Showing posts with label દર્દ્. Show all posts
Showing posts with label દર્દ્. Show all posts

Friday, July 30, 2010

મનમાં વિચારોને બદલે ત્રાજવાં ...

કેટલાકના મનમાં વિચારોને બદલે ત્રાજવાં જ રમતાં હોય છે.
કોઈપણ વાતને બસ, ત્રાજવે તોળવા જ બેસી જાય.
પછી આંગળીઓના વેઢ ગણવા લાગી જાય.

'આમાં લાભ કેટલો થાય ? શું મળે ?
મોટા ભાગના માણસોની ભીતરમાં એક વેપારી પેસી ગયો છે.
ને અંદર બેઠેલો આ વેપારી એક જ કામ કરે છે

'શું મળે ? એનો જવાબ મેળવવાનું !
લાભનાં ત્રાજવાં લઈને જે બેઠો હોય છે...
પછી 'આમાં તો ઓછા મળે' 'આમાં તો કંઈ જ ન મળે' એવી બૂમરાણો લગાવવા બેસી જાય છે ! નફો

Tuesday, July 20, 2010

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

માણસની ઉત્પતિથી લઇને અત્યાર સુધી માણસ લડતો આવ્યો છે.જીવવા માટે લડે છે.સત્તા માટે લડૅ છે.જમીન માટે લડે છે.રાજ્ય અને દેશ માટૅ લડે છે.જોરુ માટે લડે છે.સંપતિ માટે લડે છે...સતત એક પ્રકારની લડાઇ કોઇને કોઇ સમયે લડતો રહે છે.

સતત લડવું એ કંઇ સુખનુ ઝરણૂ તો નથી જ ?માનવીને લડાઇના માર્ગેથી પાછો વાળવા માટે કોઇ એક સમર્થ કારણ હોવુ જરૂરી છે અને આ સમર્થ કારણ સમજાવી શકે એવા સમર્થ માણસની જરૂર પડે છે.આ લડાઇના ફાયદા અને ગેરફાયદા સમજાવી શકે એવા વિધવાન માણસની જરૂર પડે છે.

પરિણામે દરેક યુગમાં દરેક જગ્યાએ એક મહાન માણસનો ઉદય થતો રહ્યો છે.આ મહાન માણસોના ઉપદેશ થકી સમાજમાં અજંવાળુ ફેલાય છે.તેના આપેલા ઉપદેશોનો એક ગ્રંથ બને છે.કાળક્રંમે આ ગ્રંથ અમુક સમુહ માટે ધર્મગ્રંથ બની જાય છે.પરિણામે એક નવા પંથનો ઉદય થાય છે.

ખ્રિસ્તીઓનું બાઇબલ,હિંદુઓના અનેક ધર્મગ્રંથો,મુસ્લિમોનું કુરાન,યહુદીઓનુ તૌરાત,પારસીઓનું ઝંદ-અવેસ્તા જેવા અનેક ધર્મોના ધર્મગ્રંથો દુનિયાભરમાં અસ્તિત્વમાં આવ્યા.

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

ઇસ્લામમાં મઝહબનો અર્થ થાય છે,'માર્ગ'.જે રસ્તો સૌવની ભલાઇનો છે તે જ સાચો ધર્મ (માર્ગ) છે.

કુરાનમાં કહેવામાં આવ્યુ છે,"તમે સૌવ મનુષ્ય એક જ પ્રજાના છો,અને એક જ પ્રભુ તમારો માર્ગદર્શક છે,તેથી તેની પુજા કરો.લોકો એ પોતપોતાના અલગ વાડા બાંધ્યા છે,પણ સૌવને એક જ પ્રભુ પાસે જવાનું છે." (આમ્બિયા,૯૨-૯૩)

એક વાર કોઇએ પેંગબર સાહેબને પુછયુ કે "ધર્મ એટલે શુ?".એટલે પેંગબર સાહેબે જવાબ આપ્યો કે,"ધીરજથી સહન કરવુ અને બીજાઓનું કલ્યાણ કરવું તે ધર્મ."(અહમદ)

ધર્મનું કામ શું છે?મનુષ્ય માત્રને આપસની ફુટથી,લડાઇ ઝઘડાથી તથા ટંટાફસાદથી બચાવે;તેમને કુંટુબીજનોની જેમ પ્રેમના દોરે બાંધી રાખે;તેમનો સારો મનમેળ રાખે,વ્યવાહર કરવાનો,રહેણીકરણીનો અને જીવન ગુજરાવાનો ઢંગ શીખવે એવો પંથ.

દુનિયામાં છ મોટા ધર્મ છે અને તેમના ધર્મ ગ્રંથ આ મુજબ છે.હિંદુઓના ઋગવેદ તથા ઉપનિષદ તથા અંસખ્ય ધર્મગ્રંથો.યહુદીઓનો તૌરાત.પારસીઓનો ઝંદ અવેસ્તા.બૌધ્ધ લોકોનો ત્રિપિટક.ઇસાઇઓનો બાઇબલ અને મુસ્લિમોનો કુરાન.

આ છ ધર્મગ્રંથોનું બારીકીથી વાંચન કરો તો તેમા લખેલી વાતો મૂળભૂત રીતે એક સમાન લાગશે અને ક્યાંક કયાંક તો કથા,વાર્તા,પ્રંસગો અને ભાગો મળતા આવે છે.

