું દેખાઈ ગયું ને? બસ, ખલ્લાસ, આપણે તો રાજા નીકળી ગયા હેમખેમ" એવી પાછી બડાશો મારવાની! સરકારી ઓફિસો અને બેન્કોમાં તો ત્રાસ છે, public ને કોઈ સરખો જવાબ પણ નથી મળતો। મારો પોતાનો જ બેંક ઓફ બરોડાનો અનુભવ છે. એક નાનકડા કામમાં પણ એ લોકો આડોડાઈ કરે! સરકાર પણ ખાલી છબી સુધારવામાં પડી છે, સારું કામ કરીને છબી લેવામાં એમને પણ કોઈ રસ નથી. જ્યાં ને ત્યાં મોટા મોટા બેનરો, ફોટાઓ, ભાષણો! ગુણવત્તા ક્યાં છે? આવું પૂછીએ તો સાલાઓ કે'શે , "એ શું હોય ભાઈ, એવું શું બોલ્યા?"

આ બધી વસ્તુમાં એક જ કોમન વાત છે, કે ગુણવત્તા-ક્વોલીટી પર કામ થતું જ નથી. બસ, ક્વોન્ટીટી જ જોવાની। કેટલું વેચાયું, કેટલું ચાલ્યું, લોકોએ પૈસા નાખ્યા ને.. બસ, પત્યું। જેમ તેમ ગાડું ગબડે છે ને, એટલે બસ.. એવું વિચારવા વાળા બહુ છે... બધાને એમ જ મફતમાં, ઓછુ/નહીવત કામ કરીને પૈસા કમાવવા છે...કામ કરવું નથી, કરતા હોય એને મદદરૂપ થઈને કરાવવું પણ નથી! કોઈએ સાચું જ કહ્યું છે, કે આ દેશ રામભરોસે ચાલે છે...બાકી અમદાવાદના એક રસ્તા પર થતો ટ્રાફિક પણ clear નથી કરી શકતા! (આ મુદ્દો નથી, ઉદાહરણ છે... એટલે પાછા પકડી નાં લે'તા!) . લોકો કમાવામાં પડ્યા છે(ગમે તે રીતે અને ભોગે) અને સરકાર ઉડાવા અને ખાવામાં! 

હમણાં થોડા સમય પહેલા જ વાંચ્યું કે આપણને કોઈ nobel prize નથી મળ્યું। કેમ? કારણકે એ 'નોબેલ' છે... એવું કાઈ કર્યું હોય તો મળે ને? નવું તો કાઈ આપણે કરી નથી શકતા, જે બીજા દેશો કરે એને કોપી કરે જવાનું।.. અને NRI ની વાતો સાંભળીને કૂદાકૂદ કરવાની।. બોસ, આપનો indian  છે. શું ધૂળ indian  છે? સાલા, ત્યાં ગયો ત્યાં સુધી કંકોડા વેચતો તો, એને ત્યાં જવા મહેનત કરી જ હશે, પણ એ ત્યાં અમેરિકા જઈને ત્યાના environment માં કામ કરી શક્યો ત્યારે જ આગળ આવ્યો ને? તો એમાં indian ક્યા આવ્યું? અને એને તો તમારી પડી પણ નથી, એ ત્યાં જ રેવાનો છે, ત્યાનું જ કામ કરવાનો છે, પણ નાં, અમે તો ભાઈ રાજીના રેડ... અલ્યા, રાજી થાવ, પણ પોતે શું કર્યું એ તો જુઓ...જેટલા NRI  છે એ બધાને હવે કઈ લાગે-વળગે નહિ, સિવાય કે 'નામ' મૂવીનું પેલું ગીત, "चिट्ठी आई है, आई है… " અને તહેવારોમાં ઘર યાદ આવે! 

એટલે, આપણે પોતે શું કર્યું અને  કરવું છે એ અગત્યનું છે...સારાની પ્રશંસા કરો, પણ ગુણગાન ના કરો.. નવું કરવાની ભાવના લાવવી પડશે, અંતરમાંથી પોતાના દાયિત્વો પ્રત્યે સભાન બનવું પડશે, અને સારું કામ કરવું પડશે।દેખાદેખીનો કોઈ મતલબ નથી... બધાને IIT/IIM /NASA  અને એવી બધી મોટી જગ્યાઓ પસંદ છે, પણ એ જ લીમીટ છે? અરે, એના પહેલા પણ વિશ્વ હતું અને પછી પણ રહેશે જ ને? NASA એ કીધું કે ફલાણી વસ્તુ શક્ય નથી, તો શું માની લેવાનું? અરે ભાઈ, લેટ્સ  ટ્રાય।.. પ્રયત્ન તો કરો... કોઈકે કીધું કે અહી કુવો છે તો ભૂસકો ન મરાય, પણ જઈને જોવાય તો ખરું કે નઈ? 

જો એવું જ હોત તો કદી ભારત શોધાયો જ ન હોત, કોઈ નવા સંશોધનો થયા જ ના હોત, અને દુનિયા અટકી જ ગઈ હોત? નાં, newton  ના હોત કોઈ બીજો હોત, પણ કાઈ વિકાસ થોડો જ અટકે છે? અને એ આવે છે સતત નવું કરવાની પ્રેરણા અને વિશ્વાસથી, કામ કરવાની અંતરની મહત્વાકાંક્ષાથી... અને સાચા અને સીધા રસ્તે, મનથી કરેલા સંકલ્પ અને પ્રયત્નોથી. તો આપણે હવે શું કરે છીએ અને કેવી રીતે કરીએ છીએ, એની પર વધારે ધ્યાન આપીશું ને? 

Saturday, October 19, 2013

ગામની સંધ્યા...

આજે એમ જ બાજુના ગામે જવાનું થયું। થોડાક સમયનું જ કામ હતું એ પતાવી અને નજીકના સંબંધીને ત્યાં થોડીવાર માટે રોકાયા। થોડી રોજબરોજની વાતો કરી, શું ચાલે છે શું નહિ અને કામકાજ-તબિયત-પાણી...

નાસ્તામાં ઘરે બનાવેલું સફેદ રૂની પૂણી જેવું માખણ, એની જોડે ભાખરી કે રોટલો અને ઉપરથી કડક-મસાલેદાર ચ્હા! સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. અને આપણે ત્યાં ભેળ અને ભૂસાં!

એમ જ આડીઅવળી વાતો, સમય કેમ વીતે એ જ ખબર નાં પડે. ઉપરથી અડોસ-પડોશનાં લોકો પણ ચા-પાણી કરવા બોલાવે એવો લોકોનો મિજાજ... એ જોઇને ખરેખર તમને આમ કઈક વિશેષ હોવાનો અહેસાસ કરાવતા આ લોકો પ્રત્યે માન ઉપજે કે પોતાનો સમય ફાળવીને આ લોકો કેવી સરસ આગતા-સ્વાગતા કરે છે!

બહાર બજારમાં જઈએ, એટલે થોડીક ધૂળ-માટી ઉડતી હોય... ગીચોગીચ એવા બજારમાં વાહનો અને લોકોના ટોળાઓ પોતપોતાની રીતે જગ્યા કરીને (કોઈપણ જાતની માથાકૂટ વગર) જતા હોય... નાનકડા બાળકો દોટમદોટ કરતા હોય...
નાનકડી દુકાનોમાં ગ્રાહકોની ભીડ, સાંજના સમયે થતી અગરબત્તી-ધૂપ-દીવા દુકાનમાં અનેરી સુવાસ અને દિવ્યતા ફેલાવતા હોય...

રસ્તાઓ પર પૂરતી જગ્યા હોય, પણ સાંકડા હોવાને કારણે તમને થોડી ભીડ અનુભવાય પણ એની પણ એક મજા છે. વળી સાંજે ગોધુલી ટાણે (ચરવા ગયેલી ગાયો-ઢોરો પાછા ફરે તે સમય,  જયારે તેમના ચાલવાથી રસ્તાની ધૂળ ઉડતી હોય) ઉડતી ધૂળના રજકણો આથમી રહેલા સુરજદાદાના હળવા હળવા કિરણોના પ્રકાશમાં ચળકીને અનેરી ભાત પાડી રહ્યા હોય... ગાયોની ઝાલર વાગી રહી હોય અને મંદિરોમાં આરતીના સમયે થતા શંખ-નગારા -ઢોલના અવાજથી આખું વાતાવરણ એક અનોખો અહેસાસ આપતું હોય છે.

