Tuesday, May 13, 2008

બસ દુર્દશા નો

બસ દુર્દશા નો એટલો આભાર હોય છે,
જે ને મળુ છુ, એ મુજ થી સમજદાર હોય છે.
ટોળે વળે છે કોઇ ની દિવાનગી ઉપર,
દુનિયા ના લોકો કેવા સમજદાર હોય છે.
કાયમ જો રહી જાય તો પયંગબરી મળે,
દિલ મા જે એક દર્દ કોઇક વાર હોય છે!
જાણે હોય છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ'
ઈશ્વર થી પણ, વિશેષ નિરાકાર હોય છે.
'મરીઝ'

No comments:

Post a Comment