હિંદુઓનો ઋગવેદ બધા ધર્મોમાં સૌથી જુનામાં જુનો ગ્રંથ છે અને છેવટનો ધર્મગ્રંથ કુરાન છે.

કુરાનના અન્નુર અધ્યાયમાં સ્તુતિઓ વાંચતાં ઋગવેદની કેટલી સ્તુતિઓનો આભાસ થયા રાખે છે.

કુરાન ઇશ્વરનું છેવટનું સ્વરૂપ કે નામ 'અલ્લાહ'છે.જ્યારે ઋગવેદમાં ઇશ્વરના અનેક નામોમાંથી એક નામ એક નામ 'ઇલ'છે.જે સંસ્કૃતમાં 'ઇલ'ધાતુ ઉપરથી નીકળે છે અને તેનો અથ થાય છે-ભજવુ કે પુજવુ.એવો અર્થ થાય છે.ઋગવેદમાં એક અધ્યાય 'સુક્ત ઇલા'ના નામે છે.

આજથી લગભગ છ હજાર વર્ષ પહેલા જે સુમેરિયન સંસ્કૃતિના લોકો તેમની ભાષામાં ઇશ્વરને 'ઇલ'ના નામે સંબોધન કરતી હતી.

મૌલાના આઝાદે રચેલ 'તરજુમાનુલ કુરાન'માં લખ્યુ છે કે કલદાની ભાષામાં અને સુરિયાની તથા અન્ય પ્રાચિન ભાષામાં ઇશ્વરના નામો મળતા આવે છે.જેમ કે કલદાનીમાં 'ઇલ્લાહીયા' અને ઇબરાનીમાં 'ઇલોહી' વગેરે.

જ્યારે ઇસાને શુળીએ ચડાવવામાં આવ્યા ત્યારે તેમના મુખમાંથી 'ઇલોહી' 'ઇલોહી'જેવાં શબ્દો નીકળ્યા હતાં(હે મારા ઇશ્વર , હે મારા ઇશ્વર).

કુરાનમાં જે રબ શબ્દ જેના ઉપરથી આવ્યો છે તે ઋગવેદમા "રૈ" છે."રૈ" એટલે કે જે આખી દુનિયાને પાળે છે.

કુરાનમાં 'અમને સન્માનના માર્ગે લઇજા' એ પ્રાથના આ રીતે છે,'એહ દેન્સ્સેરાતલ મુસ્તકિમ' છે.જ્યારે ઋગવેદમાં 'અગ્ને નય સુપથા'છે.


એ જ રીતે ઇશ્વર એક છે તે કુરાનમા લખેલુ છે-વહદુહુલાશરિકલહુ.અને વેદોમાં લખેલુ છે-એકમેવાદિતિયમ.

શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યુ છે કે,"જે માણસ ફાવતે રસ્તેથી ચાલીને ઇશ્વરને મેળવવાની કોશિશ કરે છે તેને ઇશ્વર એ જ માર્ગે મળે છે."

પારસી ધર્મગ્રંથમાં જરથુષ્ટ્રે કહ્યુ છે કે,"દુનિયામાં આજ પહેલાના ધર્મોને માનયી છીયે.એ સર્વે ભલાઇ તરફ લઇ જનારા છે."

ચીનનો મોટૉ જનસમુહ બૌધ્ધધર્મી છે.તેઓ પહેલેથી હિંદુસ્તાનના ભગવાન બુધ્ધ અને ચીનનાણ મહાન ધર્મગુરૂઓ લાઓત્સે અને ફુંગફુત્સેને માને છે.

ફુંગફુત્સેએ કહ્યુ છે કે,"હું પહેલાની વાતોને આગળ ચલાવી રહ્યો છું.હું કશું જ નવું કે નવી વસ્તું બતાવી શકતો નથી."

જ્યારે બુધ્ધે કહ્યુ છે કે,"મારા પહેલા કેટલાય બુધ્ધો આવ્યા અને મારા પછી પણ આવશે.હું પુરાણા પ્રકાશને જ પાથર્રી રહ્યો છું."


જ્યારે કિતાબ વાયેઝ તૌરાતમાં લખ્યુ છે કે,"આ સર્વ અમારા પહેલાથી ચાલતુ આવે છે અને દુનિયામાં કોઇ ચીજ નવી નથી."

કુરાનમાં પેંગબર સાહેબ કહે છે કે,"હું જુના ધર્મોના કે તેઓના પેંગબરોના ઉપદેશોને નાશ કરવા નથી આવ્યો,પરંતુ હું તેની પૂર્તિ કરવા આવ્યો છું."

એક શેર છે..

ફકત તફાવત નામકા હૈ
દરઅસ્લ સબ એક હી હૈ
જો આબે સાફીકી મૌજમે હૈ
ઉસીકા જલવા હુબાબમે હૈ.

(હે દોસ્તો,માત્ર નામનો જ ફર્ક છે.મુળમાં સર્વે એક છે.જે સ્વચ્છ પાણીની લહેરોમાં છે.તેનો જ જગમગાટ પરપોટામાં દેખાય છે.)

ગીતા અને કુરાન વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.આર્યવ્રતમાં કૌરવો અને પાંડવો એક જ કુંટુંબના હતાં અને એક જ દાદાના પૌત્રોઆ હતાં.લડાઇ લડનારા એક જ કુટુંબના હતાં.એ જ પ્રમાણે કુરાનમાં અરબદેશના પ્રખ્યાત કુંટુંબ'કુરેશ'ના સંતાનોની લડાઇની વાતો છે.એક રીતે જોઇએ તો કુરુવંશ અને કુરેશ વંશ વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.