ધોરીમાર્ગની બંને બાજુ લીલા ખેતરોમાં શિયાળાની શરૂઆતનો સમય હોવાથી આછી આછી ધુમ્મસ જોવા મળે. અને એ ધુમ્મસ અને ઢળતી સંધ્યા ભેળા મળીને આહલાદક ઠંડક ફેલાવી રહ્યા હોય. ધીમે ધીમે ઢળતી એ સાંજ, ખેતરો ઉપરના ખુલ્લા આકાશમાં સરસ મજાની હાર રચીને એકસાથે પાંખો પસારીને એક નિશ્ચિત રીતે ઉડી રહેલા પંખીઓ અને પોતાના માળાઓમાં જવા માટેની એમની ઉત્સુકતા, એ ખરેખર એક સુંદર અનુભૂતિ છે.

થોડા સમય માટે આપણે પોતે એ ભૂલી જઈએ કે આપણે આપણા રસ્તે જવાનો સમય થઇ ગયો છે. ત્યાં બધું ઘણી જ શાંતિથી કોઈ જાતની વગર જોઈતી ઉતાવળ વગર ચાલતું હોય એ સ્પષ્ટ પણે દેખાય આવે છે, અને એટલે જ આપણને પણ શાંતિ અનુભવાય જયારે પોતાના રોજના કામથી મુક્ત અને શહેરથી દૂર હોઈએ. ચાલો હવે ઘર તરફ જઈશું ને?

Monday, March 14, 2011

છેલ્લા મહિનામાં અંતરમનમાંથી ઊભરાયેલા શબ્દોની માળા...

જેમ ટોચ પર બેઠેલો કાગડો કડી ગરુડ બનતો નથી...
તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...

વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!

દિમાગનું દહીં... અને મગજના ભજીયા...
જરૂર પડી ત્યારે જ પ્રભુને ભજયા?

गुनाह वो नहीं ...जो कायदा और क़ानून तोड़ दे...
गुनाह वो है .. जो ...
दिल, रिश्ते और प्यार की लडियां तोड़ दे...
ज़मीर और ईमान की कड़ियाँ तोड़ दे...

ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!

દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!

કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?

Thursday, August 19, 2010

દેશભક્તિ: સ્મશાન વૈરાગ કે સાચી લાગણી?


મિત્રો, હમણાં જ ૧૫ ઓગસ્ટ ગઈ. હિન્દુસ્તાનનો જન્મદિવસ તો ના કે’વાય... પણ હા... નવું જીવતદાન જરૂર મળ્યું હતું એ દિવસે... કઈ કેટલાયે લોકોએ પોતાની આખી જીન્દગી (અને કેટલાકે જીન્દગી, કારણ કે આખી જીન્દગી સુધી તો એ જીવ્યા પણ નથી!).. એની પાછળ ખર્ચી હતી ત્યારે આપણને આજે એ મહામૂલી આઝાદી માણવા મળે છે...


પણ અહી હું આઝાદીની કથા કહેવા માટે નથી બેઠો. એ આપણને બધાને ખબર છે. એ દિવસે બધાને યાદ આવે છે કે "ઓહો... અરે... આજે તો આપનો સ્વતંત્રતા દિવસ છે...આપણે તો ભૂલી જ ગયા હતા સાલું...સારું થયું યાદ આવ્યું". અને ઘણા એવું જ વિચારે કે, "હાશ! ઓફીસ તો નહિ જવું પડે એ દિવસે..ખોટો ધક્કો બચી ગયો...એક રજા મળી ગઈ..." એમાં કોઈ બાકાત નથી.

આપના જેવા સામાન્ય લોકો તો ચાલો ઠીક છે કે એવું વિચારે, કેમ કે એની જોડે કરવા માટે ઘણા કામો હોય. નોકરી-ધંધામાં ઓતપ્રોત રહેતો હોય તો એવું બની શકે. આજના જમાના મુજબ એ બહાનું વાજબી ગણો તો વાંધો નથી. પહેલાં જેવું થોડું છે, જ્યારે લોકોને ખરેખર એ દિવસ યાદ હોય અને દિલથી...માત્ર રજા ખાતર નહિ! પણ આપણા નેતાઓ, એમને શું થાય છે?

કેટલીયે તૈયારીઓ કરશે, કઈક ભાષણો તૈયાર કરશે... જનમેદની ભેગી કરીને લોકોની વાહ-વાહ મેળવવા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ ને નામે મોટી મોટી વાતો કરશે...અને આપણે લોકો તો છીએ જ બાપુ ઉલ્લુ, ઉલટાની તાળીઓ મારવાની ચાલુ! બધાને જાણે શૂરાતન ચડી જાય, જે સ્મશાન વૈરાગથી કમ નથી.

હા, એ જ.. સ્મશાન વૈરાગ. કોઈના મરણ પ્રસંગે સ્મશાનમાં જનારા લોકો એ સમય પૂરતા દુનિયાથી વિમુખ થઇ જાય અને એવું વિચારે કે "જીન્દગીમાં કઈ છે જ નહી, છેલ્લે તો અહી જ આવવાનું છે." અને ત્યાંથી બહાર નીકળીને? ફરી એ જ રોજબરોજ શરૂ. આઝાદીનો પવન પણ એવો જ છે, એ આગળ પાછળના બે ચાર દિવસ હોય, પછી પાછુ ભૂલી જવાનું.

આઝાદીનો મતલબ એ છે કે જે તક આપણને આટલાં મોટા બલિદાનો આપી અને સંકટો સામે ઝઝૂમી અપાવી છે એ લોકોનું માન-મલાજો જળવાય એવાં કામ કરવા, નહિ કે એનાં નામની બૂમ-બરાડા પાડી રેલી-સરઘસો કાઢવા. કદી ભગતસિંહ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર અને કઈ કેટલાયે એવાં લોકો જે ખ્યાતી નથી પામ્યા...જો આપણી જેમ વિચારતા હોત તો? તો હજુ અંગ્રેજોની નીચે જ હોત આપણે. અને જો તેઓ આ દશા જુએ તો સામે ચાલીને અંગ્રેજોને વિનંતી કરીને પાછા બોલાવે એની ખાતરી હું આપું છું!

હાસ્તો, એનાથી મોટી ભૂલ એમને કઈ કરી છે તે એમને સમજાય તો એવું જ કરે ને?એમનાં બલીદાનની તો કોઈ કીમત જ નથી રાખી આજે. દેશ પ્રત્યે જો સાચો પ્રેમ હોય તો તે કર્મથી બતાવવો જોઈએ, નહિ કે વાણી-વિલાસથી. ખાલી ધ્વજ-વંદન કરવાથી કાઈ થશે નહી.દરેકે પોતાની જવાબદારી સમજીને ચાલવું પડશે.નાની-મોટી વાતોમાં જો એવું થાય તો જ દેશને ફાયદો થાય.


શું ગાંધીજીએ હડતાળ એટલે શીખવાડી હતી કે ગમે ત્યારે, ગમે ત્યાં લોકો કોઈ પણ કારણસર અસ્ત-વ્યસ્તતા ફેલાવે? ના, એ હથિયાર સત્યનો માર્ગ છે, કામચોરીનું બહાનું બનાવવા માટે નથી. ગાંધીનગરમાં કોઈ પણ સમયે કોઈ ને કોઈ હડતાળ ચાલુ જ હોય છે, એનું શું કારણ છે? કર્મચારીઓ અને ધારાસભ્યોની વેતન માટે હડતાળ,શા માટે? વેતન વધારો માંગતા પહેલાં તમે વિચાર્યું કે આપણે એટલું કામ કરીએ છીએ જેટલું માંગીએ છીએ? સરકાર કાઈ પોતાનાં ખિસ્સામાંથી નથી આપતી, એ સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી આવે છે. જે લોકો મહેનત કરીને કમાય છે અને કર ભારે છે એમાંથી આવે છે. જો સરકાર એમાં વધુ ખર્ચો કરે તો વિકાસ કઈ રીતે થાય? આ એક ઉદાહરણ છે, આવું તો કઈ કેટલુંયે ચાલે છે.

