Sunday, January 11, 2009

જવાબદારી...આપણી ફરજ નથી?

આપણે ત્યાં ઘણી વાર એવી વાતો થાય છે કે,

"દેશમાં ઘણી સમસ્યાઓ છે...સરકાર કાંઈ કરતી નથી...ગુંડાગર્દી વધી છે...આતંકવાદ,ચોરી,લૂટ્ફાટ વગેરેના લીધે સામાન્ય માણસો હેરાન થાય છે..."
આના સિવાય પણ ઘણી સમ્સ્યાઓ આપણને નડે છે જેમ કે, ટ્રાફિક,પાણી,રસ્તાઓ,બસ-રેલ,ગંદકી વગેરે વગેરે. અને આપણે લોક કાયમ એમ જ વિચારશું કે આ બધું આપણું કામ નથી. બધા લોકો એમ જ વિચારે છે અને એટલે જ કદાચ આપણે પોતે જ રોજેરોજ અમુક હેરાનગતિઓનું કારણ બનીએ છીએ?

સવારથી ચાલુ કરીએ, તો પાણી પ્રથમ આવે. દરેક ઘરમાં એક વાર તઓ એવું થતું જ હશે, કે પાણીનો બગાડ થાય. અને પાણીની તંગી પડે ત્યારે એમ વિચારીએ કે બાજુવાળા પાડોશીને લિધે ટાંકી ખાલી થઈ ગઈ!અરે ભાઈ,પહેલા પોતે તો વિચારો કે આપણે શું કર્યું?

એના પછી જ્યારે તમે કામ પર જવા નીકળો છો,અને રસ્તામાં ટ્રાફિકને લીધે પડતી તકલીફથી તમે ગુસ્સે થઈ ને લોકો ને અપશબ્દો બોલો, કે મોડું થતું હોવાથી પૂર ઝડપે વાહન હંકારો.અને બધા એમ વિચારે,

"મારા એક્લાના આમ કરવાથી શું થશે?"
અને આમ જ આપણે હેરાન થઈએ.એન કરતાં થોડાક વહેલા નિકળીને,વાહન નિયમીતતાથી ચલાવીને શાંતીથી કામ પર સમયસર ન પહોંચી શકાય?

જરાક વિચાર કરો, કે આપણે કોઇને કાંઈ કહીયે એના પહેલા પોતે જ એનો અમલ ન કરવો જોઇએ?આપણે પોતે ફક્ત પોતાની જ જવાબદારી સમજવાની જરૂર છે. આપોઆપ બધી જ સમ્સ્યાઓનું નિરાકરણ આવી જશે અને બધું વ્યવસ્થિત બનશે. જેમ બસ કે રેલમાં જતી વેળા બીજાને આગળ કરીએ છીએ (पहेले आप, पहेले आप...), તેમ રસ્તા પર વાહન ચલાવતી વખતે પણ કરીએ તો? એમ જ કચરો પણ્ જ્યાં કચરાપેટી હોય ત્યાં જ નાખવો જોઇએ અને પાણીનો બગાડ પણ અટકાવવો જોઇએ. વાહનમાં હેલ્મેટ/પટ્ટો રાખવો જ જોઇએ અને નિયમથી જ વાહન ચલાવવું જોઇએ.

સુખ સાધનો અને સગવડતાઓ જોઈતી હોય, તો એની સામે પોતાની ફરજો અને જવાબદારીનું ભાન પણ આપણને હોવું જ જોઇએ. તો જ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. માત્ર કર ભરી દેવાથી આપણું કામ અટકતું નથી, બીજી બાબતોમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. કદાચ એનાથી બધું તો નહી, પણ થોડું તો સુધરી જ શકે છે!

No comments:

Post a Comment