'કૌરવ'શબ્દ કુરુના નામ ઉપરથી આવ્યો છે અને ઇરાનના એક ગ્રંથમાં પણ કૌરુશ અને કુરુ બંને શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે.ઇરાન પ્રખ્યાત શહેનશાહ 'કૌરુશ'જેનું અંગેજોએ વિકૃત સ્વરૂપ 'સાઇરશ'કરી નાંખ્યુ છે.જેનું અસલ નામ કૌરુશ છે.

આ એક ઐતહાસિક સમાનતા છે.મહાભારતના 'કુરુ'.અરબસ્તાનના 'કુરેશ'અને ઇરાનના કૈરુશ.

જે રીતે કૌરવોએ પાંડવો ઉપર કાળૉ કેર વર્તાવ્યો હતો,તેમની મિલકત પડાવી લીધી હતી,પાંડવોને એમના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં,ઝેરે આપવાની કોશિશ કરી હતી....એ જ રીતે કુરેશોએ મહમદ પેંગબર સાહેબને તથા એમના સગાઓને તથા એમના અનૂયાયીઓને મક્કામાંથી હાંકી કાંઢવામાં આવ્યા હતાં.

પેંગબર સાહેબને મક્કામાંથી એટલા માટે હાંકી કાંઢવામાં આવ્યા હતા કે એમને અંસંખ્ય દેવદેવીઓની પૂજા બંધ કરાવીને ફકત એક જ ઇશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો.

કારણકે એ પહેલા મક્કામાં મૂર્તિઓની પૂજા થતી હતી.કાબામાં હજારો ર્વષ જુનું મંદિર હતું અને એ મંદિરના પૂજારીઓ કુરેશો હતાં.કુરેશો સતત તેર વર્ષ સુધી પેંગબર સાહેબ તથા એમના અનૂયાયિઓ ઉપર જુલ્મ વર્ષાવતા રહ્યાં.

છેવટે પેંગબર સાહેન મક્કા છોડીને મદિના ચાલ્યા ગયાં.

મક્કામાં બાકી રહી ગયેલા પેંગબર સાહેબના સગાઓ અને અનુયાયીઓ ઉપર કુરેશોએ જુલ્મ વર્તાવવાનું ચાલુ રાખ્યુ.છતાં પણ કુરેશોનું પેટ ન ભરાયુ એટલે કુરેશોએ એક મોટુ લશ્કર બનાવીને મદિના ઉપર જ્યાં પેંગબર સાહેબે આશરો લીધો હતો ત્યાં ચડાઇ કરી.

આ લડાઇ પહેલા પેંગબર સાહેબનો ઉપદેશ હતો કે ,"બીજાના જુલ્મોને ધીરજથી અને શાંતિથી સહન કરી લેવા તથા બુરાઇઓનો બદલો ભલાઇથી આપવો.(હામીમ,૩૪-૩૬)

જ્યારે કુરેશોએ પહેલી વખત મદિના ઉપર ચડાઇ કરી ત્યારે કુરાનમાં પહેલી વખત તલવાર ઉપાડવાનું ફરમાન કરવામાં આવ્યુ.

ફરમાન આ રીતે લખેલુ છે,"લડાઇ માટે આપના ઉપર ચડાઇ કરવામાં આવી છે.જેનાં કારણે મારા અનુયાયીઓ ઉપર સંકટ આવી પડયુ છે.આ કારણસર મારાં અનુયાયીઓને લડાઇ લડવાની પરવાનગી આપુ છું.કારણકે આ નિર્દોષ લોકો ઉપર જુલ્મ છે.અને અલ્લાહ આપણી મદદ માટે પુરતા છે.અને આ ફરમાન એવા લોકો માટે જ છે,જેઓને પોતાના ઘરમાંથી હાંકી કાંઢવામાં આવ્યા છે.કારણકે આ લોકો એવું માને છે કે અલ્લ્લાહ એક જ છે....(હજ્જ,૩૯-૪૦)

જ્યારે ગીતાના (૧-૩૬) અને મનુસ્મૃતિમાં નરાધમ માટે "આતતાયી" જેવો શબ્દપ્રયોગ થયો છે,એટલે કે એવા લોકો જેઓ ઝેર ખવડાવે છે,લૂટ કરે છે,આગ લગાડે છે,અને એના જેવા અધમ કૃત્યો કરે છે.ટુકમા અત્યારે જે કૃત્યો આંતકવાદીઑ કરે છે.

મનુસ્મૃતિમાં આગળ લખે છે,"જો સામેથી આતતાયી આવતો હોય તો બીજો કશોય વિચાર કર્યા વિના આતતાયીને મારી નાંખવો જોઇએ."

ગુજરાત પોલીસે જે રીતે શાહબુદિન જેવા આતતાયીઓને મારી નાંખ્યા તે મનુસ્મૃતિ મૂજબ ધાર્મિક કાર્ય કહેવાય....???