પોતાનાં હકો માંગવા માટે આટલાં તૈયાર લોકો કદી પોતાની ફરજો પૂરી કરી કે નહિ એ વિચારે છે?ના, બસ મારો હક છે...એક જ વાત.

બીજું એ, કે નેતાઓ,ધારાસભ્યો, સાંસદોને દોષ આપવાથી કઈ નહિ વળે. એ પણ આપણામાંથી જ છે ને? જ્યાં સુધી દરેક જન પોતાની જવાબદારી નહી સ્વીકારે ત્યાં લગી આમ જ ચાલતું રહેશે. કટાક્ષમાં લોકો કહે છે કે "ભારત રામભરોસે ચાલે છે" પણ હવે તો રામ ને કૃષ્ણ બધા થાકે એટલો ત્રાસ મચ્યો છે. તેઓ પણ નાસી જશે કંટાળીને, પછી કોણ ચલાવશે? लोक-परलोक ફિલ્મમાં देवेन वर्मा કહે છે તેમ,"संसद वो अखाड़ा है, जहां भारतवर्ष के विभ्भिन क्षेत्रो के लोगो द्वारा चुने गए ५०० जन-प्रतिनिधि देशके सारे लोगोंका भविष्य तय करते हैं!". મતલબ સાફ છે, આપણે જ એવા લોકોને પસંદ કરીએ છીએ જેઓ ગંદકી ફેલાવી રહ્યાં છે.

હમણાં ૧૫ ઓગસ્ટના આગલા દિવસે રાજકોટના ક્રિકેટ મેદાન પર ટ્રકોની ટ્રકો કપચી ઠાલવી દેવાઈ,કારણ? કદાચ મુખ્યમંત્રી જવાના હતા...આવા સમાચાર અખબારમાં વાંચ્યા. આને શું કહેવાનું? એમ થોડું કોઈ પણ સરકાર કે સરકારી અમલદાર જાહેર સંપત્તિનો દુરુપયોગ કરી શકે? જાહે ભલે ના હોય, તો પણ સાવ આ હદે ઉપયોગ? અને એનો ખર્ચ ક્યાંથી આવે છે?મારા-તમારા જેવાના ખિસ્સામાંથી જ ને?

આવું જ થયું અમદાવાદના રસ્તાઓનું. કેટલીયે જગ્યાઓએ ખાડા પડી ગયાં... BRTS ની બસોનું પોટલું પણ ખૂલ્યું છે. એમાં પણ ભલીવાર નથી એવા અહેવાલો આપણે વાંચ્યા. આને શું કહેવાનું? કોણ મંજૂરી આપે છે આવા લોકોને? કોણ આવા રસ્તા બનાવવા માટે રાજી થાય છે? એનો જવાબ કોણ આપે? RTI લાગુ પાડવાથી કાઈ થાય નહિ, જ્યાં સુધી એવા લોકોને સજા ના થાય જે પ્રજાના પૈસાનો ધૂમાડો કરે છે.

દેશભક્તિ એ તહેવાર નથી.. એ લાગણી છે... એક ખુમારી છે... એક એવું તીજોરમાં મૂકેલું ઘરેણું જેની કીમત ખૂદ આપણી જ નીતિઓ અને કર્મો રૂપી કાટથી સતત ઘટતી રહે છે...આવું ઘરેણું રોજ પહેરો તો જ એનો મતલબ છે... ખાલી sms કે email કરવાથી કાઈ ન થાય. કોઈ કહે છે કે અમેરિકાને વિકાસ પામતા ૨૦૦ વર્ષ થયા અને આપણે ૬૦ વર્ષ જ! પણ હું કહું છું છે આપણામાં કાઈ વિકાસ? ઘરડાઓ તો એમ કહે છે કે આના કરતા અંગ્રેજો સારા હતા, સોટી મારીને વાત પતી તો જતી હતી! સાવ આવી રીતે તો લોકોને રંજાડાતા નહોતા.

આ વાતોનો કોઈ અંત જ નથી મિત્રો, એટલે અહીં જ અટકું છું. ફરી કંઈક યાદ આવશે તો આમાં ઉમેર કરીશ જ...પણ તમારી મદદ જોઈશે... આગળ વધવા માટે મદદ તો જોઈએ જ ને, એકલાથી કાઈ ન થાય...
સાથે સાથે, આઝાદીના દિન નિમિતે બનાવેલી તસ્વીર અહી રજૂ કરી છે...

Monday, August 2, 2010

સમસ્યાનો સર્જક ખુદ માનવી...

દુખ..ખામી...સમસ્યા.., એ શબ્દ જેને સાંભળીને ભલભલા હલી જાય...મનમાં સો વિચારો આવી જાય... આ દુનિયામાં દરેકને કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ, ભલે એ પરની હોય કે માનવી. અને એ જ જીવનની સચ્ચાઈ છે.જો જગતમાં બધું યોગ્ય જ હોય, બધું જેમ આપણે ઈચ્છીએ તેમ હોય તો પછી આ દુનિયા જાણે યંત્રયુગમાં થઇ ગઈ કે’વાય! અરે, ખરેખર તો યંત્રોમાં પણ ખામીઓ હોય છે, એટલે આપણે એને યંત્રયુગ કહેવું પણ અયોગ્ય ગણાશે. તો એણે શું કહેવું? કારણકે આજ દિન સુધી દુનિયામાં સુયોગ્ય તો કોઈ વસ્તુ છે જ નહિ!

જુદાજુદા લોકો માટે સમસ્યાનો મતલબ અલગ હોય. ઘણી વાર એકની સમસ્યા બીજાને દેખાય પણ નહિ... અને ઘણી વાર નાની વાત પર ભારે સમસ્યા જેવડી લાગે...

સોળ આને સાચી વાત કહું તો, સમસ્યાઓ આપણે જાતે જ ઉભી કરીએ છીએ! હા, ભલે તમે આ સત્ય સ્વીકારશો નહિ અને કદાચ એણે ગાંડપણ કે જુઠું કહેશો. એ આપણે જ છીએ જે વાતનું વતેસર કરી નાખીએ છીએ..

ખાલી એક વાત... એ પરિસ્થિતિ .. એ સંજોગો...એ વાતાવરણ અને આસપાસનો વિચાર કરો..જયારે તમે કોઈ સમસ્યા કે દુખનો સામનો કર્યો હોય. અને પછી જરા તમારા દિમાગ પર થોડી યાદો ફંફોળવાની મહેનત કરો...કે એ કયા કારણથી સર્જાઈ હતી?કે પછી... તમે જ એનું કારણ તો નહોતા?એવી તો કઈ વાત થઇ હતી કે આખી વાત બગડી ગઈ હતી... 

માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પાત્ર પણ કોઈ દિવસ તો છલકાઈ જ જાય ને...એમાં માણસનો સ્વભાવ જ કામ કરે છે...અને આપણને એનો જવાબ મળી જ જશે કે આપણે આપણા સ્વભાવ, અનુભવ અને સમજદારીથી ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ..વાતનું વતેસર અટકાવી શકીએ...

પહેલી વાત...જે યાદ રાખવી... કે માનવી એ કુદરતનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ નિર્માણ છે...એટલે માણસ બનીને કઈ નહિ થાય... સારા માનવી બનવાનું ધ્યેય હોવું ઘટે... તો જ કુદરતે આપેલા જન્મનો કઈ તો બદલો આપ્યો ગણાય!

બીજું એ...કે ભલે જીવનમાં આપણે કંઈક કરતા હોઈએ એવું લાગે..પણ એની દોર આપણા હાથમાં નથી...સંજોગો આપણા હાથમાં નથી, પણ એ ટાણે શું કરવું એ તો આપણી ઉપર છે ને? એટલે નકામી નાની બાબતો પર ચિંતા કર્યાં કરતા શાંત મનથી જીવવું જોઈએ. દરેક પળે કંઈકને કંઈક ચિંતા કરી અને વિચારી વિચારીને મગજની કડી કરી નાખવાથી પણ કાઈ ફરક પડવાનો નથી..

