આમ્ તો આ ફોટો બધું કઈ જાય છે,છતાં પણ બન્ને અલગ છે.તમે વાપરીને નક્કી કરો કે કયું તમારી માટે સારું છે. ઃ)

વિનયભાઇ-અનિમેશ અંતાણી નુ ટુલબાર (IE + Firefox) | નીલેશભાઇ-કાકાસાબ નુ ટુલબાર(IE)
હુ હમણાં મહારાષ્ટ્ર ગયો હતો. ત્યાં રાજ ઠાકરેની ઝુંબેશ જોરદાર ચાલે છે એ તો બધાને ખબર જ છે.
અને ત્યાંજ નહિ, તમે ભારતના કોઇ પણ રાજ્ય માં જાઓ, ત્યાં તમારી દાદાગીરી નહિ ચાલે. અને ગુજરાત મા? છે અહી એવુ? ના. અહી તો કોઇ પણ બિન-ગુજરાતી તમારી જોડે બબાલ કરશે, કેમ? કેમ કે એને ખબર છે કે કોઇ વચ્ચે નહી પડે.
આપણે જ એક બીજાને મદદ નહી કરીએ, તો કોઇ પણ આપણને હેરાન કરશે. આપણે કાઈ દાદાગીરી નથી કરવાની, પણ કોઇ ખોટી રીતે હેરાન કરે, એ પણ તમારા ઘરમાં આવીને , તો એ થોડું જ સહન કરાય?
મહારાષ્ટ્માં જે થાય છે તે બરોબર જ છે.અને ગુજરાતમાં પણ થવું જ જોઈએ, જે થી લોકો બીજા પ્રદેશો માં જઈને તંગ સ્થિતી પેદા ના કરે.
તમે ગુજરાત સિવાય ના કોઇ પણ રાજ્ય માં જુઓ, તો બધે એવું જ છે. અને ગુજરાતી ને બધા એના ઘરમાં પણ હેરાન કરી જાય છે. આવું ક્યાં સુધી ચાલશે?
તમને નથી લાગતું, કે આપણે પણ કોઇ ઝુંબેશ શરુ કરવી જોઇએ?
'ગુજરાત બચાવો આંદોલન' કે એવું કઈક? જે ખરેખર રક્ષણ માટે હોય, નહી કે ગુંડાગર્દી માટે.
હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ
તને પુછી રહ્યો છુ હું તને મળવાના રસ્તાઓ
બધો આધાર છે એના જતી વેળાના જોવા
પરમિલનમાંથી નથી મળતા મહોબતના
પુરાવાઓ જીવન પુરતી નથી હોતી મુકદરની સમસ્યાઓ
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ
જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.-
મોરારજી દેસાઈ
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...
એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....
એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."
કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.
એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...