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,"તારા હ્રદયની દુર્બળતા છોડીને ઉભો થા,અને યુધ્ધ કર.આ દુર્બળતા તને શોભતી નથી."(૨-૩૭)

જે રીતે પાંડવો અને કૌરવોના યુધ્ધમાં કાકા.મામા,સસરા તથા સગાસંબધી સામસામા લડાઇમાં ઉતર્યા હતાં.તે જ રીતે મદિનાનાં યુધ્ધમાં સગાસંબધીઓ સામસામા આવી ગયા હતાં.કારણકે મક્કામાં જે અનુયાયી પેંગબર સાહેબ સાથે જોડાયેલા હતા તેઓના સગાઓ સામા પક્ષે હતાં.

કુરાનમાં મુસ્લિમોને કહેવામાં આવ્યુ કે,"જે લોકો ઇશ્વરના રસ્તે ચાલતા લડાઇમાં મરી જશે તો જન્ન્તને પામશે અને જીતશે તો અલ્લાહ મોટૉ બદલો આપશે."

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,"જો તું લડાઇમાં માર્યો જઇશ તો સ્વર્ગને પામશે અને લડાઇ જીતશે તો આ પૃથ્વીનું રાજય તને ભોગવવા મળશે."

ગીતામાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"જનસમાજને અંધારામાંથી અંજવાળઆ તરફ લઇ જાય છે."(૧૦-૧૧)

કુરાનમાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"તે લોકોને અંધારામાંથી પ્રકાશ તરફ વાળે છે.(બકરહ,૨૫૭)

તો ઉપનિષદોમાં લખ્યુ છે કે,"તમસોમાંજ્યોતિર્ગમય"..એટલે કે ઉંડા અંધારેથી પ્રકાશ તરફ લઇજા.

પેંગબર સાહેબની પ્રાથના છે કે,"હે અલ્લાહ,અમને પ્રકાશ આપ."

ગીતામાં ઇશ્વરને વિશ્વ્તોમુખમ-એટલે કે સર્વ તરફ મુખ વાળૉ કેહેવામાં આવ્યો છે.

કુરાનમાં લખ્યુ છે કે," તમે જે તરફ વળૉ તે તરફ અલ્લાહ છે."

ગીતામાં ઇશ્વરને 'સર્વલોક મહેશ્વરમ'કહેવામાં આવ્યુ છે તો કુરાનમાં 'રબ્બુલઆલમિન્'(ફાતેહા-૧)એટલે કે સર્વલોકના માલિક કહેવામાં આવ્યુ છે

ગીતામાં ઇશ્વર માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો અન્ય કોઇ નથી."(૧૧-૪૩)

કુરાનમા અલ્લાહ માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો બીજો કોઇ નથી(એખલાસ-૪)

કુરાન શબ્દ 'કેરા'શબ્દ ઉપરથી આવ્યો છે.તેનો અર્થ થાય છે-જાહેર કરવું કે વાંચવું.સંસ્કૃત શબ્દ છે 'ક્રંદ'.અંગેજી 'ક્રાઇ'.અરબી શબ્દ 'કેરા'.કુરાનનો શાબ્દીક અર્થ છે-જાહેર થઇ શકે અથવા જાહેરમાં વાંચી શકાય તે,ધર્મગ્રંથ.

ઇસ્લામ પહેલા યહુદીઓ પોતાના ધર્મગ્રંથને'કરાહ'તરીકે ઓળખતા હતાં.યહુદીઓની ભાષા 'ઇબરાની' અને આરબોની ભાષા એકમેકને મળતી આવે છે.કરાહ અને કુરાનનો અર્થ સમાન છે .ખુદ કુરાનમાં પોતાના પહેલાના ધર્મોગ્રંથોને કુરાન નામ આપવામાં આવ્યુ છે.(૧૫-૮૦,૯૧)

મહમદ સાહેબ તથા બીજા સર્વે ઉપદેશો,વાતો તથા દતંકથાઓને 'હદીસ'કહેવામાં આવે છે.તે ઇશ્વરીય સંદેશ ગણવામાં આવતા નથી.

મહમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્રો,ચામડાના ટુકડાઓ કે લાકડાની પેટી કે પથ્થર પાટૉ પર ઉતારી લેવામાં આવતા હતાં.આ બધા ચર્મપત્રો કે તાડપત્રોને એક પેટીમા ખડકી દેવામાં આવતાં હતાં.એમાનાણ કેટલાક ભાગોને મહમદસાહેબની સુચના મૂજબ જુદી જુદી સુરાઓ(અધ્યાય)માં સાંકળી લેવામાં આવ્યા હતાં.

કુરાનમા કહેવામાં આવ્યુ છે કે,"અલ્લાહ ચાહે તો તે આયાતોને રદ કરી શકે છે અને લોકોના સ્મરણપટમાંથી ભૂંસી શકે છે.અથવા એનાથી વધુ સારી આયાતો મુકી શકે છે;કારણકે અલ્લાલાહ સર્વશકિતમાન છે."(૨-૧૧૦)

પેંગબર સાહેબની હયાતીમાં જ ૬૦ જેટલી આયાતો રદ થઇ હતી.કુરાનની આયાતો અને આપણા વેદોની ઋચા આમ જુઓ તો સમાન અર્થી છે.
પેંગબર સાહેબ પછી પહેલા ખલિફા અબુબક્ર સાહેબે પેટીમાં ભરેલા બધા ટૂકડાઓને અને અમુક કંઠસ્થ ભાગોને એકઠા કરીને ૧૧૪ સુરાઓનો સંગ્રહ તૈયાર કર્યો અને પેંગબર સાહેબની વિધવા હિફસા પાસે રાખ્યો.