જે ચિંતા કર્યાં વગર... કોઈ જાતના ભયથી વ્યતીત નથી થતો...અને દરેક ઘડીને મનથી અને શાંતિથી માણે છે એ આ જગતમાં સૌથી સુખી વ્યક્તિ છે...કોઈ પણ દુખ કે સમસ્યા.. આવવા દો.. થઇ પડશે ભઈલા! એનો સામનો કરવાનો જુસ્સો રાખવો જોઈએ..પણ એનાં વિચારોથી મન વ્યથિત કરવાનો શું અર્થ? આપણે કહીએ છીએ ને..કે ઘોડા વેચીને ઉંઘી શકે ને... એ જ જીન્દગી!

જેવા છો તેવા જ રહી..સાચા અને આનંદિત રહો...અને પછી આપણને ખ્યાલ આવશે કે જે તમને સમસ્યા લાગતી હતી તે ખરેખર એટલી મોટી બાબત હતી જ નહિ! પણ એની માટે મન, તન અને દિમાગ.. ત્રણેય શાંત અને સક્ષમ રાખવું પડે.

હું પણ.. જો એવું કરી શકું તો સારું થાય...પણ મિત્રો, આ જ રીતે...કદાચ... આપણે જિંદગીની રીત બદલી શકીએ...અને તો પછી... શા માટે આ દુનિયા નહિ...? કોણ જાણે... થઇ પણ જાય...

Friday, July 30, 2010

મનમાં વિચારોને બદલે ત્રાજવાં ...

કેટલાકના મનમાં વિચારોને બદલે ત્રાજવાં જ રમતાં હોય છે.
કોઈપણ વાતને બસ, ત્રાજવે તોળવા જ બેસી જાય.
પછી આંગળીઓના વેઢ ગણવા લાગી જાય.

'આમાં લાભ કેટલો થાય ? શું મળે ?
મોટા ભાગના માણસોની ભીતરમાં એક વેપારી પેસી ગયો છે.
ને અંદર બેઠેલો આ વેપારી એક જ કામ કરે છે

'શું મળે ? એનો જવાબ મેળવવાનું !
લાભનાં ત્રાજવાં લઈને જે બેઠો હોય છે...
પછી 'આમાં તો ઓછા મળે' 'આમાં તો કંઈ જ ન મળે' એવી બૂમરાણો લગાવવા બેસી જાય છે ! નફો

Monday, July 19, 2010

કાશ્મીર સ્વતંત્ર થાય તે હિંદ માટે સૌથી મોટી લપડાક હશે !

કાશ્મીર હિંદુસ્તાનનું અ વિભાજય અંગ છે.હિંદુ રાષ્ટ્રનું શીર છે.આજે કાશ્મીરનો માંમલો જવાહરલાલ નહેરૂં ની નાદાનીના કારણે જગબત્રીસીએ ચડી ગયો છે.કાશ્મીરનો ઇતિહાસ ઘણું બધું કહી જાય છે.પુરાણોમાં કાશ્મીરનો ઉલ્લેખ જોવાં મળે છે.

કહેવાય છે કે બ્રહ્માંના પુત્ર મરીચિના પુત્ર કશ્યપે વરાહમૂલ(આજનું બારામુલા)પાસે પહાડ કાપીને તેમાંથી પાણી નીકળી જવાનો માર્ગ કર્યો હતો.અને કાશ્મીરની ખીણનુ પાણી નીકળી જતાં ત્યાં કશ્યપે બ્રાહ્મણોને વસાવ્યા હતાં.આજે પણ કાશ્મીરનુ ખીણનું પાણી વહીને જેલમનદી વાટે બારામુલા પાસેથી બહાર નીકળીને પાકિસ્તાન જાય છે.

ઇતિહાસના કહેવા મૂજબ ગાંધાર(આજનુ અફઘાનીસ્તાન)નો સમાવેશ પણ કાશ્મીરમાં થયો હતો.સમ્રાટ અશોકે કાશ્મીર અને ગાંધારમા બૌધ્ધધર્મના ફેલાવા માટે ધર્મગુરૂઓને ત્યાં મોકલ્યા હતાં.અશોકના અવસાન પછી વેદધર્મને પુનર્જીવન મળ્યું.કુશાન રાજ્યમાં બૌધ્ધધર્મનો અભ્યુદય થયો પણ છેવટે કાશ્મીરમાં વેદધર્મનું જ વર્ચસ્વ રહ્યું હતું.

ઇ.સ.સાતમી સદીમાં મહાનચીની યાત્રિક હ્યુ યાન ત્સાંગ કાશ્મીરમા આવ્યા ત્યારે નોંધ્યું હતું કે કાશ્મીરમાં પંજાબ અને ગાંધારનો સમાવેશ થતો હતો.આજે પણ કાશ્મીરમાં અંનતનાગ,બ્રિજવિહાર,માંર્તડ અને પટ્ટન વગેરે સ્થળોએ પાંચમીથી સાતમી સદી વચ્ચેનાં મોટા ખંડેરો મોજૂદ છે...

ત્યારે હિંદુ રજાઓની જાહોજલાલી હતી,વેદ અને બૌધ્ધ બંને ધર્મ સહુષ્ણુતાથી પાંગરતા હતાં.

ઇ.સ.૧૦૦૦થી મહમદ ગઝનીને હિંદનાં મુસ્તાકોના કાંગરા ખેરવવાની શરૂઆત કરી ત્યારે લગભગ ૨૨ આક્રમણો કર્યા હતા..પણ કાશ્મીરના હિંદુ રાજાઓએ ગઝનીનો ગજ વાગવા દીધો નહોતો.સમય જતાં પંજાબ અને અફઘાનીસ્તાન વગેરે મુસ્લિમ આક્રમણખોરોના હાથમાં જતાં અને ઉતરી હિંદુસ્તાન સુધી મુસ્લિમ આક્રમણ ખોરોનો પગપેસારો થતાં છેવટે ૧૩૯૬માં આમીરશાહ નામના અફઘાની મુસ્લિમ આક્રમણખોર સામે કાશ્મીરના રાજા ઉદયનદેવ ટકી ના શક્યો અને ઉદયનદેવનો વધ કરીને શમ્સુદીન નામ ધારણ કરીને કાશ્મીરની ગાદી ઉપર ચડી બેઠૉ.

એ પછી કાશ્મીરમાં હિંદુઓને બળજબરીથી નાપાક મુસલમાન બનાવવાનું શરું થયું.ત્યાં વિરાટ હિંદુમંદિરોને ધ્વસ્ત કરવાનું એક વ્યવસ્થિત અભિયાન શરૂ થયું.મોટાપાયે હિંદુ ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો.

પંડિત નહેરુંના કહેવા મૂજબ લગભગ ૯૫ ટકા વસતિ મુસ્લિમ બની ગઇ હતી.જો કે ઘણાખરા લોકોએ હિંદુઓના રીતિરીવાજો જાળવી રાખ્યા હતાં.પંડિત નહેરું આગળ લખે છે કે ૧૯મી સદીના અધવચ્ચે હિંદુ શાસન લાગુ પડતાં ત્યાંના એક મુસ્લિમ સમૂદાયે ફરીથી હિંદુ ધર્મ સ્વિકારવાનું નક્કી કર્યુ ત્યારે કાશ્મીરી પંડીતોએ એક વાર મુસ્લિમ બન્યા પછી ફરીથી હિંદુ બની શકે નહી એક કહીને આ માંગણીનો રાજા મારફત અસ્વિકાર કરાવ્યો.

વિજયગુપ્ત મોર્ય આ બનાવના સંદર્ભે લખ્યું છે કે,"આપણા દેશના હિંદુઓની અને ખાસ કરીને બ્રાહમણોની ટૂકી દર્શ્ટિના કારણે અને જડમાનશના કારણે દેશને કેટલુ મોટુ નુકશાન થયું તેનો આ ફકત એક જ દાખલો છે."

હવે આગળની વાત ઉપર આવીયે.એ પછી ૧૪મી સદીમાં કાશ્મીર ઉપર સિકંદર નામનો મુસ્લિમ આક્રમણખોર ચડી આવે છે.સિકંદર કટ્ટર ધર્મઝનૂની હતો.એના શાસનકાળ દરમિયાન એટલા મોટા પાયે હિંદુ મંદિરો અને ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો હતો..આ કાર્યને લીધે સિંકંદરને 'બૂતશિકત'(મૂર્તિભંજક)નું બિરુદ આપવામાં આવ્યુ હતું.

