Monday, June 2, 2008

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે...

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.


આ જ ગઝલમા મનહર ભાઇએ ગાયેલો શેર રજુ કરું છું,જે રવિશના પ્રયત્નને વધુ સારો બનાવશે...

"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...

એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....

કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....

એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."


કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.

એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...

No comments:

Post a Comment