આમાનાં કેટલાક ભાગોની નકલો બીજા પાસે પણ હતી.પરિણામ એ આવ્યુ કે મક્કા,મદિના અને ઇરાકમાં અન્ય કુરાન અસ્તિત્વમાં આવ્યા.છેવટે ત્રીજા ખલિફા ઉસામાએ જે આવૃતિ અબુબક્રએ તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત કરવામાં આવી.અન્ય પ્રાંતોમાં જે અન્ય કુરાન ઉપલબ્ધ હતાં તે પરત મંગાવીને રદ કરવામાં આવ્યા.(વિઝડમ ઓફ કુરાન.લે.મહમદ મુહતર પાસા.પાનાનં-૪૫)

આટલુ કર્યા પછી પણ આજે ૧૪૦૦ વર્ષ પછી સાત જાતના કુરાન ઉપલબ્ધ છે.ફર્ક માત્ર એટલો છે કે કોઇકમાં એક આયાતોની બે આયાતો કરવામાં આવી છે.એક કુરાનમાં ૬૦૦૦ આયાતો છે,એકમાં ૬૨૧૪,એકમાં ૬૨૧૯,એકમાં ૬૨૨૬,એકમાં ૬૨૨૫ આયાતો છે.પંરતુ લખાણ એનુ એ જ છે

નરેશ કે. ડૉડીયા

Friday, July 16, 2010

ઘરના નાકે વિતાવેલી ...

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.
જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.
દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે.....
આભાર, સની મેહતા.

માણસ નથી બદલાતો.,માનસ બદલાય છે...

બદલાતો મોર્ડન જમાનો...આપણે કહીએ છીએ કે જમાનો બદલાય છે,પણ એવું નથી. 

માણસ નથી બદલાતો..માનસ બદલાય છે...

હા.. એવું જ છે... 

માણસ તો એનો એ જ છે.બદલાય છે અને ઉમેરાય છે ખોટી રીતભાતો..ખોટા ખોટા આડંબરો...ખોટા ખ્યાલો...
અવનવી ચીજો અને ટેકનોલોજીને લીધે રોજબરોજની જીન્દગી બદલાઈ રહી છે.નવું નવું શીખી રહ્યા છે લોકો..એમાં સારું પણ છે અને ખરાબ પણ...

એકલવાયું રહેવું ગમે છે હવે બધાને...સાથ નથી ખપતો સગાં-સંબંધી અને મિત્રોનો...

"જે નાતના પ્રસંગોમાં પહેલાં ખુશીથી જતાં, ત્યાં હવે આપણને ભીડ લાગે છે...
પસીનાથી ચીડ લાગે છે...
જે લગ્નો અને સમારંભોમાં જવા યુવાનો તલપાપડ થતા, ત્યાં હવે કાગડા ઉડે એવું લાગે છે... 
જ્યાં યુવાનો અને ગામના છોકરાઓ જમણવારની પંગતમાં જમવાનું પીરસતા, ત્યાં હવે કેટરિંગ વાળાઓ ભીડ ભાંગે છે...

એના બદલે... 

ડીસ્કો અને સિનેમામાં એમને ચસ્કો લાગે છે...ત્યાં જ એમને જાણે ફાવે છે...ત્યાંની ભીડ એમને 'કૂલ ક્રાઉડ' લાગે છે...ત્યાંનો પસીનો એમને 'ફ્રુટ જ્યુસ' લાગે છે..."

માણસ સામાજિક પ્રાણી છે અને એટલે જ એણે સમાજમાં રહેવું જોઈએ. 
ફક્ત ઇન્ટરનેટના 'સોશીઅલ નેટવર્કિંગ' ની સાથે સાથે એણે રૂબરૂમાં પણ લોકોને મળવું ન જોઈએ? 
તો જ દુનિયામાં કંઇક રહેશે...નહિ તો રોબોટોની જ દુનિયા થઇ ગઈ ગણાય ને...?

Thursday, July 15, 2010

આવતી કાલમાં શું છુપાયેલું છે...

આવતી કાલમાં શું છુપાયેલું છે તે આપણે કોઈ જાણતા નથી, પણ આજે અને અત્યારે જે સામે છે તેનીતો આપણને બરાબર ખબર છે, છતાં નવાઈની વાત એ છે કે અત્યારની પળે અત્યારનું કામ કરવાને બદલે તેને આવતી કાલની ચિંતામાં આપણે વેડફી નાખીએ છીએ
 આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, July 9, 2010

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ.

ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ.

કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ.

ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ.

ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.

રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન

ચાહું છું મારી જાતને

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

- શેખાદમ આબુવાલા

મારા મનમાં તારી જ તસ્વીર છે ...

મારા મનમાં તારી જ તસ્વીર છે...અને મારી આત્મામાં તારી જ કસર...
એક દિવસ તો ઉપરવાળો એ જોશે...આપણા પ્રેમની અસર...

Thursday, July 8, 2010

મારી યાદોની ગુંજ તને ...

મારી યાદોની ગુંજ તને આવતા જન્મમાં પણ સંભળાશે.
નથી મારી કિસ્મતમાં તારી કિસ્મતની એ લકીર.

ભલે મળીશુ આપણે આ જન્મારા પુરા થયા પછી,
તારી યાદોની યાદીની ટિપણ બની છે લાંબી....