ઇ.સ.૧૫૨૬માં બાબરે દિલ્હીમાં મોગલ સલ્તનતનો પાયો નાંખ્યો ત્યારે ઉનાળામાં મોગલોને બહુ આકરો લાગતાં હવાફેર તેને કાશ્મીર જોઇતું હતું,પણ છેવટે ૧૫૮૬માં મોગલોના હાથમાં કાશ્મીરનો કબજો આવે છે

એ પછી છેક ૧૮મી સદીના ઉતરાર્ધમાં અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને શીખવિગ્રહનો લાભ લઇને શીખસત્તા તોડી પાડી.એના બદલામાં ઇસ્ટ લિન્ડિયા કંપની દુલિપસિંહ નામના શીખ રાજા પાસે એક કરોડ રૂપિયા અને પંજાબનો વિશાળ પ્રદેશ માંગ્યો.શીખો એક કરોડ રૂપિયા આપી શક્યા નહીં.આ સમયે રણજિતસિંહના ડોગરાનાં વંશજ ગુલાબસિંહે અંગેજોને ઓફર મુકી કે લાહોરના શીખ રાજા દુલિપસિંહનો એક કરોડ રૂપિયાનો દંડ હું ભરી આપુ એના બદલામાં મને જમ્મુ કાશ્મીરનો રાજા બનાવો.કારણકે એ સમયે શીખોના વિશાળ સામ્રાજય બીયાસથી સિંધુ નદી સુધી વિસ્તરેલો હતું.તેમાં જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાનનો વિશાળ ભાગ આવી જતો હતો.

છેવટે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમત્વ હેઠળ ૧૬ માર્ચ ૧૮૪૬ના રોજ કરાર મૂજબ ગુલાબસિંહ જમ્મુ અને કાશ્મીરના રાજા તરીકે નિમણૂક પામ્યા.રાજા ગુલાબસિંહે પાછળથી તિબેટ અને લડાખ પણ જીતી લીધા.છેલ્લી એક મુસ્લિમ સત્તા સ્કાર્દુમાં હતી એ પણ ગુલાબસિહે જીતી લીધી.એક વર્ષની અંદર જમ્મુ કાશ્મીર ઉપર પોતની સત્તા જમાવી દીધી.

છેવટે આઝાદી મળી ત્યાં સુધી કાશ્મીર ઉપર હિંદુઓનું શાસન રહ્યું.છેલ્લા રાજા હરિસિંહને આઝાદીના સમયે સ્વાયત કાશ્મીરનું દુસ્વપન આવ્યું,એ પછી નહેરું અને માઉન્ટ બેટની જોડીએ કાશ્મીરના અસ્તિત્વ ઉપર પ્રશ્નઅર્થ મુકી દીધો અને હજુ પણ યુનો આ પ્રશ્ન એમ ને એમ પડેલો છે.

હવે મુસ્લિમસતાની વાત ઉપર આવીયે.દુનિયાના દરેક દેશોમાં જ્યાં જ્યાં મુસ્લિમ શાસન છે.ત્યાની પ્રજાનું ધર્માતંર કરીને મુસ્લિમ બનાવવામાં આવી છે.તુર્કીમાં ઓટૉમાન તુર્કનું શાસન લાગુ પડતા બધા ઇસાઇઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યાં.બોલ્કન દેશો જેવા કે યુગોસ્લાવ્યા,સર્બિયા વગેરે.ત્યાંની મુળ પ્રજા ઇસાઇ હતી તેને મુસ્લિમ બનાવ્યા.હિંદુસ્તાનમાં જેટલા મુસ્લિમ છે તે બધાનું મુળ તો હિંદુ છે..ફકત અરબસ્તાની દેશોમાં જ અસલ મુસલમાન છે.

આપણે હિંદુઓ આપણા પૂર્વજોની જયગાથા થાકતા નથી.હિંદુસ્તાનથી ચાર હજાર કિ.મી.દુર અરબસ્તાનથી વીસ-પચ્ચીસ હજારનું સૈન્ય લઇને આવેલા અરબસ્તાની બાદશાહો વિશાળ હિંદુસ્તાન ઉપર શાસન કરી ગયાં.

એ આરબોએ કોઇ ગેબી સુચનાથી લશ્કરો બનાવ્યાં.હજારોની સંખ્યામાં અરબી નશલનાં ઘોડા પર ખેલનારા યોધ્ધાઓ તૈયાર કર્યા.ખૈબર,વાયા પંજાબ..એ આવ્યા.ઘોડાઓના ડાબલાઓના અવાજથી હિંદુસ્તાનની ધરતી ગાજી ઉઠી.એ જ રસ્તો.જ્યાંથી દરિયાવુશ,સાયરસ,કેમ્બેસિસ,સિંકદર,સ્કીધ્યન આવ્યા હતાં.ભગવદગીતા અને મહાભારતના યુધ્ધોના ઇતિહાસ પર મુસ્તાક હિંદના ખેંરખાઓના પાણી ઉતારી નાંખ્યાં.શસ્ત્રોને પૂજનારાના મુંછોના આંકડા નીચા થઇ ગયાં...

હિંદુસ્તાનની ભૂમિ ઋષીમૂનિઓ,સાધુંસંતો,યોગીઓની ફસલ માટે ફળદ્રુપ બનતી ગઇ.આ ભૂમિ પર યોધ્ધાઓની ફસલ પાકવાની બંધ થઇ ગઇ.અહિંસાવાદી પુરુષોની મબલખ ફસલ પાકતી ગઇ પરિણામે આવનારી પ્રજા પર આ અસર જોરદાર લાગુ પડતી ગઇ.નેપોલિયન,દરિયાવુશ,સાયરસ,હિટલર,મુસોલિની,ગઝની જેવા યોધ્ધાઓની ફસલ માટે હિંદુસ્તાનની ભૂમિ બંજર સાબિત થઇ.દુશ્મનની તલવારની ધાર સામે અહિંશાના ઉપદેશ આપતું પુસ્તક ઢાલ તરીકે વાપરવાનું હિંદુઓને ભારે પડયું.પરિણામે હિંદુઓના કાંડા કપાય ગયાં..

આપણૅ હિંદુઓ મહાભારત અને રામાયણના યુધ્ધોની જયગાથા ગાતા થાકતાં નથી.એક વખતનૉ લડાયક યોધ્ધો છેલ્લા બારસો વર્ષોમાં નબળૉ પડતો ગયો.શસ્ત્રોને પુજનારાઓના શસ્ત્રો બુઠા થઇ ગયાં. અલગ અલગ પંથો બનતાં ગયાં.અહિંશાવાદી,ધાર્મિકતત્વોની સુખાકારી અસર,ઐયાસવૃતિ વધતી ગઇ.કામશાસ્ત્રમાં પ્રવિણતા આવી ગઇ અને યુધ્ધશાસ્ત્રમાં નપુંશક્તા આવતી ગઇ.દશેરા ફક્ત રામને ખુશ કરવાં માટે ઉજવવાના છે.

અધુરામાં પુરૂં જવાહરલાલ અને માઉન્ટબેટનના કારણે ૩૭૦ની હિંદુસ્તાનને ખતરારૂપ કલમ મળી તે નફામાં.આ કલમ હિંદુસ્તાનના દરેક નાગરીકને એક જોરદાર તમાચારૂપ છે.આજે કાશ્મીરીઓ સ્વતંત્ર કાશ્મીરની માંગણી કરે છે તે તદન ગેરવ્યાજબી છે.પારકી ભૂમિ ઉપર રચાયેલી દરેક મુસ્લિમ સલ્તનતમાં અંદરોઅંદરની લડાઇઓ અને ટુકી બુધ્ધિના કારણે વહીવટ ખોંરભે ચડ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણી નજર સામેના દાખલા છે...

૩૭૦ની કલમ માટે જો કોઇ દોષીત હોય તો જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં.

જ્યારે શેખ વીલા મોઢે નહેરુ પાસે પાછા ગયા ત્યારે નહેરુએ બિટીશકાળના બાહોશ સનદી અધિકારી ગોપાલસ્વામી આંયગર ઉપર દબાણ કરીને બંધારણ સભામાં આ મુસદો રજુ કરાવ્યો.

