Wednesday, June 18, 2008

ગુજરાત બચાવો આંદોલન...


હુ હમણાં મહારાષ્ટ્ર ગયો હતો. ત્યાં રાજ ઠાકરેની ઝુંબેશ જોરદાર ચાલે છે એ તો બધાને ખબર જ છે.

અને ત્યાંજ નહિ, તમે ભારતના કોઇ પણ રાજ્ય માં જાઓ, ત્યાં તમારી દાદાગીરી નહિ ચાલે. અને ગુજરાત મા? છે અહી એવુ? ના. અહી તો કોઇ પણ બિન-ગુજરાતી તમારી જોડે બબાલ કરશે, કેમ? કેમ કે એને ખબર છે કે કોઇ વચ્ચે નહી પડે.


આપણે જ એક બીજાને મદદ નહી કરીએ, તો કોઇ પણ આપણને હેરાન કરશે. આપણે કાઈ દાદાગીરી નથી કરવાની, પણ કોઇ ખોટી રીતે હેરાન કરે, એ પણ તમારા ઘરમાં આવીને , તો એ થોડું જ સહન કરાય?

મહારાષ્ટ્માં જે થાય છે તે બરોબર જ છે.અને ગુજરાતમાં પણ થવું જ જોઈએ, જે થી લોકો બીજા પ્રદેશો માં જઈને તંગ સ્થિતી પેદા ના કરે.


તમે ગુજરાત સિવાય ના કોઇ પણ રાજ્ય માં જુઓ, તો બધે એવું જ છે. અને ગુજરાતી ને બધા એના ઘરમાં પણ હેરાન કરી જાય છે. આવું ક્યાં સુધી ચાલશે?


તમને નથી લાગતું, કે આપણે પણ કોઇ ઝુંબેશ શરુ કરવી જોઇએ?

'ગુજરાત બચાવો આંદોલન' કે એવું કઈક? જે ખરેખર રક્ષણ માટે હોય, નહી કે ગુંડાગર્દી માટે.

No comments:

Post a Comment