સ્વર્ગમાં પણ આપને ક્યાં સુખ ચેન મળે કયાંથી,
ત્યાં પણ હશે અનેક કિસ્મતના ફુટેલાનૉ જમાવડૉ.

ઈશ્વર સાથે હું પણ લડીશ બસ તારો સાથ જરૂરી,
માંગી લઇશ હું તને બેસીને ઉપવાસી છાવણીમાં.

પછી હું પણ જોઇશ કે મારો પ્રેમ સાચો કે ઇશ્વર,
રામનાં નામે જિંદગી જીવી ગાંધીની અસર કેટલી.

ગાંધી ચીંધ્યા માર્ગની અસર કેવી જોઇ લઇશું
ઇશ્વર સામેની અહીંસક લડતની લડાઇ થકી.

ભલે આ જન્મમાં મારી ન બની શકી તું,
આવતા જન્મની આઝાદીનો સુરજ જોઇ શકીશું.

નરેશ કે. ડૉડીયા

Monday, July 5, 2010

દુનિયામાં સબળ સામ્રાજ્ય કોનું?

દુનિયામાં સબળ સામ્રાજ્ય કોનું?  ‘પ્રેમ’નું કે ‘વહેમ’નું?

આજે ‘મકાનો’ હસે છે, પણ ‘માણસ’ રડે છે!
‘ખોરડું’ હોય કે ‘ગગનચુંબી’ ઈમારત, પણ જે ઘરમાં પ્રેમભીનું વાતાવરણ નહીં
હોય ત્યાં સુખ-શાન્તિ નહીં પ્રગટે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

બંધ આપવાથી શું થશે?

મિત્રો, આ બંધ અને આંદોલનો શું ખરેખર અસરદાર સાબિત થશે? શું ખરેખર એની અસર થશે અને પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટશે?તમને શું લાગે છે?એવું નથી લાગતું કે આ માત્ર લોકોને ઉલ્લુ બનાવવાનો કીમિયો હોય?કદી પણ આવા આંદોલનોથી સરકારે ભાવવધારો પુરેપુરો પાછો ખેચ્યો છે?નાં... આમાં કદાચ થશે એવું... કે ૧ રૂપિયો ઘટાડશે... એ બતાવવા કે આપણા દેશમાં લોકશાહી છે.. અને લોકોએ કીધું એટલે અમે ભાવ ઘટાડ્યો...

પણ બીજા દેશો કરતાં ભારતમાં ભાવો કેમ વધારે છે એ આપણે વિચાર્યું છે કદી?ના... આમ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઇલના ભાવો ઘટી રહ્યા છે.. છતા પણ આપણે ત્યાં ભાવો ઘટવાને બદલે વધી રહ્યા છે...એનું કારણ શું હોઈ શકે?

જે પેટ્રોલ પાકિસ્તાનમાં ૨૬ થી ૩૦ રૂપિયાની વચ્ચે વેચાય છે તે આપણે ત્યાં ૫૫ રૂપિયે કેમ છે?(પાકિસ્તાન અહી પાત્ર ઉદાહરણ છે.. બીજા પણ ઘણા દેશો છે જેમાં ભારત કરતાં ૫૦ % થી પણ ઓછા ભાવે બળતણ મળે છે.) એનું કારણ છે ઓઈલ ક્મ્પનીઓના જલસાઓ... ઓઈલ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના મસમોટા પગારો અને ભારે-ભરખમ ભથ્થાઓ...

સરકાર એમ કહે છે કે ઓઈલ કંપનીઓને ખોટ જઈ રહી છે... પણ હમણાં જ છાપાંમાં હતું એમ..છેલ્લા ૫ વર્ષોમાં વાહનો વધ્યા છે અને એને લીધે બળતણની ખપત પણ... પછી ખોટ ક્યાંથી હોય?

આ બનાવતી ખોટ ઉભી કરી અને આપણને જનતાને ઉલ્લુ જ બનાવી રહ્યા છે...ઓઇલના સટ્ટોડીયાઓને જલસા છે... કંપનીઓને પણ જલસા છે...સરકારના નેતાઓને તો જલસા જ છે..

સંસદસભ્યોના ભથ્થાં વધશે... સરકારના કર્મચારીઓના માટે પગારપંચો આવે... ગમે તેમ કરીને સરકાર પોતાની તિજોરી ભરવા માટે ટેક્સના નિયમો આમથી તમે બદલે રાખે... નોકરિયાતો અને મહેનતથી ધંધો કરનારને હેરાન કરે...

ઓઈલ કંપનીઓના કર્મચારીઓના પગારો..એમના ઠાઠમાઠ .. એમને અપાતી રાહતો અને ભથ્થાં... એ કોઈ મોટા લાટસાહેબોથી કમ નથી...એ ખર્ચાઓને પોષવા માટે...એમની ઐયાશીઓને છાવરવા સરકાર પ્રજા સાથે રમત રમી રહી છે એવું નથી લાગતું?

આમ ને આમ પેટ્રોલ ના ભાવો આસમાને પહોંચી જશે... દર વખતે કોઈ ને કોઈ વિપક્ષ બંધ આપીને જનતાને ચુપ કરાવી દેશે...અને આપણે આમ જ મૂંગા મોઢે સહન કરતાં રહીશું?