એ તો ઠીક..તે સમયે મૌલાના આઝદ જેવા મુસ્લિમ નેતાએ પણ આ મુદદ્દાનો સખત વિરોધ કર્યો હતો.મૌલાનાએ પોતાની દલીલ રજુ કરતા કહ્યુકે,’આ આખી કલમ કાશ્મીરને દેશથી જુદુ પાદી દેશે.જોકે આ જ દલીલ સરદાર પટેલે પણ નહેરુની સામે ઉચ્ચારી હતી.

એ સમયે બંધારણના સભ્યોનો વિરોધ શાંત કરવા નહેરુએ કહ્યુકે,’આ કલમની જોગવાય કામચલાઉ ધોરણે છે.’

પરંતુ આજ સુધી નહેરુના વારસદારો ઇન્દિરાથી લઇને સોનીયા સુધી કોઇએ પણ આ કામચલાઉ જોગવાય દુર કરવાની હિંમ્મ્ત કરી નથી.

આઝાદીના સમયથી આજ લગી કોંગેશની નીતિ..”ગાય મારીને કુતરાને ધરાવવાની રહી છે.”

સરદાર પટેલ પછી કોંગેશમાં મર્દ નેતાની ફસલ પાકવાની બંધ થઇ ગઇ છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં ૮૦ટ્કાની બહુમતીની સામે ૧૨ટકાની લધુમતી ભારે પડે છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં મહિલાના કાયદાઓ મહિલાની જાતિને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે.

નહેરુના પાપે દેશની જનતાને કાશ્મીરના કારણે આવતો બોજો ભોગવવો પડે છે.

દેશની મહેનતકશ જનતાની પસિનાની કમાણીમાંથી આપણે રૂપિયા ૮૭૫/-એક કાશ્મીરીના માથાદીઠ ચુકવીયે છીયે.

૩૭૦ની કલમ હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીક માટે તમાચા રૂપ છે.અને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે

આપને બધાને જાણીને નવાઇ લાગશે કે જમ્મુ-કાશ્મીરના નાગરીકોને અલગ નાગરીકતાનો દરજ્જો પણ હાંસિલ છે.કાશ્મીરને સ્ટેટ સિટિઝનશીપ પણ નહેરુના પાપે મળી છે.એ જ રીતે દેશના તમામ રાજયો માટે હિંદુસ્તાનનો તિરંગો રાષ્ટ્રધ્વજ છે,જ્યારે કાશ્મીરનો પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ છે જે આપણા તિંરગાની સાથે લહેરાવવામાં આવે છે,જે હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીકોના ગાલે કારમી લપડાક છે.છેલ્લા થોડા વર્ષોથી હિંદના લશ્કરની મદદ વિના કાશ્મીરમાં આપણૉ તિરંગો પણ લહેરાવી શકતા નથી..રહી મુદાની વાત કાશ્મીરનો એક પણ મુસ્લિમ બચ્ચો “જયહિંદ” બોલતો નથી કે આપણૂ રાષ્ટ્રગીત “વંદે માતરમ” ગાતો નથી.જે માણસ હિંદુસ્તાનની જનતાની પસીનાની કમાણીમાંથી રૂપિયા ૮૭૫/-ચુકવાય છે..

એક આશીકમિજાજી અને હાથમાં ગુલાબ લઇને ફરનારા શાયરદિલ ઇન્સાનની નાસમજ અને નાદાનિયતની કિંમત આજે આમ હિંદુસ્તાની નાગરીક ચુકવી રહ્યો છે.

આજે બાળાસાહેબ અને રાજ ઠાકરે દ્વારા ચાલતી મરાઠી મુહિમનો વિરોધ કરવાં કોંગેશ સહિત બધા રાજકિય પક્ષો લાગી પડ્યા છે.ગાઇ વગાડીને કહે છે કે મુંબઇ દેશના દરેક નાગરીકો માટે છે.

પણ..જમ્મુ-કાશ્મીર માટે વાત જુદી પડે છે.કાશ્મીરમાં દેશના કોઇ બીજા રાજયનો માણસ નોકરીની અરજી સુધ્ધા કરી શકતો નથી,કારણકે કાશ્મીરમાં બીનકાશ્મીરી સિવાય કોઇને અરજી કરવાનો હક્ક જ નથી.

૩૭૦ની કલમની બીજી એવી અનેક જોગવાઇઓ છે જે દેશના સાચા નાગરીકો માટે કુઠરાઘાત સમાન છે.

જો કોઇ કાશ્મીરી કન્યા અન્ય હિંદુસ્તાની સાથે લગ્ન કરે તો ક્ન્યા તેની બાપીકી મિલકત્તમાંથી આપોઆપ બે-દખલ થઇ જાય છે.પરંતુ જો આ જ કાશ્મીરી કન્યા કોઇ પાકિસ્તાની નાગરીક સાથે શાદી કરે તો પાકિસ્તાની પુરુષને આપોઆપ હિંદુસ્તાનનું નાગરીકત્વ મળી જાય છે.

એ જ રીતે જો કોઇ કાશ્મીરીને દેશમાં કોઇ પણ રાજ્યમાં મિલકત ખરીદવી હોય તો ખરીદી શકે છે,પણ દેશના કોઇ પણ રાજયનો માણસ કાશ્મીરમાં મિલકત ખરીદ કરી શકતો નથી.

એ જ રીતે દેશના તમામ રાજયોનું બંધારણ એક જ છે,પણ કાશ્મીરનું બંધારણ પોતાનું જુદુ છે.રહી મહત્વની વાત..કાશ્મીરમાં જે કોઇ વ્યકિત ગવર્નર તરીકે જાય છે,એ વ્યકિત કાશ્મીરની વિધાનસભાની ચુંટણીમાં મત આપી શકતો નથી.

આવી જ એક આઘાતજનક એક વાત છે..હિંદુસ્તાનની સંસદ જે કાયદાઓ બનાવે તે આખા દેશને લાગુ પડે છે પરંતુ કાશ્મીર આ કાયદાઓ ત્યારે જ લાગુ પડી શકે જ્યારે રાજયની વિધાનસભા આ કાયદાઓને મંજુરી આપે.

હવે હિંદુસ્તાનના દેશપ્રેમી નાગરીકો આ તો હજુ પાશેરામાં પહેલી પુણી છે.જો હવે આપણે નહી જાગીયે તો સરકાર છાનેખુણે કાશ્મીરને ક્યારે પાકીસ્તાનને હવાલે કરી દેશે એ ખબર પણ નહીં પડે.

નહેરુની ગુસ્તાખીની સજા આપણે નિર્દોષ હિંદુસ્તાની નાગરીકો ક્યાં સુધી સહન કરીશું..?

સમય છે સાથે મળીને દેશના સાચા અને દેશપ્રેમી નાગરીકોએ ભેગા મળીને એકસુરમાં આ
આપણા ગાલ ઉપર લપડાક સમી ૩૭૦ની કલમનો વિરોધ કરવાનો..

કાશ્મીર સ્વતંત્ર થાય તે હિંદ માટે સૌથી મોટી લપડાક હશે !

જયહિંદ


નરેશ કે. ડૉડીયા

Friday, July 16, 2010

માણસ નથી બદલાતો.,માનસ બદલાય છે...

બદલાતો મોર્ડન જમાનો...આપણે કહીએ છીએ કે જમાનો બદલાય છે,પણ એવું નથી. 

માણસ નથી બદલાતો..માનસ બદલાય છે...

હા.. એવું જ છે... 

માણસ તો એનો એ જ છે.બદલાય છે અને ઉમેરાય છે ખોટી રીતભાતો..ખોટા ખોટા આડંબરો...ખોટા ખ્યાલો...
અવનવી ચીજો અને ટેકનોલોજીને લીધે રોજબરોજની જીન્દગી બદલાઈ રહી છે.નવું નવું શીખી રહ્યા છે લોકો..એમાં સારું પણ છે અને ખરાબ પણ...

એકલવાયું રહેવું ગમે છે હવે બધાને...સાથ નથી ખપતો સગાં-સંબંધી અને મિત્રોનો...

"જે નાતના પ્રસંગોમાં પહેલાં ખુશીથી જતાં, ત્યાં હવે આપણને ભીડ લાગે છે...
પસીનાથી ચીડ લાગે છે...
જે લગ્નો અને સમારંભોમાં જવા યુવાનો તલપાપડ થતા, ત્યાં હવે કાગડા ઉડે એવું લાગે છે... 
જ્યાં યુવાનો અને ગામના છોકરાઓ જમણવારની પંગતમાં જમવાનું પીરસતા, ત્યાં હવે કેટરિંગ વાળાઓ ભીડ ભાંગે છે...

એના બદલે... 

ડીસ્કો અને સિનેમામાં એમને ચસ્કો લાગે છે...ત્યાં જ એમને જાણે ફાવે છે...ત્યાંની ભીડ એમને 'કૂલ ક્રાઉડ' લાગે છે...ત્યાંનો પસીનો એમને 'ફ્રુટ જ્યુસ' લાગે છે..."

માણસ સામાજિક પ્રાણી છે અને એટલે જ એણે સમાજમાં રહેવું જોઈએ. 
ફક્ત ઇન્ટરનેટના 'સોશીઅલ નેટવર્કિંગ' ની સાથે સાથે એણે રૂબરૂમાં પણ લોકોને મળવું ન જોઈએ? 
તો જ દુનિયામાં કંઇક રહેશે...નહિ તો રોબોટોની જ દુનિયા થઇ ગઈ ગણાય ને...?

Thursday, July 15, 2010

તસ્વીર: પુનીતવનની મુલાકાતે...

મિત્રો,હમણાં રથયાત્રાના દિવસે રાજા હતી. તો અહી નજીક જ આવેલા એક ઉદ્યાનમાં જવાનું નક્કી કર્યું.એકલા જ વળી...હું મારો કેમેરા લઈને નીકળી પડ્યો...ઘણા સમયથી કંઈક સારી ફોટોગ્રાફી કરવાનું વિચારતો હતો...તો એ દિવસે ચાન્સ મળી ગયો... અહી એમની કેટલીક તસ્વીરો રજૂ કરું છું...આશા છે કે તમને ગમશે...અને તમારા પ્રતિભાવોની રાહ જોઇશ...

(મોટી સાઈઝમાં જોવા માટે ચિત્ર પર  click કરજો...)



Monday, July 5, 2010

બંધ આપવાથી શું થશે?

મિત્રો, આ બંધ અને આંદોલનો શું ખરેખર અસરદાર સાબિત થશે? શું ખરેખર એની અસર થશે અને પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટશે?તમને શું લાગે છે?એવું નથી લાગતું કે આ માત્ર લોકોને ઉલ્લુ બનાવવાનો કીમિયો હોય?કદી પણ આવા આંદોલનોથી સરકારે ભાવવધારો પુરેપુરો પાછો ખેચ્યો છે?નાં... આમાં કદાચ થશે એવું... કે ૧ રૂપિયો ઘટાડશે... એ બતાવવા કે આપણા દેશમાં લોકશાહી છે.. અને લોકોએ કીધું એટલે અમે ભાવ ઘટાડ્યો...

પણ બીજા દેશો કરતાં ભારતમાં ભાવો કેમ વધારે છે એ આપણે વિચાર્યું છે કદી?ના... આમ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઇલના ભાવો ઘટી રહ્યા છે.. છતા પણ આપણે ત્યાં ભાવો ઘટવાને બદલે વધી રહ્યા છે...એનું કારણ શું હોઈ શકે?

જે પેટ્રોલ પાકિસ્તાનમાં ૨૬ થી ૩૦ રૂપિયાની વચ્ચે વેચાય છે તે આપણે ત્યાં ૫૫ રૂપિયે કેમ છે?(પાકિસ્તાન અહી પાત્ર ઉદાહરણ છે.. બીજા પણ ઘણા દેશો છે જેમાં ભારત કરતાં ૫૦ % થી પણ ઓછા ભાવે બળતણ મળે છે.) એનું કારણ છે ઓઈલ ક્મ્પનીઓના જલસાઓ... ઓઈલ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના મસમોટા પગારો અને ભારે-ભરખમ ભથ્થાઓ...

સરકાર એમ કહે છે કે ઓઈલ કંપનીઓને ખોટ જઈ રહી છે... પણ હમણાં જ છાપાંમાં હતું એમ..છેલ્લા ૫ વર્ષોમાં વાહનો વધ્યા છે અને એને લીધે બળતણની ખપત પણ... પછી ખોટ ક્યાંથી હોય?

આ બનાવતી ખોટ ઉભી કરી અને આપણને જનતાને ઉલ્લુ જ બનાવી રહ્યા છે...ઓઇલના સટ્ટોડીયાઓને જલસા છે... કંપનીઓને પણ જલસા છે...સરકારના નેતાઓને તો જલસા જ છે..

સંસદસભ્યોના ભથ્થાં વધશે... સરકારના કર્મચારીઓના માટે પગારપંચો આવે... ગમે તેમ કરીને સરકાર પોતાની તિજોરી ભરવા માટે ટેક્સના નિયમો આમથી તમે બદલે રાખે... નોકરિયાતો અને મહેનતથી ધંધો કરનારને હેરાન કરે...

ઓઈલ કંપનીઓના કર્મચારીઓના પગારો..એમના ઠાઠમાઠ .. એમને અપાતી રાહતો અને ભથ્થાં... એ કોઈ મોટા લાટસાહેબોથી કમ નથી...એ ખર્ચાઓને પોષવા માટે...એમની ઐયાશીઓને છાવરવા સરકાર પ્રજા સાથે રમત રમી રહી છે એવું નથી લાગતું?

આમ ને આમ પેટ્રોલ ના ભાવો આસમાને પહોંચી જશે... દર વખતે કોઈ ને કોઈ વિપક્ષ બંધ આપીને જનતાને ચુપ કરાવી દેશે...અને આપણે આમ જ મૂંગા મોઢે સહન કરતાં રહીશું?

સરકારને જો ખરેખર નુકસાન જતું હોય તો એણે પેટ્રોલનો ઉપયોગ ઘટાડીને વૈકલ્પિક ઉર્જાના સંશોધનને પ્રોત્સાહન આપવું ના જોઈએ? એ પણ એક ચાલ જ છે... તમે અત્યારે બજારમાં સોલાર એનર્જીનાં ઉપકરણોના ભાવ જોયા છે? ચોરસ ફૂટ પર ભાવ ગણે છે એવું સાંભળ્યું છે...

એ કેમ એટલું બધું મોંઘુ છે?કેમ? કારણકે... કેટલાક લોકો નથી ઇચ્છતા કે આપણે મફત મળતી સુર્યની શક્તિનો ઉપયોગ કરીએ...અને જખ મારીને પણ પેટ્રોલ જેવાં બળતણ જ વપરાય...જેથી કરીને પૈસા પડાવી શકાય...

જો ખરેખર પ્રજાનું ભલું કરવું હોય .. તો એવા રસ્તાઓ શોધો.. કે લોકોને ઉર્જા મફત મળે છે એનો ઉપયોગ થાય... ભારત જેવાં દેશ માટે સુર્ય ઉર્જા ૩૬૫ માંથી ૨૬૫ દિવસ થો હોય જ છે ને? તો કેમ એના ઉપકરણો સસ્તા નથી કરાતા?

જો ખરેખર એવું થાય તો સરકારને જે વીજળીના રૂપિયા મળે છે તેમાં ખાસ્સો ઘટાડો થઇ જાય ને દોસ્તો... તો પછી એ લોકોના જલસા ક્યાંથી ચાલે?તો પછી આ પગારપંચો, ભથ્થાઓ અને કહેવાતા 'સેટિંગ' કઈ રીતે પુરા થાય? એટલે જ તો વીજ-કંપનીઓને પણ છૂટછાટ આપી દીધી છે લોકોને લૂટવાની...

"જેમ ફાવે તેમ કરો... પણ અમારું કંઈક કરો..." જેવો ઘાટ છે આ તો... એક દિવસ તો આવશે જ.. જયારે સુતેલા લોકો જાગશે... પણ ક્યારે?ક્યાં સુધી?આમ જ ચાલ્યા કરશે? આ તો કોઈ રીતે દેશ આગળ ન આવે એવી ગોઠવણ થઇ કહેવાય...