સરકારને જો ખરેખર નુકસાન જતું હોય તો એણે પેટ્રોલનો ઉપયોગ ઘટાડીને વૈકલ્પિક ઉર્જાના સંશોધનને પ્રોત્સાહન આપવું ના જોઈએ? એ પણ એક ચાલ જ છે... તમે અત્યારે બજારમાં સોલાર એનર્જીનાં ઉપકરણોના ભાવ જોયા છે? ચોરસ ફૂટ પર ભાવ ગણે છે એવું સાંભળ્યું છે...

એ કેમ એટલું બધું મોંઘુ છે?કેમ? કારણકે... કેટલાક લોકો નથી ઇચ્છતા કે આપણે મફત મળતી સુર્યની શક્તિનો ઉપયોગ કરીએ...અને જખ મારીને પણ પેટ્રોલ જેવાં બળતણ જ વપરાય...જેથી કરીને પૈસા પડાવી શકાય...

જો ખરેખર પ્રજાનું ભલું કરવું હોય .. તો એવા રસ્તાઓ શોધો.. કે લોકોને ઉર્જા મફત મળે છે એનો ઉપયોગ થાય... ભારત જેવાં દેશ માટે સુર્ય ઉર્જા ૩૬૫ માંથી ૨૬૫ દિવસ થો હોય જ છે ને? તો કેમ એના ઉપકરણો સસ્તા નથી કરાતા?

જો ખરેખર એવું થાય તો સરકારને જે વીજળીના રૂપિયા મળે છે તેમાં ખાસ્સો ઘટાડો થઇ જાય ને દોસ્તો... તો પછી એ લોકોના જલસા ક્યાંથી ચાલે?તો પછી આ પગારપંચો, ભથ્થાઓ અને કહેવાતા 'સેટિંગ' કઈ રીતે પુરા થાય? એટલે જ તો વીજ-કંપનીઓને પણ છૂટછાટ આપી દીધી છે લોકોને લૂટવાની...

"જેમ ફાવે તેમ કરો... પણ અમારું કંઈક કરો..." જેવો ઘાટ છે આ તો... એક દિવસ તો આવશે જ.. જયારે સુતેલા લોકો જાગશે... પણ ક્યારે?ક્યાં સુધી?આમ જ ચાલ્યા કરશે? આ તો કોઈ રીતે દેશ આગળ ન આવે એવી ગોઠવણ થઇ કહેવાય...

અને  પેલું હમણાં smsમાં કહે છે તેમ,
" કે ambulance કરતાં pizza વહેલાં પહોંચે...
police કરતાં લોકો ગુરખા અને secutity ને બોલાવે..."
આપણે  વિચારવા જેવું કે નહિ...

Thursday, June 24, 2010

વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે ...

સાસુ-વહુના સંબંધોને નવેસરથી સમજવાનો... સ્વીકારવાનો સમય આવી ચૂક્યો છે એવું નથી લાગતું ? સ્વસ્થ સંબંધો, સ્વસ્થ કુટુંબ અને તંદુરસ્ત સમાજનું લક્ષણ છે. આ એક સંબંધ સુધરી શકે... પરિવર્તન પામી શકે તો વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Wednesday, June 23, 2010

હાઈકોર્ટના જજની ગાડી...

એક હતી હાઈકોર્ટના જજની ગાડી... એને હતી બહુ જ આળ-પંપાળ...

માથે લાલ લોટો... અને આગળ-પાછળ હોદ્દાનું લખાણ...

રોડ ક્રોસ કરવામાં પડતી'તી બહુ જ તકલીફ...એ હતી ખાસ અને બીજા બધા 'આમ'...

માટે એના આવવા-જવાના સમયે...ઊભી રખાતી ગાડીઓ તમામ...

રોડ પર બનાવવામાં આવ્યા કંઈ કેટલાયે પાળિયા...'હાઈવે' તો રહ્યું માત્ર નામ...

સદીઓથી ચાલતાં હતાં કેટલાંયે શટલિયાં ગેરકાયદે અહીં...એને ક્યાં પડી'તી કાંઈ!

એક દી ઘટના એવી થઈ...શટલીયાએ એને હારે થઈને બકી ભરી...

ત્યારે એને ભાન થયું... કે, "મારે આવું થયું તો ના જ ચાલે"...

નામે કાયદા અને સેફટીના...મારી શટલીયાના પેટે થોડા દી માટે લાત...

એસ. ટી. વાળા મન ફાવે તેમ કરે... મુસાફરો તો બસ... રઝળ્યા કરે...

'ક' મને પણ.. શટલીયામાં... મજબૂરીના માર્યા ફરે...

કંઈ કેટલાયે ગેલન ને લીટર વેડફાય છે આ પાળિયાઓની જોહુકમીથી...

ઊલટાનાં એની આગળ પાછાં બેંકોની જાહેરાત વાળાં રસ્તો સાંકડો કરતાં લોઢાંનાં પાટિયાં...

પણ એ ગાડીને ક્યાં પડી છે...'આપણે તો ઘી કેળાં ને ભજીયાં'...

પારકા પૈસે દીવાળી ને પ્રજાની મહેનતની થાય હોળી...

ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ...

આ જગતમાં સદીઓથી ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ચાલતા રહ્યા છે : ન્યાય,
અન્યાય, ગરીબી અને ગુનો. અન્યાયના ઉકરડા પર ન્યાયની ધજા ફરકે છે અને
ગરીબીની કૂખેથી ગુનો જન્મ પામતો હોય છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Sunday, June 20, 2010

માતૃભાષા ...