અને  પેલું હમણાં smsમાં કહે છે તેમ,
" કે ambulance કરતાં pizza વહેલાં પહોંચે...
police કરતાં લોકો ગુરખા અને secutity ને બોલાવે..."
આપણે  વિચારવા જેવું કે નહિ...

Friday, June 18, 2010

સંબધોની માળાના મણકા સાચવીએ...

આજે બધાની જિંદગી ઝડપી બની ગઈ છે.કોઇની જોડે સમય જ નથી.

કોઇને મળવા જવાનું હોય તો સમય નથી. કોઇના પ્રસંગમાં જવાનું હોય, તો સમય નથી.

પોતાના માટે કાંઈ લાવવું હોય તો પણ ઘણાને તો સમય નથી!

અને પછી આપણે જ એવી રા'વ ખાઈએ કે ફલાણા સંબંધો સાચવતા નથી. પણ હું એવું માનું છું કે તાળી એક હાથે નથી વાગતી...

અરે દરેક જણ એવું જ વિચારે કે સામેવાળો મિત્ર કે સંબંધી દરેક વસ્તુ માટે પહેલ કરે તો થઈ રહ્યું. સંબંધો તો ધીરે ધીરે પૂરા જ થઈ જશે!

આપણો સમાજ હવે બદલાઈ રહ્યો છે, ૧૦ થી ૧૫ વર્ષ પહેલાંનો ગાળો યાદ કરો...

તે વખતે લોકો એક બીજાને પત્રો લખતા એ પણ યાદ કરી કરીને...

અરે દીવાળીમાં તો બજારમાં શુભકામના માટેનાં "દીવાળી કાર્ડ" પણ ખૂટી જતાં યાદ છે?

છોકરાંઓ રજાઓમાં મામા-માસીને ત્યાં મહીનો મહીનો રે'તાં...

અને હવે, પત્રને બદલે ઈ-મેઈલ..ફોન...બધું ઝડપી...કોઈને કોઇની માટે સમય જ નથી મળતો...

આપણા ઘરડાંઓ કહી ગયા છે કે "પાણી પહેલાં પાળ બાંધવી".

આ બધું આમ જ રે'શે તો ધરમૂળથી પરિવર્તન આવી જશે. અત્યારે છે તેના કરતાં પણ પરિસ્થિતી બગડશે...

તો મિત્રો, આપણે પોતાના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓને યાદ કરતાં રહીએ..તેમને મળતાં રહીએ...

સાથે તહેવારો ઊજવતાં રહીએ...એમ જ એકબીજાના સાથ અને સહકારથી જિંદગી સરળ અને સુંવાળી બની રહેશે...

સાચી વાત ને? તો સંબધોની માળાના મણકા સાચવીએ...

Tuesday, June 15, 2010

સત્તાવાર અહેવાલ - રક્ષિત મસ્જિદોમાં ગુજરાત પ્રથમ, મંદિરોમાં દસમા ક્રમે...

આજે (મંગળવાર, તા.૧૫ જૂન,૨૦૧૦ ના રોજ) ગુજરાત સમાચારમાં એક સરસ અહેવાલ વાંચ્યો.
કેન્દ્રિય પુરાતત્વ ખાતાએ રક્ષિત મસ્જિદોના આંકડા બહાર પાડ્યા છે...જેમાં સૌથી વધુ ૪૪ ગુજરાતમાં છે...

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
યુ.પી - ૪૧
કર્ણાટક - ૩૨
દિલ્હી - ૧૯
બંગાળ - ૧૬
એમ.પી - ૧૪
આંધ્રપ્રદેશ - ૧૨
બાકીના રાજ્યોમાં ૧૦ થી ઓછી મસ્જિદો રક્ષિત છે.

જ્યારે મંદિરોની બાબતમાં ગુજરાત ૩૯ રક્ષિત મંદિરો સાથે ૧૦મા ક્રમે છે.

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
કર્ણાટક - ૨૦૩
તમિલનાડુ - ૧૧૩
યુ.પી - ૧૦૫
મહારાષ્ટ્ર - ૯૭
એમ.પી - ૮૦
આંધ્રપ્રદેશ - ૫૬
બંગાળ અને ઓરિસ્સા - ૪૫ પ્રત્યેકમાં
રાજસ્થાન - ૪૦

મિત્રો, આ જ બાતાવે છે કે ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અને ઘણા સમયથી એકબીજાને સમજીને અને સંપથી રહીએ છીએ.
તો પછી એવા દીલ દુઃખાવે એવા અણબનાવો કેમ બને છે? એ કેટલાક તોફાનીઓ કે પછી પૈસાથી ખરીદેલા તત્વોનું જ કામ હોય ને...
સામાન્ય માણસને તો પોતાના કામ અને જિંદગીથી જ મતલબ છે...
તો મિત્રો, આ સમજીને.. આપણે સાથે આગળ વધશું તો સૌને લાભ થશે અને એમાં જ ગુજરાતની અને દેશની પ્રગતી થશે...
આમ પણ રોજ જોડે રહેવાનું અને એકબીજાને નુકસાન પહોંચાડવાથી કોને લાભ થાય? આપણા જેવા લોકોને તો નથી જ, એ તમે જાણો જ છો...

આ વિષય પર તમારા પ્રતિભાવોની અપેક્ષા રાખીશ..

વરસાદનું આગમન...

મિત્રો, આજે વરસાદનું આગમન થઈ ચુક્યું છે. 


મેઘરાજાએ ઘણા દિવસો સુધી આપણને ટલ્લાવ્યા... ગરમીની જ્વાળાઓથી આપણે ત્રસ્ત હતા પણ હવે આહલાદક્તાનો અનુભવ કરીશું.
આકાશમાં વાદળો ઘેરાયાં છે અને સરસ ઝાપટું પડી રહ્યું છે... એટલે હું મારી જાતને એને કેમેરામાં કેદ કરતાં ન રોકી શક્યો...

પાનની પિચકારી ...

તમે પિચકારી તો જોઇ જ હશે...હોળીની, સાઈકલની દુકાને ઓઈલની... અને તમે પોતે પણ મારતા હશો ને.. બારી કે અગાસી પરથી... પાન-તમાકુની... નથી ખાતા? તો પાણીની તો અચૂક મારી જ હશે...

એ પિચકારી એવી... કે ગમે ત્યાં છૂટી પડે... ઘરની બારીમાં, વોશ-બેસિનમાં, બાથરૂમમાં, રોડ પર ચાલતાં ચાલતાં, બસ-ટ્રૈનમાં બેઠા બેઠા, સીડીઓમાં...

જવા દો.. અરે આ'નો તો કોઈ અંત જ નથી દોસ્તો...

પછી ભલેને કોઇ જતું હોય એના માથા કે કપડાં પર પડે... આપણને ક્યાં પડી છે બાપુ? આપડે તો ખાવાના ને જ્યાં ને ત્યાં થૂંકવાના...

સરકાર ગમે તેટલી જાહેરાતો કરે... આપણે તો બૉસ એ ખાઈ ખાઈને મરવા પણ તૈયાર, કે'વું છે કાંઈ! (જો કે આમા સરકારી કર્મચારીઓ કે અમલદારો જેઓ સારા હોદ્દા પર છે, તે પણ લાભ તો લે જ છે.પણ, કોઇ ખવડાવે તો!)

બધું ઠીક, પણ આપણે થૂંકતી વખતે એ પણ ના જોઇએ કે પાછળ આવતા કોઇ વાહન પર કે પછી માણસ પર પડશે...

આ આપણે નહી સમજીએ ત્યાં સુધી નહી પતે... બધા લોકોને કોઈ એક જાહેરાત કેવી રીતે રોકી શકે?

કે'વાનો મતલબ એવો છે.. કે જેને ચોરી કરવી જ છે.. તેને ગમે તેમ મથીને પણ પોલિસ રોકી ન શકે... એ ગમે ત્યાંથી ચોરીના નવા નવા રસ્તાઓ શોધી જ કાઢે ને...

આપણે પોતે જ એ બંધ કરી શકીએ તો જ એનો નિકાલ આવશે મિત્રો...