ઘણા તો માતૃભાષા નહીં જાણતા હોવાનો ડોળ કરે છે
મહાનુભાવો સાથે વાતચીત માટે ફાંકડા અંગ્રેજી વિના ન ચાલે ?
‘કમ્યુનિકેશન’ ભાષા થકી નહીં બે વ્યક્તિ વચ્ચેની સંવાદિતા અને જરૂરિયાતથી થતું હોય છે
મોબાઈલ પર અડધો કલાક વાતો કરનાર બે વ્યક્તિ સામસામે બેઠા હોય ત્યારે નિઃશબ્દ બની જતા હોય છે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Tuesday, June 15, 2010

સત્તાવાર અહેવાલ - રક્ષિત મસ્જિદોમાં ગુજરાત પ્રથમ, મંદિરોમાં દસમા ક્રમે...

આજે (મંગળવાર, તા.૧૫ જૂન,૨૦૧૦ ના રોજ) ગુજરાત સમાચારમાં એક સરસ અહેવાલ વાંચ્યો.
કેન્દ્રિય પુરાતત્વ ખાતાએ રક્ષિત મસ્જિદોના આંકડા બહાર પાડ્યા છે...જેમાં સૌથી વધુ ૪૪ ગુજરાતમાં છે...

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
યુ.પી - ૪૧
કર્ણાટક - ૩૨
દિલ્હી - ૧૯
બંગાળ - ૧૬
એમ.પી - ૧૪
આંધ્રપ્રદેશ - ૧૨
બાકીના રાજ્યોમાં ૧૦ થી ઓછી મસ્જિદો રક્ષિત છે.

જ્યારે મંદિરોની બાબતમાં ગુજરાત ૩૯ રક્ષિત મંદિરો સાથે ૧૦મા ક્રમે છે.

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
કર્ણાટક - ૨૦૩
તમિલનાડુ - ૧૧૩
યુ.પી - ૧૦૫
મહારાષ્ટ્ર - ૯૭
એમ.પી - ૮૦
આંધ્રપ્રદેશ - ૫૬
બંગાળ અને ઓરિસ્સા - ૪૫ પ્રત્યેકમાં
રાજસ્થાન - ૪૦

મિત્રો, આ જ બાતાવે છે કે ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અને ઘણા સમયથી એકબીજાને સમજીને અને સંપથી રહીએ છીએ.
તો પછી એવા દીલ દુઃખાવે એવા અણબનાવો કેમ બને છે? એ કેટલાક તોફાનીઓ કે પછી પૈસાથી ખરીદેલા તત્વોનું જ કામ હોય ને...
સામાન્ય માણસને તો પોતાના કામ અને જિંદગીથી જ મતલબ છે...
તો મિત્રો, આ સમજીને.. આપણે સાથે આગળ વધશું તો સૌને લાભ થશે અને એમાં જ ગુજરાતની અને દેશની પ્રગતી થશે...
આમ પણ રોજ જોડે રહેવાનું અને એકબીજાને નુકસાન પહોંચાડવાથી કોને લાભ થાય? આપણા જેવા લોકોને તો નથી જ, એ તમે જાણો જ છો...

આ વિષય પર તમારા પ્રતિભાવોની અપેક્ષા રાખીશ..

Tuesday, June 8, 2010

જીવન એટલે...

સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી તેમાં એટલાં જ વજન જેટલો આનંદ રેડીન ઠીક-ઠીક સમય સુધી વૈરાગ્યનાં ફ્રીજમાં રાખો. કલાક પછી ચોસલાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આ સ્વાદીષ્ટ વાનગી નું નામ છે - "જીવન"

દુષ્યંત બારોટ

Monday, June 7, 2010

સાથી ગુમાવ્યો છે સાથ નહી...


સાથી ગુમાવ્યો છે સાથ નહી.
રમતમા હારી નથી સમય ઓછો પડ્યો..
જીંદગીમા સફળતાને આંબી રહી છું.
કોઈ સમજે યા ન સમજે તારી ફરજ ન ચૂકાય.
કુટુંબ અને મિત્રમંડળમા પ્રેમ આપો, તે કદી ખૂટવાનો નથી.
...કર્મ કર્યા વગર જીવનમા રહી શકાવાનું નથી.
ભૂલ હોયતો માફી માગવામા શરમ શેની.
જો લાગણી દુભાય તો જરૂરથી સામી વ્યક્તિને જણાવશો.
જ્ઞાનની શક્તિ અપરંપાર છે.
ભક્તિ અને નમ્રતા સુવાસ ફેલાવે છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Saturday, June 5, 2010

(છેલ્લી એક તક આપી દે....)

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.
આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.
એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.
‘હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘ અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
‘ અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’
ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’
મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું?
અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’
બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
‘ અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું.
માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,
હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.
અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.
મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.
‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે?
હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે?
ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.
પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘
હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.
‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘
એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!”
પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?
’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘
હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘
હું રડી પડું છું.
‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં.
મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું,
એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’
મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી.
‘અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’
---------------------------------------------------------------------------

મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું,
"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”
‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.
કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?


I don't want to feel guilty after I will die. I don't want to apologize that I have not told that I love you. I don't want to apologize that I have not told my friends thanks for your helps. I would like to live today. Who knows what happen tomorrow. will tell u lots of if meet...otherwise chalate chalte mere ye geet yaad rakhana kabhi alavida na kahena..